Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોણ બનશે Maharashtra ના CM? આજે યોજાશે ભાજપ ધારાસભ્ય દળની બેઠક...

Maharashtra માં રાજકીય સસ્પેન્સ છેલ્લી ઘડી સુધી રહેવાની ધારણા CM એકનાથ શિંદે ડેપ્યુટી CM પદ સ્વીકારી શકે છે બુધવારે સવારે 11 વાગ્યે મુંબઈમાં BJP ધારાસભ્યોની બેઠક યોજાશે ભાજપે રૂપાણી અને નિર્મલા સીતારમણને નિરીક્ષક બનાવ્યા મહારાષ્ટ્ર (Maharashtra)ના CM કોણ બનશે?...
કોણ બનશે maharashtra ના cm  આજે યોજાશે ભાજપ ધારાસભ્ય દળની બેઠક
Advertisement
  1. Maharashtra માં રાજકીય સસ્પેન્સ છેલ્લી ઘડી સુધી રહેવાની ધારણા
  2. CM એકનાથ શિંદે ડેપ્યુટી CM પદ સ્વીકારી શકે છે
  3. બુધવારે સવારે 11 વાગ્યે મુંબઈમાં BJP ધારાસભ્યોની બેઠક યોજાશે
  4. ભાજપે રૂપાણી અને નિર્મલા સીતારમણને નિરીક્ષક બનાવ્યા

મહારાષ્ટ્ર (Maharashtra)ના CM કોણ બનશે? આ પ્રશ્નને લઈને ચાલી રહેલા સસ્પેન્સ આજે સમાપ્ત થઈ શકે છે. આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવા જઈ રહી છે જેમાં નેતાની પસંદગી કરવામાં આવશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં યોજાશે. કેન્દ્રીય નિરીક્ષક નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીની હાજરીમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. CM પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ છે . સૂત્રોનું માનીએ તો ફડણવીસના નામને મંજૂરી મળી ગઈ છે... હવે માત્ર ધારાસભ્યોનો અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી બાદ મહાયુતિના નેતાઓ આજે બપોરે 3:30 વાગ્યે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ પછી આવતીકાલે મુંબઈના આઝાદ મેદાનમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

ભાજપ ધારાસભ્ય દળની બેઠક સવારે 11 વાગ્યાથી શરૂ થશે...

મહારાષ્ટ્ર (Maharashtra) વિધાન ભવનના સેન્ટ્રલ હોલમાં સવારે 11 વાગે ભાજપ ધારાસભ્ય દળની બેઠક શરૂ થશે. ભાજપના ધારાસભ્યો સવારે 9.30 વાગ્યાથી વિધાન ભવન પહોંચવાનું શરૂ કરશે.

Advertisement

ડ્રોન દ્વારા પણ દેખરેખ...

આજે અને આવતીકાલે આઝાદ મેદાન વિસ્તારને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને પૂર્વમાં ઉંચી ઈમારતો પર પોલીસ તૈનાત રહેશે, આ સિવાય પોલીસ ડ્રોન દ્વારા પણ ચાંપતી નજર રાખશે.

Advertisement

આ પણ વાંચો : સાંસદ Pappu Yadav ધમકી કેસમાં ચોંકાવનારો ખુલાસો!

2500 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત...

આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ભીડને જોતા મુંબઈ પોલીસે 2500 થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કર્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન 10 નાયબ પોલીસ કમિશનર, 20 મદદનીશ પોલીસ કમિશનર, 100 પોલીસ ઈન્સ્પેક્ટર, 150 મદદનીશ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર સહિત 1500 થી વધુ પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે હાજર રહેશે. આ સાથે સશસ્ત્ર પોલીસ દળો, ટાસ્ક ફોર્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તૈયાર રહેશે.

આવતીકાલે આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ થશે...

મહારાષ્ટ્ર (Maharashtra)માં આવતીકાલે મહાયુતિના શપથ ગ્રહણ પહેલા, મુંબઈ પોલીસે આઝાદ મેદાન અને આસપાસના વિસ્તારોને છાવણીમાં ફેરવી દીધા હતા.

આ પણ વાંચો : IMD : Delhi NCR માં ઠંડી વધી, 2 રાજ્યોમાં ભારે હિમવર્ષા...

ધારાસભ્ય દળની બેઠકમાં નામ નક્કી થશે - રૂપાણી

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રૂપાણીએ કહ્યું કે, સરકાર બનશે. ચૂંટાયેલા ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે. નામ નક્કી કરવામાં આવશે અને પછીથી તેની જાહેરાત કરવામાં આવશે.'' તેમણે કહ્યું કે, ભાજપ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવાની પાર્ટીની પરંપરાને અનુસરે છે. રૂપાણીએ કહ્યું, "આ નામ નક્કી કરવાની અમારી રીત છે." રૂપાણીએ જણાવ્યું હતું કે, વિધાનસભા પક્ષના નેતા નક્કી કરવામાં આવશે અને તે નેતા બીજા દિવસે મહારાષ્ટ્ર (Maharashtra)ના CM તરીકે શપથ લેશે, જો સર્વસંમતિ હશે તો માત્ર એક પ્રસ્તાવ (નામ) આગળ મૂકવામાં આવશે.

'મહાયુતિ' ગઠબંધનને 230 બેઠકો મળી...

મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે યોજાઈ હતી. આ ચૂંટણીમાં 'મહાયુતિ' ગઠબંધને 288 વિધાનસભા બેઠકોમાંથી 230 બેઠકો જીતી હતી. ભાજપે 132 બેઠકો જીતી હતી જ્યારે કાર્યપાલક CM એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને 57 બેઠકો અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ને 41 બેઠકો મળી હતી.

આ પણ વાંચો : Telangana માં ધરતી ધ્રૂજી, હૈદરાબાદમાં પણ અનુભવાયા જોરદાર ભૂકંપના આંચકા, લોકો ઘરની બહાર આવ્યા

Tags :
Advertisement

Trending News

.

×