Congress National Convention : વિચાર, આચાર અને પ્રચાર હશે તે સંગઠન આગળ વધશે : મલ્લિકાર્જુન ખડગે
- અમદાવાદમાં સાબરમતીના તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
- અમદાવાદમાં કોંગ્રેસની બેઠકના બીજા દિવસે આ સત્ર યોજાયુ
- 3000 નેતા-કાર્યકર્તાઓએ પાર્ટીના એજન્ડા પર ચર્ચા કરી
અમદાવાદમાં સાબરમતીના તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયુ છે. જેમાં 3000 નેતા-કાર્યકર્તાઓ પાર્ટીના એજન્ડા પર ચર્ચા કરી, ત્યારે ગુજરાત કોંગ્રેસને લઈ મોટો નિર્ણય થઈ શકે છે. અમદાવાદમાં કોંગ્રેસની બેઠકના બીજા દિવસે આ સત્ર યોજાયુ છે. રાષ્ટ્રીય સંમેલન આજે 9 એપ્રિલના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે શરૂ થયુ છે.
કોંગ્રેસે આ સત્રને ન્યાયપથ નામ આપ્યું છે
કોંગ્રેસે આ સત્રને ન્યાયપથ નામ આપ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરાએ આ અંગે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી ન્યાયના માર્ગે ચાલશે અને લોકોનો ટેકો મેળવશે. જેમ કોંગ્રેસે સ્વતંત્રતા માટે સખત મહેનત કરી હતી, તેવી જ રીતે પાર્ટી ગુજરાતમાં પણ સખત મહેનત કરશે અને સત્તામાં પાછી આવશે. ઉલ્લેખનીય છે કે 64 વર્ષ પછી ગુજરાતમાં પાર્ટીનું સંમેલન યોજાઇ રહ્યું છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન
April 9, 2025 7:34 pm
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે, વિચાર, આચાર અને પ્રચાર હશે તે સંગઠન આગળ વધશે. વિચારધારાને આગળ વધારવાની કોશિશ કરો, પાછળ ન પડો. આપણે મનુષ્યબળ અને માનસિક બળ વધારવાની જરૂર છે. ખડગેએ કહ્યું કે, ભાજપની શક્તિ ગુજરાત છે એને કમજોર કરવા અહીંયા આવ્યા છીએ. વક્ફ બિલ ચૂંટણીમાં અમારો એકપણ વોટ બીજા પક્ષમાં નહોતો ગયો. વક્ફ બોર્ડ એ ડોનેશન આપવા માટેનું બોર્ડ છે. ડોનેશનમાં આપેલી જમીન કોઈ લઈ ના શકે. ધર્મની કમિટીમાં કોઈ અન્ય ધર્મનો વ્યક્તિ ના હોય શકે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હંમેશા ગરીબ અને પછાત વર્ગો સાથે છે અને રહેશે. ખડગેએ શક્તિસિંહને તેમની શક્તિ બતાવવા હુંકાર કર્યો હતો.
किसी संगठन को आगे बढ़ाने के लिए तीन चीजें जरूर होनी चाहिए 👇🏼
— Congress (@INCIndia) April 9, 2025
• विचार
• आचार
• प्रचार
हमारे पास ये तीनों चीजे हैं। हम लगातार इन बिंदुओं पर काम करते रहे हैं, लेकिन हमें और मजबूती के साथ विचारधारा को आचरण में लाना है और उसका प्रचार करना है।
: AICC के अधिवेशन में कांग्रेस… pic.twitter.com/WsgpkRXX5A
કોંગ્રેસના અધિવેશનમાં MP ઈમરાન પ્રતાપગઢીનું નિવેદન
April 9, 2025 7:25 pm
MP ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે, ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન ખૂબ સુંદર આયોજન થયું છે. અધિવેશનને લઈ દેશના તમામ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. તેમણે દાવો કરતા કહ્યું કે, વર્ષ 2027 ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે. માત્ર ગુજરાત કોંગ્રેસ જ નહીં પરંતુ, સમગ્ર દેશના નેતા લડશે.
રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીનું નિવેદન
— Gujarat First (@GujaratFirst) April 9, 2025
ગોડસેના યુગમાં હું ગાંધીની વિચારધારાની વાત કરું છું: ઇમરાન
આ લડત પણ અંગ્રેજો સામેની લડત જેવી જ છે: ઇમરાન
પહેલા નેતૃત્વ ગાંધીજી કરી રહ્યા હતા: ઇમરાન
આજની લડાઇમાં નેતૃત્વ રાહુલ ગાંધી કરી રહ્યા છે: ઇમરાન@INCIndia @RahulGandhi @ShayarImran… pic.twitter.com/1TmnYFyvlg
કુમારી શૈલજા અને ગૌરવ ગોગોઈની પ્રતિક્રિયા
April 9, 2025 6:37 pm
પૂર્વ કેન્દ્રિય મંત્રી કુમારી શૈલજાએ કહ્યું કે, ગુજરાતમાં અધિવેશન થવાથી નવી ઊર્જા મળશે. સંગઠન અને વિચારધારાને મજબૂત કરવાનો પ્રયાસ છે. અધિવેશનમાં એક સાથે મળીને બધાએ પ્રયાસ કર્યો છે. આસામ વિધાનસભાનાં વિરોધ પક્ષના નેતા ગૌરવ ગોગોઈની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, અધિવેશન સકારાત્મક રહ્યું છે. વિવિધ સમસ્યાઓ માટે કોંગ્રેસ જ વિકલ્પ છે. ભાજપની વિચારધારા સામે લડવા માટે કોંગ્રેસ સક્ષમ પક્ષ છે. તેમણે આગળ કહ્યું કે, રાહુલ ગાંધી જ્યારે ગુજરાતનાં પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જેમનો એક પગ કોંગ્રેસમાં છે અને બીજો કોઈ બીજા પક્ષમાં છે, તેમને ઓળખીને કોંગ્રેસમાંથી હાંકી કાઢવાની જરૂર છે. જો આપણે આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી જીતવી હોય, તો આપણે એવા કટ્ટર કોંગ્રેસીઓને આગળ લાવવા પડશે જે દરેક ધમકી કે લાલચ છતાં કોંગ્રેસ સાથે જોડાયેલા છે.
राहुल गांधी जी जब गुजरात दौरे पर आए थे, उन्होंने कहा था कि जिन लोगों का एक पैर कांग्रेस में और दूसरा किसी और पार्टी में है, उनकी पहचान कर उन्हें कांग्रेस से बाहर करना होगा।
— Congress (@INCIndia) April 9, 2025
अगर हमें आने वाले समय में विधानसभा चुनाव जीतने हैं तो ऐसे कट्टर कांग्रेसियों को आगे लाना होगा जो हर धमकी… pic.twitter.com/Pu4Dp4sXmG
દેશનો એક્સ રે થવો જોઈએ : નેતા વિપક્ષ રાહુલ ગાંધી
April 9, 2025 5:53 pm
કોંગ્રેસનાં અધિવેશનમાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, વંચિતો, દલિતો, આદિવાસી સહિત અનેક લોકો માટે હું કામ કરું છું. તેલગણાંમાં અમે જાતિ-જનગણના અંગેનો ક્રાંતિકારી નિર્ણય કર્યો. લોકસભા પણ કહ્યું હતું કે જાતિ-જનગણનાં સિવાય દેશમાં કોની કેટલી ભાગીદારી છે ? દેશનો એક્સ રે થવો જોઈએ. શું સરકાર ગરીબોની ઇજ્જત કરે છે ? મોદી સરકારે કહ્યું કે અમે જાતિ-જનગણના નહીં કરીએ, અમે નહીં બતાવીએ દેશમાં ગરીબો, વંચિતોની કેટલી ભાગીદારી છે ? રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકસભામાં અને રાજ્યસભામાં અમે આ બિલ લાવીશું. તેલંગાણાનાં જેવી સ્થિતિ દેશનાં અનેક પ્રદેશની છે.
#WATCH | Ahmedabad, Gujarat | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "We took a revolutionary step of caste census in Telangana. A few months before that, I had asked PM Narendra Modi in the Parliament that we should get a caste census done in the country... I wanted to… pic.twitter.com/4hQ0L2IAAA
— ANI (@ANI) April 9, 2025
તેલંગાણામાં જાતિ-જનગણનાં નવુ શસ્ત્ર આપ્યું છે : રાહુલ ગાંધી
April 9, 2025 5:45 pm
રાહુલ ગાંધીએ કહ્યું કે, તેલંગાણામાં જાતિ-જનગણનાં નવુ શસ્ત્ર આપ્યું છે. દરેક સેક્ટરમાં કયા વર્ગની ભાગીદારીએ બતાવી શકીએ તેમ છે. અમારા મુખ્યમંત્રીઓ OBC આરક્ષણની 42% સુધી પહોંચાડ્યું. આપણે સુપર પાવરની વાત કરીએ છીએ પરંતુ, નાણાંની વાત કરીએ તો 90% વંચિતોની ભાગીદારી નથી. જેની શરૂઆત અમે તેલંગાણામાં કરી છે તે દિલ્હીથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ આરોપ લગાવી કહ્યું કે, ગરીબ આદિવાસીને દલિતને પહેલા જે સેક્ટરમાં સ્થાન મળતું હતું તે તમામ સેક્ટર બંધ કરી દેવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય અધિવેશનમાં તેલંગણાના મુખ્યમંત્રી રેવંતા રેડ્ડીનું નિવેદન
April 9, 2025 5:45 pm
તેલંગણાના મુખ્યમંત્રી રેવંતા રેડ્ડીએ કહ્યું કે, આ ધરતી ગાંધી અને સરદાર પટેલની છે. મોદી સરકારને હરાવવા આપણે સાબરમતી કિનારે ભેગા થયા છે. આપણે બધાએ ભેગા મળી મોદી સરકાર સામે લડવાનું છે. જાતિ-જનગણના, ખેડૂતોની આવક વધારવા અને યુવાનોને રોજગારી આપવાનો સંકલ્પ રાહુલ ગાંધીએ કર્યો છે. તેમણે આગળ કહ્યું કે, તેલંગાણામાં સરકાર બનાવ્યા બાદ અમારી સરકારે ખેડૂતોના 21 લાખ કરોડ રૂપિયા માફ કર્યો છે. સમગ્ર દેશમાં OBC જનગણના કરનારું પહેલું રાજ્ય તેલંગાણા બન્યું છે. તેમણે કહ્યું કે, અંગ્રેજો સામે ગાંધીએ અનેક સત્યાગ્રહ કર્યા પણ અંગ્રેજોએ એક પણ લાકડી નહોતી ચલાવી. પણ આઝાદી પછી 6 મહિનામાં જ ગાંધીને ગોડસેએ ગોળી મારી હતી. અંગ્રેજોને જેમ દેશમાંથી નીકળ્યા તેમ હવે ભાજપને હરાવવાનાં છે.
