Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મન કી બાતની સેન્ચ્યુરી પૂરી થવા પર PM મોદીએ કહ્યું- આ કાર્યક્રમ બની ગયો છે જન આંદોલન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિને રેડિયો પર મન કી બાત કરે છે. સામાન્ય રીતે આ માસિક કાર્યક્રમ માત્ર રવિવારે જ રેડિયો દ્વારા રજૂ કરવામાં આવે છે. આજે એટલે કે રવિવાર, 30 એપ્રિલ, 2023ના રોજ PM મોદીની મન કી બાત રેડિયો...
11:06 AM Apr 30, 2023 IST | Hardik Shah

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિને રેડિયો પર મન કી બાત કરે છે. સામાન્ય રીતે આ માસિક કાર્યક્રમ માત્ર રવિવારે જ રેડિયો દ્વારા રજૂ કરવામાં આવે છે. આજે એટલે કે રવિવાર, 30 એપ્રિલ, 2023ના રોજ PM મોદીની મન કી બાત રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, 3 ઓક્ટોબર, 2014ના રોજ શરૂ થયેલો કાફલો આજે તેના 100 માં મુકામ પર પહોંચી ગયો છે. પહેલીવાર દેશના કોઈ વડાપ્રધાને દેશની 140 કરોડ જનતા સાથે સીધો સંવાદ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતનો આ 100મો એપિસોડ છે અને દેશ અને દુનિયામાં તેના વિશે ઘણો પ્રચાર કરવામાં આવ્યો છે.

દેશની જનતા છેલ્લા 9 વર્ષથી વડાપ્રધાન મોદીના તે પહેલા શબ્દો સાંભળતી આવી છે, ક્યા છે તે શબ્દો? 'મારા વ્હાલા દેશવાસીઓ...' PM મોદીના આ શબ્દો સાંભળવા માટે કરોડો લોકો મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યાની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આજે વડાપ્રધાન મોદી તેમની અનોખી સફરની સદી પૂરી કરી રહ્યા છે. આજ સુધી તમે રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં માત્ર PM મોદીનો જ અવાજ સાંભળ્યો હશે અથવા ટીવી પર માઈક્રોફોન સામે બેઠેલા PM મોદીની તસવીર જોઈ હશે. પરંતુ 100 માં એપિસોડ પહેલા પહેલીવાર PM મોદીની મન કી બાતના રેકોર્ડિંગનો વીડિયો સામે આવ્યો છે. PM દેશના 140 કરોડ લોકો સાથે મન કી બાત દરમિયાન કેવી રીતે આવે છે, તેઓ લોકો સાથે કેવી રીતે જોડાય છે, તેઓ કેવી રીતે પ્રશ્નો લે છે, તે પ્રશ્નોના જવાબ કેવી રીતે આપે છે, આ 1.5 મિનિટના વીડિયોમાં બધું સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું છે.

આજે મન કી બાતના 100મા એપિસોડને ઐતિહાસિક બનાવવા માટે ભાજપે ખાસ તૈયારીઓ કરવમાં આવી છે. મન કી બાત કાર્યક્રમનું સમગ્ર વિશ્વમાં 4 લાખ કેન્દ્રો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. 'મન કી બાત'ના આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિવિધ સામાજિક સંસ્થાઓ, નાગરિક સમાજ અને અન્ય સંસ્થાઓ પણ મોટી સંખ્યામાં ભાગ લેશે. મન કી બાતના 100 માં એપિસોડના અવસર પર આજે બીજેપીના સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ દેશભરના લોકોની વચ્ચે હશે અને PM મોદીની મન કી બાત સાંભળશે.

ઉલ્લેખનીય છે કે, 3 ઓક્ટોબર, 2014 ના રોજ શરૂ થયેલો આ કાર્યક્રમ મહિલાઓ, યુવાનો અને ખેડૂતો જેવા અનેક સામાજિક જૂથોને સંબોધિત કરીને સરકારના નાગરિક-પ્રસાર કાર્યક્રમનો મુખ્ય આધારસ્તંભ બની ગયો છે. તે 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ ઉપરાંત ફ્રેન્ચ, ચાઇનીઝ, ઇન્ડોનેશિયન, તિબેટીયન, બર્મીઝ, બલોચી, અરબી, પશ્તુ, ફારસી, દારી અને સ્વાહિલી સહિત 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે. મન કી બાત ઓલ ઈન્ડિયા રેડિયોના 500 થી વધુ બ્રોડકાસ્ટિંગ સ્ટેશનો દ્વારા પ્રસારિત કરવામાં આવે છે.

