Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Malaika ના પિતાના મોતના કારણનો થયો ખુલાસો..

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો પ્રાથમિક રિપોર્ટમાં તેમના મૃત્યુનું કારણ મલ્ટીપલ ઇન્જરી હોવાનું કહેવાય છે મલાઈકાના પિતાના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે Cause of death of Malaika Arora's father : બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાનો પોસ્ટમોર્ટમ...
malaika ના પિતાના મોતના કારણનો થયો ખુલાસો
  • બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો
  • પ્રાથમિક રિપોર્ટમાં તેમના મૃત્યુનું કારણ મલ્ટીપલ ઇન્જરી હોવાનું કહેવાય છે
  • મલાઈકાના પિતાના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે

Cause of death of Malaika Arora's father : બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Cause of death of Malaika Arora's father) આવી ગયો છે. કુપર હોસ્પિટલમાં અનિલ મહેતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક રિપોર્ટમાં તેમના મૃત્યુનું કારણ મલ્ટીપલ ઇન્જરી હોવાનું કહેવાય છે. રિપોર્ટ ફોરેન્સિક લેબમાં મોકલી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અનિલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ગઈ કાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું હતું. મલાઈકાના પિતાના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.

Advertisement

અનિલ મહેતાએ બાલ્કનીમાંથી પડી જતાં જીવ ગુમાવ્યો હતો

અનિલ મહેતાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં તેમના મૃત્યુનું કારણ પણ સામે આવ્યું છે. રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે અનિલ મહેતાનું નીચે પડી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. નોંધનીય છે કે 11 સપ્ટેમ્બરના રોજ અનિલ મહેતાનું તેમના ઘરની બાલ્કનીમાંથી પડીને મોત થયું હતું. જો કે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અનિલે આત્મહત્યા કરી છે, પરંતુ હજુ સુધી આ અંગે સત્તાવાર કંઈ કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો---Malaikaના પિતાના મોતનું રહસ્ય આ એક નિવેદનથી પેચીદું થયું...

Advertisement

અંતિમ સંસ્કાર ક્યારે થશે?

તમને જણાવી દઈએ કે આજે 12 સપ્ટેમ્બરે મલાઈકાના પિતા અનિલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 12 સપ્ટેમ્બરના રોજ સાંતાક્રુઝના હિન્દુ સ્મશાનભૂમિમાં અનિલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અનિલના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અનિલે આત્મહત્યા કરી હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ કંઈપણ સમર્થન નથી.

Advertisement

મલાઈકાના પિતાના નિધનથી સમગ્ર બોલિવૂડમાં શોકની લહેર

મલાઈકાના પિતાના નિધનથી સમગ્ર બોલિવૂડમાં શોકની લહેર છે. આ સમયે મલાઈકા અને તેના પરિવારને સપોર્ટ કરવા માટે દરેક તેમની સાથે ઉભા છે. બોલિવૂડ સેલેબ્સ મલાઈકાના પેરેન્ટ્સના ઘરે જોવા મળ્યા હતા. આખો ખાન પરિવાર પણ પીડિત પરિવારને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. જોકે આ ઘટના સમયે મલાઈકા શહેરમાં ન હતી, પરંતુ તેના પિતાના નિધનના સમાચાર મળતા જ અભિનેત્રી તરત જ મુંબઈ પરત આવી ગઈ હતી.

આ પણ વાંચો----Malaika Arora ના પિતાએ છઠ્ઠા માળેથી કુદીને.....

Tags :
Advertisement

.