1600 કિમીનાં દરિયા કિનારા પર ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે : ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
April 9, 2025 5:24 pm
ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલે કહ્યું કે, આખા ભારતમાં ફિક્સ પગાર અને આઉટસોર્સિંગથી શોષણ ફક્ત ગુજરાતનાં યુવાઓનું થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, 1600 કિમીનાં દરિયા કિનારા પર ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. કોંગ્રેસ સરકારે ઘણા પોર્ટ ગુજરાતમાં બનાવામાં આવ્યા છે. તેમણે આગળ કહ્યું કે, મોરબી, વડોદરા અને રાજકોટની દુર્ઘટનાઓમાં ઘણા લોકોનું મોત નીપજ્યું પણ હજું તેમની તેમના પરિવારને ન્યાય નથી મળ્યો. ગુજરાતમાં તમામ વર્ગનાં લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે.
હું ગુજરાતની પવિત્ર ભૂમિ પર કોંગ્રેસના ટોચના નેતૃત્વ અને તેના તમામ સૈનિકોનું સ્વાગત કરું છું.
— Gujarat Congress (@INCGujarat) April 9, 2025
હું રાહુલ ગાંધીજીને પણ અભિનંદન આપવા માંગુ છું, કારણ કે જે રીતે તેમણે સંસદમાં ઉભા થઈને કહ્યું કે આગામી દિવસોમાં આપણે ગુજરાતમાં સત્તા પરિવર્તન લાવીશું, તેમના શબ્દોએ ગુજરાતના યુવાનોમાં નવો… pic.twitter.com/KM4ZxDdkoC
કોંગ્રેસના અધિવેશનમાં ગ્યાસુદ્દીન શેખનું મોટું નિવેદન
April 9, 2025 5:18 pm
કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે, નાના કાર્યકરને બોલવાનો મોકો કોંગ્રેસ જ આપી શકે છે. તેમણે કહ્યું કે, વકફ બિલ મુદ્દે એક થઈ સંસદમાં લડત આપી અને કોંગ્રેસ મુસ્લિમ સાથે નથી તેવું કહેનારાને જડબાતોડ જવાબ આપ્યો.
देश में नफरत की राजनीति हो रही है, जिसके खिलाफ राहुल गांधी जी डटकर खड़े हैं।
— Congress (@INCIndia) April 9, 2025
राहुल जी ने भारत जोड़ो यात्रा कि जो इस देश में फैली नफरत के खिलाफ थी।
सिर्फ कांग्रेस पार्टी हर वर्ग को साथ लेकर चलने का काम करती है।
: AICC के अधिवेशन में @Gyasuddin_INC जी
📍 अहमदाबाद, गुजरात pic.twitter.com/RyS8gB1cQU
ગાંધીનગરની ગાદી સુધી પહોંચવા પથ તૈયાર કરાયો છે : જયરામ રમેશ
April 9, 2025 3:04 pm
કોંગ્રેસનાં અધિવેશનમાં નેતા જયરામ રમેશનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં સત્તા મેળવવા માટે કોંગ્રેસે નવી રણનીતિ ઘડી છે અને ગાંધીનગરની ગાદી સુધી પહોંચવા પથ તૈયાર કરાયો છે. તેમણે કહ્યું કે, દેશને શ્વેત ક્રાંતિ કોંગ્રેસે આપી, જે દેશમાં રોશન થઇ. ગુજરાતની હાલત હાલ ખુબ જ ખરાબ થઇ ગઇ છે. ગુજરાતમાં ઉદ્યોગો પર ગ્રહણ લાગી ગયું, ગુજરાતમાં બ્રિજ પડી રહ્યા છે, લોકો મરી રહ્યા છે, સરકારી પરીક્ષાઓમાં પેપરલીક થઇ રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, પાક વીમા પોલિસી ગુજરાતમાં ચિંતાનો વિષય છે. અમારી સરકાર બનશે તો ખેડૂતોને MSP નો અધિકાર આપવામાં આવશે. ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરીને કાયમી નોકરી આપીશું.
