Gandhinagar : રાંધેજા પેથાપુર પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત
- ગાંધીનગરમાં અકસ્માતમાં 5 લોકોના મોત
- રાંધેજા પાસે કાર ઝાડ સાથે ટકરાતા અકસ્માત
- એક ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો
- ફિલ્મ જોઈને પરત ફરતા હતા તમામ લોકો
ગાંધીનગરનાં પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતાં હાઇવે રોડ પર કેશવ ગૌશાળા પાસે સ્વીફટ ગાડીના ચાલકે પોતાની કારના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર રોડની નીચે ઉતરી ગઈ હતી. જે બાદ ઝાડ સાથે અથડાઈ હતી. જેથી અકસ્માત થતા પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે.
મહત્વનું છે કે, ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#WATCH | Gujarat: Five people have died in an accident that took place last night at Randheja-Pethapur Highway in Gandhinagar
(Visuals from the spot) pic.twitter.com/6WeICBu6AF
— ANI (@ANI) November 17, 2023
મૃતકોના નામ
- મોહંમદ અલ્ફાઝ
- સલમાન ચૌહાણ
- સાહિલ ચૌહાણ
- મોહંમદ બેલીમ
- અસ્ફાક ચૌહાણ
આ પણ વાંચો : AHMEDABAD : ED IT ના નામે 30 લાખની ખંડણી માંગનાર સામે FIR