PM મોદીની 'મન કી બાત' શરૂ....

આ યાત્રા વિજયા દશમીના દિવસે શરૂ થઈ હતી
'મન કી બાત'ના 100મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 3 ઓક્ટોબર, 2014 ના રોજ, તે વિજયા દશમીનો તહેવાર હતો અને અમે બધાએ સાથે મળીને વિજયા દશમીના દિવસે 'મન કી બાત'ની યાત્રા શરૂ કરી હતી.

સામૂહિક પ્રયાસો સૌથી મોટું પરિવર્તન લાવી શકે છે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું દ્રઢપણે માનું છું કે સામૂહિક પ્રયાસો સૌથી મોટું પરિવર્તન લાવી શકે છે. આ વર્ષે જ્યાં આપણે આઝાદીના સુવર્ણ યુગમાં આગળ વધી રહ્યા છીએ, ત્યાં અમે G20ની અધ્યક્ષતા પણ કરી રહ્યા છીએ. આ પણ એક કારણ છે કે શિક્ષણની સાથે વૈવિધ્યસભર વૈશ્વિક સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવાનો અમારો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે.

શિક્ષણમાં ટેક્નોલોજીનું એકીકરણ જેવા ઘણા પ્રયાસો જોવા મળશે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શિક્ષણની વાત હોય કે સંસ્કૃતિની, તેના સંરક્ષણની કે સંવર્ધનની, આ ભારતની પ્રાચીન પરંપરા રહી છે. આજે દેશ આ દિશામાં જે કામ કરી રહ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. NEP હોય કે પ્રાદેશિક ભાષામાં અભ્યાસ કરવાનો વિકલ્પ હોય, શિક્ષણમાં ટેક્નોલોજીનું એકીકરણ હોય, તમને આવા ઘણા પ્રયાસો જોવા મળશે.

'સેલ્ફી વિથ ડોટર એક મોટું અભિયાન બની ગયું' : PM મોદી
સેલ્ફી વિથ ડોટર ઝુંબેશનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે, તે દેશથી વિદેશમાં ઘણું ચાલ્યું. તે સેલ્ફીનો મુદ્દો ન હતો, તે દીકરીઓનો હતો જેમાં લોકોએ ભવ્ય રીતે ભાગ લીધો હતો. આ અભિયાનનો હેતુ લોકોને જીવનમાં દીકરીનું મહત્વ સમજાવવાનો હતો.

મન કી બાતમાં મહિલા સશક્તિકરણની વિવિધ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો : PM મોદી

PM નરેન્દ્ર મોદી #MannKiBaat ની 100મી આવૃત્તિ દરમિયાન કહ્યું કે, મને ખુશી છે કે #MannKiBaat માં મહિલા સશક્તિકરણની વિવિધ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે છત્તીસગઢના દેવરા ગામની મહિલાઓ, તમિલનાડુમાં ટેરાકોટા કપ બનાવનાર આદિવાસી મહિલાઓ અને વેલ્લોર તળાવને પુનર્જીવિત કરનાર મહિલાઓ. #MannKiBaat એ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવાથી લઈને મેક ઇન ઈન્ડિયા અને સ્પેસ સ્ટાર્ટઅપ્સ સુધીના વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાશાળી વ્યક્તિઓની વાર્તાઓ પ્રદર્શિત કરી છે. આપણા રમકડા ઉદ્યોગને પુનર્જીવિત કરવાનું મિશન મન કી બાતથી શરૂ થાય છે.

દુનિયાભરમાં પણ મન કી બાતની ચર્ચા થઈ હતી : PM મોદી

મન કી બાતના 100મા એપિસોડમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'મન કી બાત' સંબંધિત વિષય એક જન આંદોલન બની ગયો છે અને તમે લોકોએ તેને જન આંદોલન બનાવી દીધું. જ્યારે મેં તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે 'મન કી બાત' શેર કરી ત્યારે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ હતી. 'મન કી બાત' મારા માટે બીજાના ગુણોની પૂજા કરવા જેવું રહ્યું છે.