ગુજરાતમાં અધિવેશન આવનાર સમયમાં નવા પ્રાણ ફૂંકશે: હેમાંગ રાવલ
April 9, 2025 2:37 pm
ગુજરાતમાં અધિવેશન આવનાર સમયમાં નવા પ્રાણ ફૂંકશે: હેમાંગ રાવલ કોંગ્રેસના અધિવેશન અંગે પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ગુજરાતમાં અધિવેશન આવનાર સમયમાં નવા પ્રાણ ફૂંકશે. રાષ્ટ્રીય અધિવેશનમાં તમામ કાર્યકર્તામાં ભારે ઉત્સાહ હતો. તેમજ આવનારો સમય હવે કોંગ્રેસનો હશે. જિલ્લા પ્રમુખો સાથે મળી ઉમેદવારોની પસંદગીનો નિર્ણય યોગ્ય છે. તેમજ અનેક કામો અંગે પ્રસ્તાવો રાખવામાં આવ્યા છે.
આજે દેશમાં જે રીતે ભેદભાવનું રાજકારણ ચાલી રહ્યું છે
April 9, 2025 2:05 pm
આજે દેશમાં જે રીતે ભેદભાવનું રાજકારણ ચાલી રહ્યું છે હું કાશીની ભૂમિથી આવું છું, જે ગંગા-જમુનાની સંસ્કૃતિનું ઉદાહરણ છે, જે સમગ્ર વિશ્વને પરસ્પર ભાઈચારો અને પ્રેમનો સંદેશ આપે છે. પરંતુ આજે દેશમાં જે રીતે ભેદભાવનું રાજકારણ ચાલી રહ્યું છે, મારા જેવા કોંગ્રેસના કાર્યકરો તેની સામે મજબૂત રીતે ઉભા રહેશે અને લોકોમાં ભાગલા પડવા દેશે નહીં. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા નામની કોઈ વસ્તુ બાકી નથી. યુપીમાં, જ્યાં ભાજપની સરકાર છે, ત્યાં અત્યાચાર અને અન્યાય થઈ રહ્યો છે, પરંતુ આપણે બધા તે અન્યાય સામે લડી રહ્યા છીએ. અમે કોઈનો અવાજ દબાવવા દઈશું નહીં. અંતે, હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે- ક્રાંતિની ઇચ્છા આપણા હૃદયમાં છે ચાલો જોઈએ કે ખૂનીના હાથમાં કેટલી તાકાત છે : @INCUttarPradeshPresident @kashikirai AICC સત્રમાં
मैं काशी की धरती से आता हूं, जो गंगा-जमुनी तहज़ीब की मिसाल है, जो पूरी दुनिया को आपसी भाईचारे और प्यार का संदेश देती है।
— Congress (@INCIndia) April 9, 2025
लेकिन आज देश में जिस तरह से भेदभाव की राजनीति जारी है, उसके खिलाफ मेरे जैसे कांग्रेस के कार्यकर्ता पूरी मजबूती से खड़े होंगे और लोगों के बीच बंटवारा नहीं… pic.twitter.com/Mc1r7hEGAW
કોંગ્રેસ દેશમાંથી અન્યાયનો અંત લાવશે અને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય લાવશે : કનૈયાકુમાર
April 9, 2025 1:30 pm
આજે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે અમે AICC સત્રમાં હાજરી આપી રહ્યા છીએ. અમે ગુજરાતમાં AICC સત્રનું આયોજન કરી રહ્યા છીએ કારણ કે ગુજરાત સ્વતંત્રતા ચળવળનું મૂળ છે. આ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર પટેલજી, દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ છે, તે તેમની કર્મભૂમિ છે. આજે કેટલીક એવી શક્તિઓ સત્તામાં છે, જેમણે સ્વતંત્રતા ચળવળમાં કોઈ ભાગ લીધો ન હતો, પરંતુ આજે તેઓ બંધારણનો નાશ કરવા પર તત્પર છે. કોંગ્રેસ દેશમાંથી અન્યાયનો અંત લાવશે અને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય લાવશે. : AICC સત્રમાં NSUIના પ્રભારી કનૈયાકુમાર
आज हमारे लिए बहुत गर्व का विषय है कि हम लोग AICC के सेशन में शामिल हो रहे हैं।
— Congress (@INCIndia) April 9, 2025
हम गुजरात में AICC सेशन इसलिए कर रहे हैं क्योंकि गुजरात स्वतंत्रता आंदोलन की जड़ है। यह हमारे राष्ट्रपिता महात्मा गांधी, सरदार पटेल जी, दादाभाई नौरोजी का जन्म स्थान है, उनकी कर्मभूमि है।
आज कुछ ऐसी… pic.twitter.com/Vq9BqxYtnh
MP, MLA બનવા કરતા ગાંધી અને સરદાર બનવાનો સમય : કનૈયા કુમાર
April 9, 2025 12:44 pm
MP, MLA બનવા કરતા ગાંધી અને સરદાર બનવાનો સમય : કનૈયા કુમાર રાષ્ટ્રીય અધિવેશનમાં કનૈયા કુમારનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે કોંગ્રેસે પોતાના મૂળિયા મજબૂત કરવાની જરૂર છે. કોંગ્રેસની જવાબદારી દેશને બચાવવાની છે. જેમણે બંધારણ બનાવ્યું, તેમને જ બચાવવું પડશે. ન્યાયના પથ પર ચાલીને જ આપણે દેશને બચાવી શકીશું. MP, MLA બનવા કરતા ગાંધી અને સરદાર બનવાનો સમય છે.
સત્તાના સિંહાસન પર બેઠેલા લોકોને એમના જ ઘરમાં હરાવવાની ચેલેન્જ પૂર્ણ કરવાની છે : રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી
April 9, 2025 12:12 pm
સત્તાના સિંહાસન પર બેઠેલા લોકોને એમના જ ઘરમાં હરાવવાની ચેલેન્જ પૂર્ણ કરવાની છે : રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ગોડસેના યુગમાં હું ગાંધીની વિચારધારાની વાત કરું છું. આ લડત પણ અંગ્રેજો સામેની સ્વતંત્રતા લડત જેવી જ છે. ત્યારની લડતનું નેતૃત્વ ગાંધીજી કરતા હતા, અત્યારની લડતનું નેતૃત્વ રાહુલ ગાંધી કરી રહ્યા છે. સત્તાના સિંહાસન પર બેઠેલા લોકોને એમના જ ઘરમાં હરાવવાની ચેલેન્જ પૂર્ણ કરવાની છે.
2027માં કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં સરકાર બનાવશે : સાંસદ ગેનીબેન ઠાકોર
April 9, 2025 12:06 pm
2027માં કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં સરકાર બનાવશે : ગેનીબેન ઠાકોર સાંસદ શશિ થરૂરે પ્રસ્તાવને સમર્થન આપ્યું તેમને હું પણ સમર્થન આપી રહી છું. ગુજરાતમાં સૌથી વધુ કુપોષિત લોકો છે. ગુજરાતમાં હજુ પણ કુપોષિત બાળકો જન્મે છે. ભાજપ રાજકીય પક્ષ નહીં પણ તે ખાનગી પાર્ટી છે. ગુજરાતમાં મહિલાઓ પર દિવસે દિવસે ક્રાઈમ જે વધી રહ્યો છે તેના પર સરકાર કોઈ કામ નથી કરતી. 2027માં કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં સરકાર બનાવશે : ગેનીબેન ઠાકોર સાંસદ
કોંગ્રેસના અધિવેશનમાં ગુજરાત સરકાર પર વરસ્યા ગેનીબેન
— Gujarat First (@GujaratFirst) April 9, 2025
ગેનીબેન ઠાકોરે ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર
ગુજરાત મોડલની ખાલી વાતો જ થાય છે: ગેનીબેન
ગુજરાતમાં હજુ પણ કુપોષિત બાળકો જન્મે છે: ગેનીબેન
મહિલાઓ પર અત્યાચાર વધ્યા, કોઇ પગલાં નથી લેવાતા: ગેનીબેન@GenibenThakor @INCGujarat @INCIndia… pic.twitter.com/KQaPemLJzF
રાજકીય વિજય પ્રાપ્ત કરવા સંઘર્ષ કરવો જ પડશે : સચિન પાયલોટ
April 9, 2025 11:57 am
રાજકીય વિજય પ્રાપ્ત કરવા સંઘર્ષ કરવો જ પડશે : સચિન પાયલોટ સચિન પાયલોટે પ્રથમ પ્રસ્તાવ રજૂ કરવા આવ્યા છે. તેમાં ન્યાય પથ નામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં મોંઘવારી અને આર્થિક અસમાનતા ફેલાઈ છે. કોંગ્રેસનું રાષ્ટ્રવાદ ભારતને જોડવાની છે ભાજપ તોડવાનું કામ કરે છે. ભાજપ ઘમંડ સાથે કોંગ્રેસ મુક્ત કરવાની વાત કરે છે. 400 પારનો નારો આપનારને ટેકા વાળી સરકાર બનાવવા મજબૂર થયા છે. ભાજપે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપીશું પણ તે હજુ નથી થઈ શક્યું. અમારો એક જ નારો છે નફરત છોડો ભારત જોડો. મણિપુરના મહિલાઓ પર અત્યાચાર થયા અને કુસ્તીબાજને આંદોલનો પણ કરવા પડ્યા છે. મનમોહન સિંહની સરકારમાં 17 % લોકોને ગરીબી રેખાથી ઉપર લાવામાં આવ્યા હતા. કર્ણાટકમાં નિર્ણય લેવામાં આવ્યો કે 2025નું વર્ષ એ સંગઠનનું વર્ષ હશે. મોદીજીની સામે લડવા એક જૂથ થવું એ ખૂબ જરૂરી છે. રાજકીય વિજય પ્રાપ્ત કરવા સંઘર્ષ કરવો જ પડશે.
આ વખતનું અધિવેશન ઇતિહાસ બનાવશે
April 9, 2025 11:56 am
Congress Adhiveshan Gujarat : "આ વખતનું અધિવેશન ઇતિહાસ બનાવશે" જાણો કોણે કહ્યું આ...
