Ishkon Bridge : ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ જવાનની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુરેન્દ્રનગરના એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકના મોત થયાં છે. ટ્રાફિક-પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમારના મૃતદેહને વતન ચુડામાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમયાત્રા નીકળતાં આખું ગામ હીબકે ચડ્યું હતું. ત્યારે અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પોલીસકર્મી જોડાયા હતા
અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયાં
અમદાવાદ ટ્રાફિક-પોલીસમાં ફરજ બજાવી રહેલા ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના રહેવાસી હતા, જેમના મૃતદેહને વતન ચુડા ખાતે લાવવામાં આવ્યો હતો. તેમની અંતિમયાત્રામાં પરિવારજનો અને પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
બોટાદમાં બે યુવકની અંતિમયાત્રા નીકળતાં પરિવારનું હૈયાફાટ રુદન
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં મોતને ભેટેલા 9 લોકોમાં યુવક બોટાદના હતા. બંને યુવકના મૃતદેહ માદરે વતન આવતાં આખું ગામ હીબકે ચડ્યું હતું. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. લોકો દ્વારા એમ્બ્યુલન્સમાંથી બંને યુવક રોનક અને અક્ષર પટેલ મૃતદેહને બહાર કાઢી ઘરમાં લઈ જવામાં આવ્યા હતા, જે જોઈ લોકો પોતાની આંખમાંથી આંસુ રોકી શક્યા નહોતા. બંનેનાં માતા-પિતાએ પોતાના વહાલસોયાને સફેદ ચાદરમાં લપેટાયેલા જોઈ હૈયાફાટ રુદન શરૂ કર્યું હતું. જે દીકરાનો 23 થી વધુ વર્ષ સુધી વહાલથી ઉછેર્યો હતો તેના પાર્થિવદેહને જોઈ માતા-પિતા પર આભ ફાટ્યું હતું.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવાયો છે.. પોલીસ તથ્ય પટેલને લઇને રવાના થઇ ગઇ છે, મહત્વપૂર્ણ છે કે 9 જિંદગીઓનો ભોગ લેનાર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ પર ટોળાનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને લોકોએ તથ્યને મેથીપાક ચખાડ્યો હતો.. જે બાદ સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.. જો કે હવે તેને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી સરખેજ પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો, જ્યાં પોલીસ સ્ટેશનમાં તથ્યએ આ નફ્ફટાઇભર્યુ નિવેદન આપ્યુ હતું
અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ
અકસ્માતમાં ટ્રાફિક પોલીસ કર્મીનું થયું મોત
ધર્મેન્દ્રસિંહ પરમાર સુરેન્દ્રનગરના ચૂડાના વતની
ચૂડા ખાતે ટ્રાફિક પોલીસ કર્મીની અંતિમયાત્રા
ગાર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમવિધિ
અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પોલીસકર્મી જોડાયા… pic.twitter.com/8BjM1rM5B6— Gujarat First (@GujaratFirst) July 20, 2023
અમદાવાદના સરખેજ-ગાંધીનગર (SG) હાઈવે પર આવેલા ઈસ્કોન ફ્લાયઓવર પર રોડ અકસ્માત નિહાળતા લોકો એક જેગુઆરની અડફેટે આવી ગયા હતા. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 13 લોકો ઘાયલ થયા છે. અકસ્માત જોવા આવેલા લોકોને જગુઆર કારે ટક્કર મારી હતી. જેમા બે પોલીસ કર્મચારીઓ સહિત 9 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
આ પણ વાંચો- ઇસ્કોન બ્રિજ અક્સમાત કેસઃ તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત પાંચ લોકોની અટકાયત