ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Maharashtra : પૂર્વ CM ઉદ્ધવ ઠાકરે હોસ્પિટલમાં દાખલ, જાણો ડોકટરોએ શું કહ્યું...

શિવસેના પ્રમુખ પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ઉદ્ધવ ઠાકરે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે - ડોક્ટર શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેની તબિયત બગડતાં તેમને મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં...
03:04 PM Oct 14, 2024 IST | Dhruv Parmar
  1. શિવસેના પ્રમુખ પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી
  2. મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
  3. ઉદ્ધવ ઠાકરે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે - ડોક્ટર

શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેની તબિયત બગડતાં તેમને મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે તેમની પત્ની રશ્મિ ઠાકરે પણ હાજર હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ ઠાકરેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ દિવસે હોસ્પિટલમાંથી રજા અપાશે...

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરે વધુ એક દિવસ હોસ્પિટલમાં રહી શકે છે. તેને મંગળવારે સાંજે અથવા તેના બીજા દિવસે રજા આપી શકાય છે. એન્જીયોપ્લાસ્ટી બાદ ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : Bahraich માં Amitabh Yash તોફાનીઓને કાબુમાં લેવા હાથમાં પિસ્તોલ લઇને ઉતર્યા...

ડોક્ટરોએ કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી...

ડોક્ટરોની ટીમનું કહેવું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી. ઉદ્ધવ ઠાકરે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે. આવી સ્થિતિમાં તેમના સમર્થકોનું કહેવું છે કે સારવાર બાદ તેઓ મહારાષ્ટ્ર (Maharashtra) ચૂંટણીમાં પ્રચાર શરૂ કરશે.

આ પણ વાંચો : સંજય રાઉતે CM શિંદે પર કર્યા પ્રહાર, કહ્યું- તાકાત હોય તો સિદ્દીકીના હત્યારાઓ... Video

એન્જીયોપ્લાસ્ટી થઈ ચૂકી છે...

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ વર્ષ 2014 માં ઉદ્ધવ ઠાકરેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઉદ્ધવ ઠાકરેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જ્યારે ડોકટરોએ તેના હૃદયની ત્રણ મુખ્ય ધમનીઓમાં બ્લોકેજ દૂર કરવા માટે 8 સ્ટેન્ટ નાખ્યા હતા.

આ પણ વાંચો : આ નેતાએ Lawrence Bishnoi ને આપ્યો ખૂલ્લો પડકાર, કહ્યું- 24 કલાકમાં આખી ગેંગ...

Tags :
coronary arteriesGujarati NewsHN Reliance HospitalIndiaMaharashtraMUMBAINationaluddhav thackeray
Next Article