Congress Adhiveshan Gujarat : "આ વખતનું અધિવેશન ઇતિહાસ બનાવશે" । Gujarat First@ashokgehlot51 @INCGujarat @RahulGandhi #CongressNationalConvention #Ahmedabad #CongressAdhiveshanGujarat #AhmedabadCongressAdhiveshan #gujaratfirst #congressadhiveshan #congressconvention pic.twitter.com/bgR9DFAIEc
— Gujarat First (@GujaratFirst) April 9, 2025
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભાજપ પર વરસ્યા
April 9, 2025 11:55 am
Ahmedabad Congress Adhiveshan : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભાજપ પર વરસ્યા
Ahmedabad Congress Adhiveshan : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભાજપ પર વરસ્યા । Gujarat First@INCGujarat @RahulGandhi @kharge #Ahmedabad #CongressAdhiveshanGujarat #AhmedabadCongressAdhiveshan #gujaratfirst #congressadhiveshan #congressconvention pic.twitter.com/bVrDRsmmUm
— Gujarat First (@GujaratFirst) April 9, 2025
છેલ્લા 11 વર્ષથી શાસક પક્ષ બંધારણ પર હુમલો કરી રહ્યો છે : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે
April 9, 2025 11:32 am
છેલ્લા 11 વર્ષથી શાસક પક્ષ બંધારણ પર હુમલો કરી રહ્યો છે : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે છેલ્લા 11 વર્ષથી શાસક પક્ષ બંધારણ પર હુમલો કરી રહ્યો છે. આપણા બંધારણીય મૂલ્યો, બંધારણીય જોગવાઈઓ, બંધારણીય સંસ્થાઓ પર સતત હુમલા થઈ રહ્યા છે અને આને રોકવું જરૂરી છે. સંસદના તાજેતરના બજેટ સત્રમાં, સરકારે ગૃહને મનસ્વી રીતે ચલાવ્યું. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ગૃહમાં બોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી. લોકશાહીમાં આ શરમજનક વાત છે. આ વર્તમાન સરકાર કઈ માનસિકતા સાથે કામ કરી રહી છે તે દર્શાવે છે, તેથી આપણે અવાજ ઉઠાવવો મહત્વપૂર્ણ છે કારણ કે આજે જે થઈ રહ્યું છે તે પહેલાં ક્યારેય બન્યું નથી - કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે
पिछले 11 वर्ष में सत्ताधारी दल संविधान पर चोट कर रहा है। हमारे संवैधानिक मूल्यों, संवैधानिक प्रावधानों, संवैधानिक संस्थाओं पर लगातार हमला हो रहा है और इसको रोकना जरूरी है।
— Congress (@INCIndia) April 9, 2025
हाल में हुए संसद के बजट सत्र में सरकार ने मनमाने तरीके से सदन चलाया। सदन में नेता विपक्ष राहुल गांधी जी को… pic.twitter.com/0n0d9c5Ze0
આવનારા સમયમાં દેશના યુવાનો ઉભા થઈને કહેશે કે અમને EVM નથી જોઈતું. - કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે
April 9, 2025 11:27 am
આવનારા સમયમાં દેશના યુવાનો ઉભા થઈને કહેશે કે અમને EVM નથી જોઈતું. - કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વિશ્વભરના વિકસિત દેશોએ EVMનો ત્યાગ કર્યો છે અને બેલેટ પેપર તરફ આગળ વધ્યા છે. વિશ્વના ઘણા દેશો EVMનો ઉપયોગ નથી કરી રહ્યા, પરંતુ આપણે EVM પર નિર્ભર છીએ. આ બધું છેતરપિંડી છે. સરકારે એવી પદ્ધતિઓ શોધી કાઢી છે જેનો ફાયદો ફક્ત તેમને જ થઈ રહ્યો છે, પરંતુ આવનારા સમયમાં દેશના યુવાનો ઉભા થઈને કહેશે કે અમને EVM નથી જોઈતું. - કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે
पूरी दुनिया के विकसित देश EVM को छोड़कर बैलेट पेपर की तरफ चले गए हैं।
— Congress (@INCIndia) April 9, 2025
दुनिया में तमाम देश EVM का इस्तेमाल नहीं कर रहे हैं, लेकिन हम EVM पर निर्भर हैं।
ये सब फ्रॉड है।
सरकार ने ऐसे तरीके ईजाद कर लिए हैं, जिससे सिर्फ उन्हें ही फायदा मिल रहा है, लेकिन आने वाले समय में देश के… pic.twitter.com/wwlfib0w0o
અમદાવાદ અમારા માટે તીર્થસ્થળ જેવું છે : એઆઈસીસી અધિવેશનમાં, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે
April 9, 2025 11:24 am
