Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

High Court : કોર્પોરેશનમાં કોઈ જવાબદાર છે કે નહીં કે પછી માત્ર કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટર જ..

Gujarat High Court : વડોદરાના હરણી લેકઝોન દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સુઓમોટો લઇને સુનાવણી કરી રહી છે. આજે યોજાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે (Gujarat High Court) ઉધડો લેતાં કહ્યું કે શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સુઇ જાય છે. કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાક્ટર...
high court   કોર્પોરેશનમાં કોઈ જવાબદાર છે કે નહીં કે પછી માત્ર કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટર જ
Advertisement

Gujarat High Court : વડોદરાના હરણી લેકઝોન દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સુઓમોટો લઇને સુનાવણી કરી રહી છે. આજે યોજાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે (Gujarat High Court) ઉધડો લેતાં કહ્યું કે શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સુઇ જાય છે. કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાક્ટર છે પરંતુ અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઇએ.

બોટ પલટી જવાથી 12 વિદ્યાર્થી અને 2 શિક્ષીકાના મોત થયા હતા

10 દિવસ પહેલા વડોદરાના હરણી લેકઝોનમાં બોટ પલટી જવાથી 12 વિદ્યાર્થી અને 2 શિક્ષીકાના મોત થયા હતા. આ ઘટના બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર અને તંત્રના અધિકારીઓની લાપરવાહી બહાર આવી હતી. સમગ્ર ઘટના અંગે ગુજરાત હાઇકોર્ટે પણ સુઓમોટો લીધી હતી. તેની આજે સુનાવણી યોજાઇ હતી.

Advertisement

શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે?

ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે કોર્પોરેશનનો ઉધડો લેતાં કહ્યું કે શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે? દુર્ઘટના થયા બાદ નિંદ્રા માંથી જાગવામાં આવે છે. જે લોકો એકિટવિટી ચલાવે છે તેમનો જવાબ જોઈએ અને એક ચોક્કસ પોલીસી હોવી જોઇએ તેમ પણ હાઇકોર્ટે કહ્યું હતું. કોન્ટ્રાકટર તો કોન્ટ્રાકટર છે પરંતુ અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ તેની કડક ટકોર હાઇકોર્ટે કરી હતી.

Advertisement

કોર્પોરેશનમાં કોઈ જવાબદાર છે કે નહી કે પછી માત્ર કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટર જ

હાઇકોર્ટે ગંભીર રીતે કહ્યું કે બનાવ બન્યો તે પછી શું સુધારાત્મક પગલા લીધા તે જાણવામાં હાલ કોર્ટને કોઈ રસ નથી. બનાવ બન્યો તે પહેલા શું ચેક અને બેલેન્સીસ રાખ્યા હતા તેનો કોર્પોરેશને ખુલાસો કરવો પડશે. હાઇકોર્ટે કહ્યું કે અમે કોર્પોરેશનને નોટિસ ઈશ્યૂ કરી રહ્યાં છીએ કે કેવી રીતે કોન્ટ્રાક્ટ ઓપરેટ થઈ રહ્યો હતો. અમે કોર્પોરેશને શું કર્યુ એ સાંભળવા ઈચ્છુક નથી, તમે 101 વસ્તુ બરાબર કરી હશે પણ આ કેમ થયુ એ જાણવા માગીએ છીએ તેમ હાઇકોર્ટે કહ્યું હતું. કોર્પોરેશનમાં કોઈ જવાબદાર છે કે નહી કે પછી માત્ર કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટર જ..તેમ હાઈકોર્ટે કહ્યું હતું.

સરકાર જ નહિ,કોન્ટ્રાકટર અને ઓપરેટર પણ વળતર ચૂકવે

આ મામલે કોર્ટ મિત્રએ કહ્યું કે માત્ર સરકાર જ નહિ,કોન્ટ્રાકટર અને ઓપરેટર પણ વળતર ચૂકવે. તથા કોન્ટ્રાકટર કે સબ કોન્ટ્રાકટર જ નહીં પણ કોર્પોરેશનના અધિકારીઓ પણ જવાબદાર છે. આ મામલે એડવોકેટ જનરલે કહ્યું કે બનાવ બાદ રાજ્યમાં બધે જ બોટિંગ બંધ કરાવ્યું છે. રાજ્યમાં તમામ તળાવ સહિતની વોટર બોડી કે જ્યાં એકિટવિટી ચાલે છે ત્યાં જરૂર સૂચનો જાહેર કર્યા છે.

કલેક્ટર રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ કરી રહ્યા છે.

બીજી તરફ હરણી દુર્ઘટનાનો રિપોર્ટ હજી સુધી તૈયાર ના થયો હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. સરકારના કડક આદેશ છતાં કલેક્ટર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં વિલંબ કરાયો છે. વડોદરા કલેક્ટર એ.બી.ગોરે સચિવ પાસે વધુ 5 દિવસ માગ્યા છે. કલેક્ટર દ્વારા હજું વધુવિગતો માગવાની બાકી હોવાથી સમય મંગાયો છે. ગંભીર ઘટનાને વીત્યે 10 દિવસ થયા છતાં હજું પણ કલેક્ટર રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ કરી રહ્યા છે.

આ પણ વાંચો---HARANI LAKE : વડોદરાની હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક આરોપીની ધરપકડ, અત્યાર સુધી 10 ઝડપાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Taj Mahal House in MP Burhanpur: આ તાજમહેલ નથી પણ ઘર છે! વાયરલ વીડિયો જોયા પછી તમને વિશ્વાસ આવશે

featured-img
રાષ્ટ્રીય

Uttarakhand : કેદારનાથમાં ફરીથી હેલિકોપ્ટર થયું ક્રેશ, 7 ના મોતની આશંકા

featured-img
Top News

નાઇજીરીયામાં બંદૂકધારીઓની ક્રુરતા, 100 લોકોને રૂમમાં પુરીને જીવતા સળગાવી દીધા

featured-img
Top News

Ahmedabad Air India Plane Crash : એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો વાયરલ વીડિયો બનાવનાર આર્યને કહ્યું, 'હું ક્યારેય વિમાનમાં નહીં બેસું...'

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : 'હું 2 દિવસથી માનસિક પરેશાન હતો, શું કહ્યું તે મને ખબર જ ન રહી', ડો. અનિલ પવારની સ્પષ્ટતા

featured-img
Top News

Manipur : સુરક્ષા દળોએ રાતોરાત સિક્યોરિટી ઓપરેશન કર્યું, 328 શસ્ત્રો અને વિસ્ફોટકો જપ્ત

×

Live Tv

Trending News

.

×