મન કી બાત કરોડો ભારતીયોના મનની વાત છે : PM મોદી

'મન કી બાત'ના 100મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "'મન કી બાત' કરોડો ભારતીયોના મનની વાત છે. તે તેમની લાગણીઓની અભિવ્યક્તિ છે. 3 ઓક્ટોબર, 2014ના રોજ અમે આ પ્રવાસ 'મન કી બાત' ની શરૂઆત કરી હતી. દેશના ખૂણે ખૂણેથી લોકો મન કી બાતમાં જોડાયા. દરેક વયજૂથના લોકો જોડાયા."

હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે... : PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ કાર્યક્રમ મને ક્યારેય તમારા લોકોથી દૂર જવા નથી દીધો. જ્યારે હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે હું ત્યાંના લોકોને મળતો હતો, પરંતુ જ્યારે હું 2014માં દિલ્હી આવ્યો ત્યારે મને જાણવા મળ્યું કે અહીંનું જીવન ખૂબ જ અલગ છે. જવાબદારીઓ અલગ, સુરક્ષાની ઝાકઝમાળ, સમય મર્યાદા, શરૂઆતના દિવસોમાં કંઈક અલગ લાગ્યું.

તમારા પત્રો વાંચીને હું ઘણી વખત ભાવુક થયો : PM મોદી

વડાપ્રધાન મોદીએ મન કી બાતના 100માં એપિસોડમાં કહ્યું કે, તમારા પત્રો વાંચીને હું ઘણી વખત ભાવુક થયો છું. મન કી બાતના 100માં એપિસોડમાં PM મોદીએ કહ્યું કે મન કી બાત કરોડો ભારતીયોના મનની વાત છે. PM એ કહ્યું કે, મને તમારા હજારો પત્રો મળ્યા છે. તમારા પત્રો વાંચીને હું ભાવુક થઈ ગયો છું.

-------------------------------------------------------------------------------------------------

રેડિયો કાર્યક્રમ મન કી બાત પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું
PM મોદીએ માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 100 એપિસોડ પૂરા થવા પર એક ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે સવારે 11 વાગ્યે ટ્યુન ઇન કરો. ભારતના લોકોની સામૂહિક ભાવનાની ઉજવણી કરતી અને પ્રેરણાદાયી જીવન સફરને ઉજાગર કરતી આ ખરેખર એક વિશેષ યાત્રા રહી છે.

મહારાષ્ટ્રમાં મન કી બાત સાંભળી રહ્યા છે અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, અન્યો સાથે, મુંબઈ, મહારાષ્ટ્રમાં મન કી બાતનો 100મો એપિસોડ સાંભળે છે.

આ દિગ્ગજ નેતાઓ પણ સાંભળશે PM મોદીની મન કી બાત

ગૃહમંત્રી અમિત શાહ મુંબઈના વિલે પાર્લે ખાતે મન કી બાત સાંભળશે.
જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં PM નો કાર્યક્રમ લાઈવ સાંભળશે.
કર્ણાટક ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હોનાલી દાવણગેરેમાં મન કી બાત કાર્યક્રમ સાંભળશે.
પીયૂષ ગોયલ અને ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસ પણ મુંબઈમાં જ મન કી બાત સાંભળશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ દિલ્હીના પાંડવ નગરમાં મન કી બાત સાંભળશે
CM યોગી આદિત્યનાથ આજે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગંગાવતી વિધાનસભા કોપ્પલમાં PMની મન કી બાત પણ સાંભળશે.

આ પણ વાંચો - ચાર લાખ કેન્દ્રો પર પ્રસારણ, તમામ ભાજપના સાંસદો, ધારાસભ્યો અને પક્ષના અધિકારીઓ લેશે ભાગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
100 episodes of mann ki baatMann Ki Baatmann ki baat 100 episodemann ki baat 100th episodemann ki baat live todaypm modipm modi mann ki baat
Next Article