Maharashtra : ધુલેમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટો અકસ્માત, 3 બાળકોના મોત, 5 ઘાયલ
- Maharashtra માં માર્ગ અકસ્માત
- ગણપતિ વિસર્જન દરમિયાન થયો અકસ્માત
- 3 બાળકોના મોત, 5 લોકો ઘાયલ
મહારાષ્ટ્ર (Maharashtra)ના ધુલેમાં ભગવાન ગણપતિ વિસર્જન દરમિયાન એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ બાળકોના મોત થયા હતા જ્યારે પાંચ જેટલા લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ધુલેના ચિત્તોડ ગામમાં વિસર્જન માટે ગામલોકો ટ્રેક્ટરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ લઈ જઈ રહ્યા હતા. ત્યારબાદ ટ્રેક્ટર ત્યાં નાચતા અને ગાતા લોકો પર દોડી ગયું હતું. જેમાં 3 બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ડ્રાઈવર નશામાં હતો...
હાલ પોલીસે ટ્રેક્ટર અને તેના ચાલકને કસ્ટડીમાં લીધા છે અને તમામ કાયદેસરની કાર્યવાહી મુજબ આરોપી ડ્રાઈવરની મેડિકલ તપાસ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેક્ટર ચાલક દારૂના નશામાં હતો. જેના કારણે તેણે પોતાનો કાબુ ગુમાવી દીધો હતો.
#धुळे शहराजवळ असलेल्या #चितोड गावात गणेश विसर्जनाची मिरवणूक सुरू असताना ट्रॅक्टर खाली आल्याने तीन लहान बालकांचा मृत्यू झाला असून, सहा जण जखमी झाले आहेत.#Dhule #Maharashtra pic.twitter.com/ImLpIVgkt7
— आकाशवाणी बातम्या नागपूर (@airnews_nagpur) September 17, 2024
આ પણ વાંચો : ગૃહમંત્રી Amit Shah એ અગ્નિવીરો માટે મોટી જાહેરાત કરી, યુવાનોને નોકરીની ખાતરી આપી...
મૃતકો અને ઘાયલોની ઓળખ...
મૃતકોની ઓળખ શાંતારામ (13), શેરા બાપુ સોનાવને (6) અને લડુ પાવરા (3) તરીકે થઈ છે. સારવાર હેઠળ રહેલા લોકોની ઓળખ ગાયત્રી (25), વિદ્યા જાધવ (27), અજય (23), ઉજ્જવલા ચંદુ (23), લલિતા પિન્ટુ મોરે (16) અને રિયા (17) તરીકે થઈ છે.
આ પણ વાંચો : Kolkata : કોણ છે મનોજ કુમાર વર્મા, જેમને કોલકાતાના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા?