Jharkhand થી એક ચોકાવનારી ઘટના સામે આવી, સુલતાનાણી પીડા તમને રડાવી દેશે...
ઝારખંડ (Jharkhand)ના કોડરમામાં એક વિધવા મુસ્લિમ મહિલાએ બાળકોના ઉછેર માટે હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા. દીકરીના આ નિર્ણયથી પરિવારને કોઈ વાંધો નહોતો. પરંતુ, એક વ્યક્તિ એવી હતી જે આનાથી નાખુશ હતી. લગ્ન સમયે તેણે તેને ધમકી પણ આપી હતી. ત્યારે કોઈએ બહુ ધ્યાન ન આપ્યું. પરંતુ, મહિલાને ખબર ન હતી કે તે ધમકી એક દિવસ તેનું સુસ્થાપિત ઘર નાશ કરશે અને આ કામ તેના મામા દ્વારા કરવામાં આવશે.
ઝારખંડ (Jharkhand) કોડરમાના ડોમચાંચની રહેવાસી સુલતાનાની આ દર્દનાક કહાની છે. પતિના અવસાન બાદ 3 વર્ષ સુધી વિધવા રહેનાર સુલતાનાએ પોતાના બે બાળકોના ઉછેર માટે ઘનશ્યામ દાસ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેણે કોર્ટ મેરેજ પણ કર્યા હતા. લગ્નના 10 મહિના સુધી બધું બરાબર ચાલ્યું.
'મામા સુલેમાન હિન્દુ છોકરા સાથે લગ્ન કરવાથી નારાજ હતા'
દરમિયાન 13 ડિસેમ્બરે પતિની હત્યા કરવામાં આવી હતી. આરોપ છે કે આ ઘટનાને તેના મામા સુલેમાને અંજામ આપ્યો હતો. પતિની હત્યાના કેસમાં ન્યાય મેળવવા સુલતાન પોલીસ સ્ટેશનથી એસપી ઓફિસના ચક્કર લગાવીને ન્યાયની આજીજી કરી રહી છે. સુલતાના કહે છે કે, મુસ્લિમ હોવાને કારણે, એક હિન્દુ છોકરા સાથે લગ્ન કરવાનું ગામલોકોને અને ખાસ કરીને તેના મામા સુલેમાનને અણગમતું હતું. 13 ડિસેમ્બરે સુલેમાને તેના પતિને ઝેર ભેળવીને દારૂ પીવડાવ્યો હતો. આ તેમના મૃત્યુનું કારણ હતું. બિન-મુસ્લિમ છોકરા સાથે તેના બીજા લગ્ન સામે પરિવારને કોઈ વાંધો નહોતો. તેની માતાની સંમતિથી તેણે ઘનશ્યામ દાસ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.
'લગ્ન સમયે સુલેમાને આપેલી ધમકી વાસ્તવિકતા બની'
સુલતાનાની માતા કહે છે કે, સુલેમાનને એ વાત પસંદ ન હતી કે સુલતાના કોઈ હિન્દુ છોકરા સાથે લગ્ન કરે. બીજા લગ્ન પછી 10 મહિના સુધી બધું બરાબર ચાલ્યું. પરંતુ, લગ્ન સમયે સુલેમાને આપેલી ધમકી હવે હકીકતમાં ફેરવાઈ ગઈ છે. સુલતાનાના બીજા પતિના મૃત્યુ બાદ તેના નિવેદન પર ડોમચાંચ પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. એસડીપીઓના નેતૃત્વમાં તપાસ ચાલી રહી છે. એસપી અનુદીપ સિંહે કહ્યું કે રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. તપાસ અને કાર્યવાહીની ખાતરી વચ્ચે, સુલતાના દરેક જગ્યાએ ન્યાય માટે વિનંતી કરી રહી છે. 13 ડિસેમ્બરે તેના પતિના મૃત્યુ બાદ 14 ડિસેમ્બરે હત્યાના કેસમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આ મામલે પોલીસની કાર્યવાહી એક ઇંચ પણ આગળ વધી નથી.
આ પણ વાંચો : Loksabha Election : ભાજપ 450 થી વધુ બેઠકો જીતી શકે છે, આ રાજ્યના CM એ દાવો કર્યો છે…