અમદાવાદ અમારા માટે તીર્થસ્થળ જેવું છે : એઆઈસીસી અધિવેશનમાં, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના 140 વર્ષના ઇતિહાસમાં 86 સત્રો થયા. આમાંથી 6 સંમેલનો ગુજરાતની ધરતી પર યોજાયા હતા, જેમાંથી 3 અમદાવાદ શહેરમાં યોજાયા હતા. અમદાવાદ અમારા માટે તીર્થસ્થળ જેવું છે. અહીં સાબરમતી આશ્રમ, સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક છે. આ સત્ર મહાત્મા ગાંધીના કોંગ્રેસ પ્રમુખ બનવાની શતાબ્દી અને સરદાર પટેલની 150મી જન્મજયંતિને સમર્પિત છે. 26 ડિસેમ્બરે બેલગામમાં, અમે જાહેરાત કરી હતી કે અમારું આગામી સંમેલન ગુજરાતમાં યોજાશે. મહાત્મા ગાંધીએ માત્ર દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો અને આ રીતે તેમને આઝાદી પણ મળી. દુનિયાભરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ છે અને ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવી છે. આ બતાવે છે કે તેમના સિદ્ધાંતો તેમના માટે કેટલો આદર ધરાવે છે. કોંગ્રેસના નિર્માણમાં ગુજરાતે અમૂલ્ય યોગદાન આપ્યું છે. અહીં જન્મેલા ત્રણ મહાન વ્યક્તિઓ - દાદાભાઈ નવરોજી, મહાત્મા ગાંધીજી, સરદાર પટેલજી - એ પોતાનું અને કોંગ્રેસનું નામ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત કર્યું છે. તે બધા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રહી ચૂક્યા છે. : એઆઈસીસી અધિવેશનમાં, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે
जय हिंद 🇮🇳
— Congress (@INCIndia) April 9, 2025
📍 अहमदाबाद, गुजरात pic.twitter.com/vbaQtd4cX7
શોક પ્રસ્તાવ
April 9, 2025 10:29 am
શોક પ્રસ્તાવ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધિવેશનમાં, અમે રાયપુર સંમેલન પછી અવસાન પામેલા કોંગ્રેસ નેતાઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ : ગુજરાતના પ્રભારી મહામંત્રી @MukulWasnik
शोक प्रस्ताव
— Congress (@INCIndia) April 9, 2025
अखिल भारतीय कांग्रेस कमेटी के अधिवेशन में हम रायपुर महाधिवेशन के बाद दिवंगत हुए कांग्रेस नेताओं के प्रति श्रद्धांजलि अर्पित करते हैं।
: गुजरात के प्रभारी महासचिव @MukulWasnik जी
📍 अहमदाबाद, गुजरात pic.twitter.com/McIyuMcmTr
કોંગ્રેસનો આત્મા ગુજરાતમાં વસે છે : આદિવાસી કોંગ્રેસ પ્રમુખ વિક્રાંત ભુરીયા
April 9, 2025 10:26 am
કોંગ્રેસનો આત્મા ગુજરાતમાં વસે છે : આદિવાસી કોંગ્રેસ પ્રમુખ વિક્રાંત ભુરીયા દેશના યુવાનો બેરોજગારી અને મોંઘવારીથી પરેશાન છે. આજે જે પ્રકારનો જુલમ અને શોષણ થઈ રહ્યું છે તે ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી. દેશમાં દલિતો, આદિવાસીઓ, પછાત અને લઘુમતી લોકો પ્રત્યે 'ન્યાય' હોવો જોઈએ. આ સત્રનું નામ 'ન્યાયપથ' છે, તેથી આપણે મહાત્મા ગાંધી, નેહરુજી અને સરદાર પટેલના માર્ગ પર ચાલીને દેશ અને પાર્ટીને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું. કોંગ્રેસનો આત્મા ગુજરાતમાં વસે છે. હવે, આ સંમેલન અહીંથી શરૂ થયું છે, તેથી તે ચોક્કસપણે સફળ થશે. અહીંથી દરેક વ્યક્તિમાં એક ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે અને આમાંથી એક નવી ક્રાંતિનો જન્મ થશે : આદિવાસી કોંગ્રેસ પ્રમુખ વિક્રાંત ભુરીયા
देश का युवा बेरोजगारी, महंगाई से परेशान है। आज जिस तरह का अत्याचार और शोषण हो रहा है, वैसा इतिहास में कभी नहीं हुआ।
— Congress (@INCIndia) April 9, 2025
देश में दलित, आदिवासी, पिछड़े, अल्पसंख्यक लोगों के साथ 'न्याय' होना चाहिए।
इस अधिवेशन का नाम 'न्यायपथ' है, इसलिए हम महात्मा गांधी जी नेहरु जी, सरदार पटेल जी के… pic.twitter.com/a2RCxwbRJS
વોટ્સએપ યુનિવર્સિટી વાળા બાપુના નામે પણ ભ્રમણા ફેલાવે છે : શક્તિસિંહ
April 9, 2025 10:15 am
