Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

World Cup 2023 : આ ગ્રહો અપાવશે ભારતને.......! વાંચો અહેવાલ..

આવતીકાલે રવિવારે 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાવાની છે. અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર આઇસીસીની ફાઇનલ મેચ રમાવાની છે અને તે પણ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં...ફાઇનલ મેચને લઇને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ...
01:36 PM Nov 18, 2023 IST | Vipul Pandya

આવતીકાલે રવિવારે 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાવાની છે. અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર આઇસીસીની ફાઇનલ મેચ રમાવાની છે અને તે પણ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં...ફાઇનલ મેચને લઇને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ અને રોમાંચ છે અને ભારત ત્રીજી વાર વિશ્વ કપ વિજેતા બને તે માટે પ્રાર્થના અને દુઆ કરી રહ્યા છે. આવતીકાલે ભારત વિશ્વકપ જીતશે કે કેમ અને કેપ્ટન રોહિત શર્માની કુંડળી કેવી છે તે સહિતના મુદ્દા પર અમે વાત કરી હતી અમદાવાદના જ્યોતિષાચાર્ય દ્વારકેશ શાસ્ત્રી સાથે....

25નો અંક શુભ છે

તેમણે કહ્યું કે તે દિવસનો અંક 25 આવે છે તે આપણા ખેલાડીઓ માટે શુભ કહેવાય છે. એ દિવસ રવિવાર છે અને સાતમ છે. ટોસનો સમય છે ત્યારે સારામાં સારું ચોઘડીયું છે તે સારુ ફળ પ્રદાન કરશે. સ્ટેડિયમમાં વાસ્તુ દોષ નથી અને સ્ટેડિયમમાં ભગવાન ગણેશની સ્થાપના કરાઇ છે તેથી પોઝિટીવ વાતાવરણ છે.

દેશને મોટી સફળતા અપાવે તેવા રોહિતના ગ્રહો

જ્યોતિષાચાર્ય દ્વારકેશ શાસ્ત્રીએ જણાવ્યું કે કેપ્ટન રોહિત શર્માની મુળભૂત રાશી તુલા ભોગવી રહ્યા છે. તેમના જન્મના ગ્રહો પ્રમાણે તેમની રાશી મેશ આવે છે. ઉચ્ચ પ્રકારના ગ્રહોના કારણે તેમને સારી સફળતા અપાવે તેમ છે. જ્યોતિષના પ્રમાણે રોહિત શર્માનો જન્મ 30 એપ્રિલ 1987માં નાગપુર મહારાષ્ટ્રમાં થયો અને તે દિવસે ચંદ્રમાં મેષ રાશીમાં હતા એટલે તેમની રાશી મેષ આવે છે. જ્યોતિષની દ્રષ્ટિએ રોહિત શર્માની કુંડળી ખાસ છે. રોહિતની કુંડળી કર્ક લગ્ન અને મેષ રાશીની છે. લગ્નેશ પ્રથમ ભાવ છે પણ તે દશમા ભાગે બેઠા છે અને તે સ્થાનમાં બુધ અને સુર્ય બેઠા છે. કન્યા કે કેતુ શની પાંચમા શુક્ર એક સાથે નવમા ભાવમાં બેઠા છે. એકાદશ ભાવ વૃષભ છે .સુર્ય બીજા ભાવમાં થઇને દશમા ભાવમાં છે. એટલે બુધાતીત યોગ બને છે. કુંડળીમાં સુર્ય ઉચ્ચ રાશીનો છે. દેશને મોટી સફળતા અપાવે તેવા તેમના ગ્રહો છે.

શુક્ર વિરાટ કોહલીને સફળતા અપાવશે

વિરાટ કોહલીની રાષી વૃષભ છે અને તેનો સ્વામી શુક્ર છે અને તે મનોરંજનકારક ગ્રહ છે અને તે વિરાટ કોહલીને સફળતા અપાવે છે. મોહમ્મદ શમીની રાશીનો સ્વામી સુર્ય છે અને સુર્ય જેનો સ્વામી હોય તેની આત્મશક્તિ મજબૂત હોય છે. વિકટ પરિસ્થિતીમાં તેનું મન સ્થિર હોય છે. શ્રેયસ ઐયરની રાશી કુંભ છે અને તેનો સ્વામી શનિ મહારાજ છે. તે સારી મહેનત કરશે અને શનિ રાશી મંદ ગતિએ જાતકને ફળ આપે છે. શનિ મહારાજ ન્યાયના કારક છે. ભવિષ્યમાં તેને સારી સફળતા મળશે.

તુલા રાશીવાળા ટીમમાં ઘણા ખેલાડી છે જેથી ટીમનું સારું પ્રદર્શન

શુભમન ગીલ સ્ટેબલ વ્યક્તિ છે. તે સારું સ્થાન મેળવશે. રવિન્દ્ર જાડેજાની રાશી તુલા છે અને તુલાના સ્ટાર અત્યારે ખુબ જ સારા છે. તુલા રાશીવાળા ટીમમાં ઘણા ખેલાડી છે જેથી ટીમનું સારું પ્રદર્શન થયું છે. મને લાગે છે કે વિશ્વકપ આપણા દેશમાં જ રહેશે.

આ પણ વાંચો----ICC WORLD CUP 2023 : ફાઇનલ મેચની ટિકીટની કાળાબજારી કરતાં યુવકને અમદાવાદ પોલીસે દબોચી લીધો

Tags :
AhmedabadAustraliaHoroscopeicc world cup 2023IndiaNarendra Modi StadiumRashifalTeam India
Next Article