Jharkhand : PM મોદીએ 6 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, કહ્યું- ઝારખંડના વિકાસ માટે પ્રતિબદ્ધ
- 21,000 કરોડના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
- PM ની ઝારખંડ મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી
- PM મોદીએ ઝારખંડમાં 6 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી
PM નરેન્દ્ર મોદીએ રવિવારે ઝારખંડ (Jharkhand)માં 6 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી. આ પહેલા PM મોદીની જમશેદપુરની મુલાકાત હતી, જે રદ કરવામાં આવી છે. આ પછી તેમણે રાંચી એરપોર્ટ પરથી જ ઓનલાઈન વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. ભારે વરસાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કારણોસર રોડ શો પણ રદ કરવામાં આવ્યો હતો. PM મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ઝારખંડ (Jharkhand)ના ઝડપી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
21,000 કરોડના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ...
PM મોદીએ આજે ઝારખંડ (Jharkhand)માં 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ઉપરાંત તેમણે રૂ. 21,000 કરોડની વિવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યા છે. PM ની ઝારખંડ (Jharkhand) મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. PM મોદી ઝારખંડ (Jharkhand)માં લગભગ 6 કલાક રોકાશે. PM મોદીની સુરક્ષા માટે 3 હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
PM Modiએ ટાટાનગર-પટના Vande bharat Trainને લીલી ઝંડી બતાવી | Gujarat First
PM મોદીએ ઝારખંડના ટાટાનગર જંકશન રેલ્વે સ્ટેશન પર ટાટાનગર-પટના વંદે ભારત ટ્રેનને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી.@narendramodi #PMModi #VandeBharatExpress #TatanagarStation #TatanagarPatnaVandeBharat… pic.twitter.com/dg7eeJYTe6— Gujarat First (@GujaratFirst) September 15, 2024
આ પણ વાંચો : Bihar Fire : Patna ની એક પ્રખ્યાત હોટલમાં લાગી ભીષણ આગ, ફાયરની પાંચ ગાડીઓ ઘટના સ્થળે
ઝારખંડના વિકાસ માટે પ્રતિબદ્ધ - PM મોદી
ઝારખંડ (Jharkhand) જતા પહેલા PM મોદીએ X પર એક પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું, અમે ઝારખંડ (Jharkhand)ના ઝડપી વિકાસ માટે સંકલ્પબદ્ધ છીએ. આજે સવારે લગભગ 10 વાગ્યે, ટાટાનગરમાં 6 'વંદે ભારત' ટ્રેનોને લીલી ઝંડી ફરકાવવાની સાથે અન્ય ઘણી પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાનો લહાવો મળશે. આ ઉપરાંત, હું PM આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓ સંબંધિત કાર્યક્રમનો પણ ભાગ બનીશ.
આ પણ વાંચો : Kerela Accident : પાટા ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવતા 3 મહિલાનાં મોત
આ રૂટ પર નવી વંદે ભારત ટ્રેનો દોડશે...
PM મોદીએ લીલી ઝંડી બતાવેલી વંદે ભારત ટ્રેન બેરહમપુર-ટાટા, રાઉરકેલા-હાવડા, દેવઘર-બનારસ, હાવડા-ગયા અને હાવડા-ભાગલપુર વચ્ચે દોડશે.
આ પણ વાંચો : Rajasthan : બુંદીમાં ભયાનક માર્ગ અકસ્માત, છ લોકો મોત...