Gujarat: ગુજરાતની આ પાંચ વિધાનસભા બેઠકો પર 2022 નું ગણિક કેવું હતું? જાણો સંપૂર્ણ વિગત
Assembly by-elections Gujarat: ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. નોંધનીય છે કે, કેટલાક ખાસ પરિબળોને કારણે આ ગુજરાત (Gujarat)ની પાંચ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેની વિગતે વાત કરવામાં આવે તો, માણાવદર, ખંભાત, વિજાપુર, પોરબંદર અને વાધોડિયા વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. જેની અત્યારે મતગણતરી થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આ તમામ બેઠકો પર બીજેપી આગળ ચાલી રહીં છે.
વાગોડિયા બેઠક પર કોણ બાજી મારશે તે આજે થઈ જશે સ્પષ્ટ!
તમને જણાવી દઇએ કે, વાગોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ વચ્ચે જંગ જામેલો છે. તમને જણાવી દઈએ કે, આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધી હતી, જેથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે. નોંધનીય છે કે, વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય મતદારો દ્વારા પણ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી ચૂક્યા હતા. પરંતુ આ બેઠક પર કોણ બાજી મારશે તે આજે સ્પષ્ટ થઈ જવાનું છે.
વિધાનસભા બેઠક | રાજકીય પક્ષ | ઉમેદવાર | મળેલી મતની વિગત | કેટલા મતથી જીત? |
માણાવદર વિધાનસભા બેઠક | કોંગ્રેસ | અરવિંદ લાડાણી | 64690 | 3453 |
ભાજપ | જવાહર ચાવડા | 61237 | ||
વાઘોડિયા વિધાનસભા બેઠક | અપક્ષ | ધર્મેન્દ્રસિંહ વાઘેલા | 77905 | 7006 |
ભાજપ | અશ્વિન પટેલ | 63899 | ||
વિજાપુર વિધાનસભા બેઠક | કોંગ્રેસ | ડો. સી. જે. ચાવડા | 78749 | 7053 મતથી જીત |
ભાજપ | રમણ ડી. પટેલ | 71696 | ||
ખંભાત વિધાનસભા બેઠક | કોંગ્રેસ | ચિરાગકુમાર પટેલ | 69069 | 3711 મતથી જીત |
ભાજપ | મહેશકુમાર રાવલ | 65358 | ||
પોરબંદર વિધાનસભા બેઠક | કોંગ્રેસ | અર્જુન મોઢવાડિયા | 82056 | 8,181 |
ભાજપ | બાબુ બોખરીયા | 73875 |
પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા અને રાજુ ઓડેદરા વચ્ચે જંગ
તમને જણાવી દઇએ કે, વિધાનસભા બેઠક ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર વચ્ચે સીધો જંગ જામ્યો હતો. બેઠકોની વિગતે વાત કરવામાં આવે તો, ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદાવાર ચિરાગ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર ચૂંટણીના મેદાને છે. આ સાથે વિજાપુર બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદાવાર સી.જે.ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ ચૂંટણી લડ્યા છે. પોરબંદર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદાવાર અર્જુન મોઢવાડિયા અને રાજુ ઓડેદરા વચ્ચે જંગ જામેલો છે. આ સાથે સાથે માણાવદર વિધાનસભા બેઠક પર અરવિંદ લાડાણી જે ભાજપના ઉમેદાવાર છે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરા ચૂંટણી લડી રહ્યા છે.
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં 277 મતદાન મથકો પર થયું હતુ મતદાન
આ સાથે માણાવદરની વાત કરવામાં આવે તો આ વિધાનસભા બેઠક પર પણ ફરી ચૂંટણી યોજવામાં આવી હતી. કારણે કે, માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું. અત્યારે પેટા ચૂંટણીમાં કોંગ્રેસે હરિભાઈ કણસાગરા અને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. નોંધનીય છે કે, માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીના મતવિસ્તારના કુલ 2,49,000 મતદારો માટે 277 મતદાન મથકો રાખવામાં આવ્યા હતા. નોંધનીય છે કે 4 જૂન એટલે કે,આજે કોણ માણાવદર વિધાનસભાના નવા ધારાસભ્ય બનશે તે નક્કી થઈ જવાનું છે.