Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Haryana : કરનાલમાં માલસામાનની ટ્રેન પાટા પરથી ઉતરી, રેલ વ્યવહાર ખોરવાયો...

હરિયાણા (Haryana)ના કરનાલ જિલ્લાના તરવાડી પાસે મંગળવારે સવારે માલગાડીમાંથી કેટલાક કન્ટેનર પાટા પરથી ઉતરી ગયા હતા, જેનાથી રેલ વ્યવહાર ખોરવાયો. આ અંગે માહિતી આપતા સરકારી રેલવે પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આ ટ્રેન અંબાલાથી દિલ્હી જઈ રહી હતી. અધિકારીએ જણાવ્યું...
haryana   કરનાલમાં માલસામાનની ટ્રેન પાટા પરથી ઉતરી  રેલ વ્યવહાર ખોરવાયો

હરિયાણા (Haryana)ના કરનાલ જિલ્લાના તરવાડી પાસે મંગળવારે સવારે માલગાડીમાંથી કેટલાક કન્ટેનર પાટા પરથી ઉતરી ગયા હતા, જેનાથી રેલ વ્યવહાર ખોરવાયો. આ અંગે માહિતી આપતા સરકારી રેલવે પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આ ટ્રેન અંબાલાથી દિલ્હી જઈ રહી હતી. અધિકારીએ જણાવ્યું કે માલગાડીમાંથી 8 કન્ટેનર પાટા પરથી ઉતરી ગયા અને રેલવે અધિકારીઓ કારણની તપાસ કરી રહ્યા છે. રેલવે ટ્રેક પર કન્ટેનર પડવાને કારણે અંબાલા-દિલ્હી રૂટ પરનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ રૂટ પર ટ્રાફિક સામાન્ય થઈ જશે.

Advertisement

ક્રેનની મદદથી કન્ટેનર દૂર કરવામાં આવે છે...

અત્યાર સુધી મળેલી માહિતી મુજબ અંબાલાથી દિલ્હી જઈ રહેલી માલગાડી બેકાબૂ થઈ ગઈ હતી જેના કારણે તેના પર રાખેલા કન્ટેનર પડી ગયા હતા. માલગાડીના વ્હીલની એક્સલ પણ તૂટીને બાજુ પર પડી હતી. મામલાની માહિતી મળતા જ રેલવે કર્મચારીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. કર્મચારીઓએ ક્રેનની મદદથી ટ્રેક પર પડેલા કન્ટેનરને હટાવવાનું શરૂ કર્યું હતું. આ ઘટના અંગે માહિતી આપતાં આરપીએફ અધિકારી બલબીર સિંહે જણાવ્યું કે રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Advertisement

પંજાબમાં 2 માલગાડીઓ અથડાઈ...

તમને જણાવી દઈએ કે, જૂન મહિનામાં સરહિંદ રેલવે સ્ટેશન પર ઉભેલી માલસામાન ટ્રેન સાથે બીજી માલગાડી અથડાતાં બે 'લોકો પાયલટ' ઘાયલ થયા હતા. સરકારી રેલ્વે પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટક્કરને કારણે તેમાંથી એકનું એન્જિન બીજા પાટા પર ગયું અને એક મુસાફર ટ્રેનની અડફેટે આવી ગયો. તે જ સમયે, મે મહિનામાં મહારાષ્ટ્રના પાલઘર રેલ્વે સ્ટેશન પર એક માલસામાન ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે, પશ્ચિમ રેલ્વેએ ઘણી ટ્રેનોનું સંચાલન રદ કરવું પડ્યું હતું અને ઘણી ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવો પડ્યો હતો. આ ગુડ્સ ટ્રેન વિશાખાપટ્ટનમથી ગુજરાતના કરમબેલી જઈ રહી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો : Bihar : લગ્ન માટે ના પડતા યુવતીએ યુવકનો ‘પ્રાઈવેટ પાર્ટ’ કાપી નાખ્યો, વાંચો ખતરનાક કિસ્સો…

Advertisement

આ પણ વાંચો : Heavy Rain : પહેલા આકરી ગરમી, હવે ભારે વરસાદ, મધ્ય ભારત અને હિમાલયમાં પૂર જેવી સ્થિતિનો ખતરો…

આ પણ વાંચો : “Rahul Gandhi નું નિવેદન જુઠ્ઠાણાનું પોટલું”, CM યોગીએ કહ્યું – અયોધ્યામાં કરોડોનું વળતર અપાયું…

Tags :
Advertisement

.