'માથા પર ગોળી કેવી રીતે વાગી', HC એ Badlapur એન્કાઉન્ટર પર પોલીસને પૂછ્યા 5 તીખા સવાલો
બદલાપુર એન્કાઉન્ટરને લઈને રાજકારણ ગરમાયું વિપક્ષે ફેક એન્કાઉન્ટર ગણાવીને રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન અક્ષયના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી બદલાપુર બળાત્કાર કેસના આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટરને લઈને રાજકારણ ગરમાયું છે. એક તરફ વિપક્ષે તેને ફેક એન્કાઉન્ટર ગણાવીને...
05:39 PM Sep 25, 2024 IST
|
Dhruv Parmar
- બદલાપુર એન્કાઉન્ટરને લઈને રાજકારણ ગરમાયું
- વિપક્ષે ફેક એન્કાઉન્ટર ગણાવીને રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન
- અક્ષયના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી
બદલાપુર બળાત્કાર કેસના આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટરને લઈને રાજકારણ ગરમાયું છે. એક તરફ વિપક્ષે તેને ફેક એન્કાઉન્ટર ગણાવીને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે, તો બીજી તરફ અક્ષયના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. બુધવારે સુનાવણી દરમિયાન, HC એ એન્કાઉન્ટર પર આવા પ્રશ્નો ઉઠાવ્યા, જેનો જવાબ પોલીસ આપી શકી નહતી. ચાલો જાણીએ HC એ કયા 5 પ્રશ્નો પૂછ્યા?
બોમ્બે હાઈકોર્ટે પૂછ્યા આ 5 પ્રશ્નો...
- બોમ્બે હાઈકોર્ટે પૂછ્યું- અક્ષય શિંદેના માથા પર ગોળી કેવી રીતે વાગી, જ્યારે પોલીસને તાલીમ આપવામાં આવે છે કે આરોપીને ક્યાં ગોળી મારવી. પોલીસે આરોપીને હાથ કે પગમાં ગોળી મારવી જોઈતી હતી.
- પોલીસની જીપમાં ચાર ગણવેશધારી માણસો હતા, તો તેઓ કેવી રીતે નબળા વ્યક્તિને કાબૂમાં ન રાખી શક્યા. આરોપીની બાજુમાં બે પોલીસકર્મી બેઠા હતા અને સામે બે પોલીસકર્મી હતા.
આ પણ વાંચો : Karnataka ના CM સિદ્ધારમૈયા ને મોટો ઝટકો, કોર્ટે FIR નોંધવાનો આદેશ આપ્યો...
- હાઈકોર્ટે સરકારી વકીલને કહ્યું- શારીરિક રીતે નબળા વ્યક્તિ ઝડપથી રિવોલ્વર ખોલી શકતી નથી. તે ખૂબ સરળ નથી. તેના પર સરકારી વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે પોલીસ અધિકારીની રિવોલ્વર અનલોક હતી.
- HC એ કહ્યું- આ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પ્રથમ નજરમાં કેટલીક સમસ્યાઓ દેખાય છે. સામાન્ય માણસ રિવોલ્વર ચલાવી શકતો નથી કારણ કે તેને તાકાતની જરૂર હોય છે.
- જસ્ટિસે કહ્યું- રિવોલ્વર પર ફિંગરપ્રિન્ટ્સ હોવા જોઈએ. આરોપીએ ત્રણ ગોળી ચલાવી, પણ એક જ વાગી, તો બાકીના બે ક્યાં છે? હવે આ મામલામાં આગામી સુનાવણી 3 ઓક્ટોબરે થશે.
આ પણ વાંચો : Make in India ના 10 વર્ષ : PM એ કહ્યું, 'આપણે સાથે મળીને આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવીશું'
Next Article