ઘમંડી ડ્રેગનને Indian Navy એ શીખવ્યો માનવતાનો પાઠ!, કર્યું એવું કે ચોતરફ થઇ વાહવાહી...
ભારતીય નૌકાદળે (Indian Navy) ફરી એકવાર તેની હિંમત અને માનવતા બતાવી છે. ભારતીય નૌકાદળે (Indian Navy) ઈજાના કારણે દરિયામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ચીની નાવિકનો જીવ બચાવ્યો છે. આ ઘટના ભારતીય નૌકાદળની ત્વરિત કાર્યવાહી અને કાર્યક્ષમતાનો પુરાવો છે. ભારતીય નૌકાદળને એક ઈમરજન્સી મેસેજ મળ્યો કે ચીનના વેપારી જહાજમાં સવાર એક નાવિકની હાલત ગંભીર છે અને તેને તાત્કાલિક તબીબી સહાયની જરૂર છે. ભારતીય નૌકાદળે (Indian Navy) કોઈપણ વિલંબ કર્યા વિના તેની તબીબી ટીમ અને હેલિકોપ્ટર જહાજ તરફ રવાના કર્યા.
ભારતીય નૌકાદળની બહાદુરી...
ભારતીય નૌકાદળ (Indian Navy)ની મેડિકલ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ચીની નાવિકને પ્રાથમિક સારવાર આપી હતી અને તેને સુરક્ષિત રીતે ભારતીય નૌકાદળ (Indian Navy)ના જહાજમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં તેને જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. ચીની નાવિકની સ્થિતિ સ્થિર થયા બાદ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.
#WATCH | The Maritime Rescue Co-ordination Centre (MRCC), Mumbai received a distress call on 23rd July from bulk carrier ZHONG SHAN MEN 200 Nm (approx 370 km) from Mumbai reporting heavy blood loss due to critical injury to a 51-year-old Chinese mariner requesting immediate… pic.twitter.com/JCGzwfsyqp
— ANI (@ANI) July 24, 2024
ભારતીય નૌકાદળની પ્રશંસા...
આ સાહસિક અને માનવતાવાદી પગલા માટે ભારતીય નૌકાદળની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ભારતીય નૌકાદળ (Indian Navy) માત્ર તેના દેશની સુરક્ષામાં જ વ્યસ્ત નથી પરંતુ માનવતાની સેવામાં પણ અગ્રેસર ભૂમિકા ભજવી રહી છે. આ ઘટના દર્શાવે છે કે સંકટ સમયે માનવતા અને સહકાર સર્વોપરી છે.
ભારતીય નૌકાદળની પ્રતિષ્ઠા વધી...
ભારતીય નૌકાદળની આ ત્વરિત અને સફળ કાર્યવાહીથી બંને દેશો વચ્ચે વિશ્વાસ અને સહયોગ પણ વધ્યો છે. ભારતીય નૌકાદળના આ માનવતાવાદી પગલાએ માત્ર એક જીવ બચાવ્યો જ નહીં પરંતુ વૈશ્વિક મંચ પર ભારતીય નૌકાદળની પ્રતિષ્ઠા પણ વધારી.
આ પણ વાંચો : શાંતિથી સાંભળો, તમે એક મહિલા છો..., RJD ની મહિલા MLA પર ગુસ્સે થયા નીતિશ કુમાર Video
આ પણ વાંચો : Nepal Plane Crase : કઈ કંપનીનું હતું પ્લેન, શું હતું કારણ, જુઓ રુઆંટા ઉભા કરે તેવો Video
આ પણ વાંચો : Reservation : નિવૃત્ત અગ્નિવીરોને BSF, CISF અને RPF ની નોકરીઓમાં 10 ટકા અનામત મળશે...