Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Navsari : 'કોંગ્રેસનો કોઈ ડર નથી, આપણા જ આપણને નડે' જાણો કોણે કહ્યું

નવસારીમાં પૂર્વ કેબિનેટ મંત્રીનો જાહેરમાં બળાપો "કોંગ્રેસનો કોઈ ડર નથી આપણા જ આપણને નડે" કોંગ્રેસને આડે લેતા પાર્ટીના કાર્યકરો પર જ વરસ્યા નરેશ પટેલે સ્નેહમિલન કાર્યક્રમમાં ઠાલવી વ્યથા નરેશ પટેલે સ્ટેજ પરથી બોલતા કાર્યક્રમમાં પડ્યો સોપો લોકસભા ચૂંટણીની તૈયારી વચ્ચે...
03:07 PM Dec 09, 2023 IST | Vipul Pandya

નવસારીમાં પૂર્વ કેબિનેટ મંત્રીનો જાહેરમાં બળાપો
"કોંગ્રેસનો કોઈ ડર નથી આપણા જ આપણને નડે"
કોંગ્રેસને આડે લેતા પાર્ટીના કાર્યકરો પર જ વરસ્યા
નરેશ પટેલે સ્નેહમિલન કાર્યક્રમમાં ઠાલવી વ્યથા
નરેશ પટેલે સ્ટેજ પરથી બોલતા કાર્યક્રમમાં પડ્યો સોપો
લોકસભા ચૂંટણીની તૈયારી વચ્ચે નરેશ પટેલનું સૂચક નિવેદન

પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે સ્નેહ મિલન સમારોહમાં આપણા જ આપણા નડે તેવી વ્યથા ઠાલવતાં જાહેરસભામાં સોપો પડી ગયો હતો. નરેશ પટેલે કોંગ્રેસને આડે આથે લેવાની સાથે પોતાની જ પાર્ટીના કાર્યકરો પર પણ રોષ પ્રગટ કર્યો હતો.

કોંગ્રેસનો કોઇ ડર નથી પણ આપણાં જ આપણને નડે છે

નવસારીમાં યોજાયેલા દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ગણદેવી બેઠક ના ધારાસભ્ય નરેશ પટેલે પોતાનો બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસનો કોઇ ડર નથી પણ આપણાં જ આપણને નડે છે. તેઓએ કોંગ્રેસની સાથે સાથે પોતાની જ પાર્ટીના કાર્યકરો પર રોષ પ્રગટ કર્યો હતો અને પોતાની વ્યથા ઠાલવી હતી. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે નરેશ પટેલે આ નિવેદન આપતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

વાંસદા બેઠક કબજે ન થતા નરેશ પટેલે ઠાલવ્યો બળાપો

વાંસદા બેઠક કબજે ન થતા નરેશ પટેલે સ્નેહ મિલન કાર્યક્રમમાં બળાપો ઠાલવ્યો હતો. વર્તમાન ગણદેવી બેઠકના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી નરેશ પટેલે નાણાં મંત્રી સાંસદ ની હાજરીમાં જ સ્ટેજ ઉપરથી બળાપો ઠાલવ્યો હતો. કોંગ્રેસને આડે હાથ લેવાનો પ્રયાસ કરતા નરેશ પટેલ પોતાની જ પાર્ટી ના કાર્યકરો ઉપર વરસી પડ્યા.

આ પણ વાંચો--AMBAJI : સુખદેવ ગોગામેડી હત્યાકાંડ મુદ્દે અંબાજી સજ્જડ બંધ, ઠેર ઠેર આક્રોશ

Next Article