Ayodhya : રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ કાર્ડ આપવાનું શરું
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ સંતો અને ઋષિ-મુનિઓને આમંત્રણ મોકલવામાં આવ્યું. આ માટે કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. ચાર હજાર સંતોને...
12:49 PM Dec 02, 2023 IST
|
Vipul Pandya
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ સંતો અને ઋષિ-મુનિઓને આમંત્રણ મોકલવામાં આવ્યું. આ માટે કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
ચાર હજાર સંતોને આમંત્રણ
આ સમારોહમાં દેશની વિવિધ પરંપરાના લગભગ ચાર હજાર સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય દ્વારા આમંત્રણ પત્ર મોકલવામાં આવી રહ્યું છે.
ગર્ભગૃહમાં રામલલાની નવી મૂર્તિનો અભિષેક કરવામાં આવશે
આમંત્રણ પત્રમાં અપીલ કરવામાં આવી રહી છે કે લાંબા સંઘર્ષ બાદ રામ મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરી પોષ શુક્લ દ્વાદશીના રોજ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની નવી મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. અયોધ્યામાં હાજર રહીને આ મહાન પ્રસંગના સાક્ષી બનવાની પ્રબળ ઈચ્છા છે.
સંતોને 21 જાન્યુઆરી પહેલા અયોધ્યા પહોંચવા સૂચના
સંતોને 21 જાન્યુઆરી પહેલા અયોધ્યા આવવાની યોજના બનાવવાની અપીલ કરવામાં આવી રહી છે. જો તમે મોડા પહોંચશો તો તમારે સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે.
સંઘ અને VHP કાર્યકર્તાઓની એક ટીમ સંતોને મળી રહી છે
ટ્રસ્ટ 23 જાન્યુઆરી સુધી અયોધ્યામાં રહેવાની પણ વિનંતી કરી રહ્યું છે. દેશભરના સંતોની સાથે અયોધ્યાથી સંતોને પણ આમંત્રિત કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સંઘ અને VHP કાર્યકર્તાઓની એક ટીમ સંતોને મળી રહી છે અને તેમને આમંત્રણ આપી રહી છે.
Next Article