Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: પહલગામ આતંકી હુમલામાં ગુજરાતીનું મોત, અત્યાર સુધી કુલ 30 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતનાં એક વ્યક્તિનું મોત થયું છે. ગુજરાતના 20 થી વધુ લોકો પહલગામ ગયા હતા.
surat  પહલગામ આતંકી હુમલામાં ગુજરાતીનું મોત  અત્યાર સુધી કુલ 30 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
Advertisement
  • પહલગામ હુમલામાં ગુજરાતીનું મોત
  • સુરતના હિંમત કલાઠીયાનું મોત
  • ગુજરાતના 20થી વધુ પહલગામમાં ગયા હતા

જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં 28 થી વધુ લોકો માર્યા ગયાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતનાં એક ગુજરાતીનું પણ મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં 28 થી વધુ લોકો માર્યા ગયાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતનાં એક ગુજરાતીનું પણ મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં સુરતના પ્રવાસીનું મોત થયું છે. સુરતનાં શૈલેષ હિમતભાઈ કલાઠિયાનું મોત થયુ છે. પહલગામનાં હતભાગીમાં એક ગુજરાતી પણ સામેલ છે. ગુજરાતના 20 થી વધુ પહલગામ ગયા હતા.

ભાવનગર કલેક્ટરે શું કહ્યું

જમ્મુ અને કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતનાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભાવનગર કલેક્ટર મનિષકુમાર બંસલ દ્વારા આતંકી મુદ્દાને લઈ નિવેદન આપ્યું છે. ભાવનગરનાં વિનોદભાઈ ભટ્ટ્ ઈજાગ્રસ્ત થયા હોવાનું કલેક્ટર દ્વારા જણાવ્યું હતું. તેમજ ગુજરાત સરકાર જમ્મુ કાશ્મીર સરકારનાં સંપર્કમાં છીએ. તેમજ વિનોદ ભટ્ટ વિશે માહિતી મેળવી રહ્યા છીએ.

Advertisement

પ્રવાસીઓમાં ગુજરાતીઓ હોવાની માહિતી મળી: હર્ષ સંઘવી

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ. આતંકી હુમલા મુદ્દે માહિતી મેળવી રહ્યા છીએ. તેમજ પ્રવાસીઓમાં ગુજરાતી હોવાની માહિતી મળી છે. ગુજરાતીઓને તમામ બનતી સહાય કરવામાં આવશે.

Advertisement

આ વાંચોઃ Gandhinagar: કૃષી વીજ જોડાણ મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર

આતંકી હુમલામાં ગુજરાતના 3 પર્યટકો ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલો થયો હતો. આતંકી હુમલામાં એકનું મોત થયું હતું. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આતંકી હુમલામાં 6 પર્યટકો ઈજાગ્રસ્ત થયા હતા. આતંકી હુમલામાં 6 પર્યટકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં મોનિકા પટેલ, વિનુ ભટ્ટ અને રિનો પાંડેય ઈજાગ્રસ્ત થયા છે. વિનુભાઈ ભટ્ટ ભાવનગરના છે જેઓ ઈજાગ્રસ્ત થયા છે.

આ વાંચોઃ Jamnagar: ધ્રોલમાં PGVCLની ઘોર બેદરકારી, તૂટી ગયેલ વીજ પોલ બદલવા ખેડૂતોએ અનેકવાર કરી રજૂઆત

Tags :
Advertisement

.

×