Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૂણેમાં જન્મેલા, સિમલામાં શિક્ષણ મેળવનાર વર્લ્ડ બેંકના નવા પ્રમુખ બંગાને જો બિડેને પણ કર્યુ હતું સમર્થન

ભારતીય મૂળના અજય બંગા વિશ્વ બેંકના આગામી પ્રમુખ બનશે. વિશ્વ બેંકે પુષ્ટિ કરી છે કે બુધવારે અજય બંગા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. બોર્ડે પાંચ વર્ષની મુદત માટે બંગાના નેતૃત્વને મંજૂર કરવા માટે મત આપ્યા પછી તરત જ પ્રકાશિત થયેલા નિવેદનમાં,...
પૂણેમાં જન્મેલા  સિમલામાં શિક્ષણ મેળવનાર વર્લ્ડ બેંકના નવા પ્રમુખ બંગાને જો બિડેને પણ કર્યુ હતું સમર્થન

ભારતીય મૂળના અજય બંગા વિશ્વ બેંકના આગામી પ્રમુખ બનશે. વિશ્વ બેંકે પુષ્ટિ કરી છે કે બુધવારે અજય બંગા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. બોર્ડે પાંચ વર્ષની મુદત માટે બંગાના નેતૃત્વને મંજૂર કરવા માટે મત આપ્યા પછી તરત જ પ્રકાશિત થયેલા નિવેદનમાં, બેંકે લખ્યું, "વિશ્વ બેંક જૂથ બંગા સાથે કામ કરવા આતુર છે. તેઓ 2 જૂને ડેવિડ માલપાસ પાસેથી આ ભૂમિકા સંભાળશે." માસ્ટરકાર્ડ ઇન્કના ભૂતપૂર્વ CEOને ગયા મહિને પ્રમુખ જો બિડેને સમર્થન આપ્યું હતું. તેમણે બેંકના ચેરમેન પદ માટે અજય બંગાની ઉમેદવારીને ટેકો આપ્યો હતો.

Advertisement

પુણેમાં જન્મ, શિમલાથી ભણતર
વિશ્વ બેંકના પ્રમુખ અને માસ્ટરકાર્ડના ભૂતપૂર્વ સીઈઓ અજય બંગાના સંબંધ શિમલા સાથે છે. પુણેમાં જન્મેલા બંગાએ 70ના દાયકામાં શિમલાની સેન્ટ એડવર્ડ સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેમના પિતા આર્મીમાં ઓફિસર હતા. આ દરમિયાન તેઓ થોડા સમય માટે શિમલામાં પોસ્ટેડ હતા. આ દરમિયાન અજય બંગાને અભ્યાસ માટે સેન્ટ એડવર્ડ સ્કૂલ શિમલામાં દાખલ કરવામાં આવ્યા હતા. આ માત્ર સેન્ટ એડવર્ડ સ્કૂલ માટે જ નહીં પરંતુ શિમલા અને હિમાચલ માટે પણ ગર્વની વાત છે કારણ કે બંગાને વર્લ્ડ બેંકના પ્રમુખ પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે.

Advertisement

વિશ્વ પ્રમુખના ઉમેદવાર તરીકે અજય બંગાને વ્યાપક સમર્થન મળ્યું હતું
63 વર્ષીય અજય બંગાને યુએસ પ્રમુખ જો બિડેને વિશ્વ બેંકના આગામી પ્રમુખ તરીકે નામાંકિત કર્યા હતા. સમર્થનના ખુલ્લા પત્રમાં, 55 વકીલો, શિક્ષણવિદો, અધિકારીઓ, નિવૃત્ત સૈનિકો અને ભૂતપૂર્વ સરકારી અધિકારીઓએ વિશ્વ બેંકના પ્રમુખ પદ માટેના નામાંકનને સમર્થન આપ્યું હતું. બંગાને ટેકો આપનારાઓમાં ઘણા નોબેલ પુરસ્કાર વિજેતા પણ હતા. આમાં ડૉ. જોસેફ સ્ટિગ્લિટ્ઝ (2001માં અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર), ડૉ. માઇકલ સ્પેન્સ (2001માં અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા) અને પ્રોફેસર મુહમ્મદ યુનુસ (2006ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા)ના નામનો સમાવેશ થાય છે.

Advertisement

અહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ 

Tags :
Advertisement

.