વોટ્સએપ યુનિવર્સિટી વાળા બાપુના નામે પણ ભ્રમણા ફેલાવે છે : શક્તિસિંહ સરદાર પટેલની જન્મ જયંતિ પર ઐતિહાસિક ક્ષણ ગુજરાતમાં અધિવેશન કરવા બદલ આભાર. અંગ્રેજોની લાઠી અને ગોળીઓ સામે અમે લડ્યા હતા. 30 વર્ષથી ભલે અમે સત્તામાં નથી પણ રાહુલજી કહે છે કે કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે. એક બે નેતા છે જેઓ ડર અને લાલચના માર્યા વેચાઈ ગયા અને પક્ષ બદલ્યો છે. ગુજરાતીઓનો ધન્યવાદ માનું છું કે લોકતંત્રમાં જે નથી ઉચિત તે થાય છતાં કોંગ્રેસને પ્રજા મત આપે છે. મહાત્મા ગાંધીજી હરિજન અખબારમાં આર્ટિકલ લખતા હતા. ગાંધી હેરિટેજ પોર્ટલ પર હરિજનના અંકો લખેલા છે, વોલ્યુમ 90 માં લખ્યું છે કોંગ્રેસ પોઝિશન. અહીંસાથી લડેલી કોંગ્રેસ પાર્ટીને મરવા ના દેવી જોઈએ. વોટ્સએપ યુનિવર્સિટી વાળા બાપુના નામે પણ ભ્રમણા ફેલાવે છે : શક્તિસિંહ
सरदार पटेल जी आजीवन एक ही विचारधारा से जुड़े रहे।
— Congress (@INCIndia) April 9, 2025
लेकिन जब गुजरात में सरदार पटेल जी के नाम पर स्टेडियम बना तो उसका नाम बदलकर नरेंद्र मोदी स्टेडियम कर दिया गया।
देश की जनता समझदार है। पब्लिक सब जानती है कि सरदार पटेल जी को कौन मानता है और कौन नहीं।
: गुजरात प्रदेश कांग्रेस… pic.twitter.com/e3Nlx77JND
કોંગ્રેસ હંમેશા બંધારણના માર્ગે ચાલી છે : પવન ખેરા
April 9, 2025 10:09 am
કોંગ્રેસ હંમેશા બંધારણના માર્ગે ચાલી છે : પવન ખેરા કોંગ્રેસ હંમેશા બંધારણના માર્ગે ચાલી છે અને હંમેશા ચાલશે. ભાજપ શરૂઆતથી જ બંધારણની વિરુદ્ધ રહ્યું છે અને આજે પણ તેની વિરુદ્ધ છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નેહરુ અને મૌલાના આઝાદના વિચારોને કારણે દેશને આઝાદી મળી. દેશને તેમના બતાવેલા માર્ગથી દિશા મળી છે અને ભવિષ્યમાં પણ મળશે. - : એઆઈસીસી, મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેરા
कांग्रेस हमेशा से संविधान की रास्ते पर चली है और हमेशा चलेगी। BJP शुरू से ही संविधान के खिलाफ रही और आज भी खिलाफ है।
— Congress (@INCIndia) April 9, 2025
महात्मा गांधी जी, सरदार पटेल जी, जवाहरलाल नेहरू जी और मौलाना आजाद जी के विचारों से देश को आजादी मिली है। इन्हीं के दिखाए रास्ते से देश को दिशा मिली है, आगे भी… pic.twitter.com/MAPXWO30y2
અમદાવાદમાં 103 વર્ષ બાદ અધિવેશન યોજાઈ રહ્યું છે
April 9, 2025 8:18 am
અમદાવાદમાં 103 વર્ષ બાદ અધિવેશન યોજાઈ રહ્યું છે કોંગ્રેસનું આજે રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યું છે. જેમાં અમદાવાદમાં 103 વર્ષ બાદ અધિવેશન યોજાઈ રહ્યું છે. ગુજરાતમાં 64 વર્ષ બાદ અધિવેશન થયુ છે. ન્યાય પથ સંઘર્ષ સંકલ્પ અને સમર્પણની થીમ પર અધિવેશનનું આયોજન છે. દેશભરના કોંગ્રેસના નેતાઓ અધિવેશનમાં ઉપસ્થિત રહ્યાં છે.
Hon'ble Congress President Shri @kharge hoists the national flag, accompanied by CPP Chairperson Smt. Sonia Gandhi ji, Leader of Opposition Shri @RahulGandhi, and extended CWC members.
— Congress (@INCIndia) April 9, 2025
Jai Hind 🇮🇳
📍 Ahmedabad, Gujarat pic.twitter.com/h5e3EeyiDh
સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની CWC ની બેઠકમાં હાજર રહેલા લોકોની તસવીર
April 9, 2025 8:18 am
અમદાવાદનાં (Ahmedabad) સાબરમતી તટ નજીક આવેલા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની CWC ની બેઠક (Congress' CWC Meeting) મળી હતી. આ બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત કરવા, આવનાર ચૂંટણીઓ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બેઠકમાં જુઓ કોણ કોણ હાજર રહ્યું હતુ.
Our beloved Congress! ❤️ pic.twitter.com/L6qJMDeiCx
— K C Venugopal (@kcvenugopalmp) April 8, 2025
અમદાવાદમાં સાબરમતીના તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
April 9, 2025 8:05 am
અમદાવાદમાં સાબરમતીના તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે. જેમાં 3000 નેતા-કાર્યકર્તાઓ પાર્ટીના એજન્ડા પર ચર્ચા કરશે, ત્યારે ગુજરાત કોંગ્રેસને લઈ મોટો નિર્ણય થઈ શકે છે. અમદાવાદમાં કોંગ્રેસની બેઠકના બીજા દિવસે આ સત્ર યોજાઇ રહ્યું છે. રાષ્ટ્રીય સંમેલન આજે 9 એપ્રિલના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે શરૂ થશે.