Gandhinagar : GAS કેડરનાં 11 અધિકારીઓને બઢતી અપાઈ, જુઓ લિસ્ટ
Gandhinagar : ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવતા GAS કેરડનાં 11 અધિકારીઓને (GAS Cadre) બઢતી આપવામાં આવી છે. માહિતી અનુસાર, હાલમાં તેમના દ્વારા રાખવામાં આવેલા હોદ્દાઓ પર કાર્ય કરવાનું ચાલુ રાખવા માટે નિમણૂક કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી આ માહિતી આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં સાણંદનાં પ્રાંત અધિકારી અને રાજકોટમાં (Rajkot) પુરવઠા અધિકારી સહિત અન્ય અધિકારીઓને બઢતી આપવામાં આવી છે.
આ પણ વાંચો - કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
ગુજરાત સરકારનાં વહીવટી વિભાગ (Gujarat General Administration Department) દ્વારા GAS કેરડનાં જુનિયર લેવલનાં 11 અધિકારીઓને (GAS Cadre) સિનિયર લેવલે બઢતી આપવામાં આવી છે. જણાવી દઈએ કે, આ પહેલા 20 GAS અધિકારીઓનાં IAS કેડર માટે નોમિનેશન અપાયાં હતા. આગામી દિવસોમાં આ અધિકારીઓને IAS તરીકે પ્રમોશન (Gandhinagar) આપવામાં આવશે એવી માહિતી છે. કેન્દ્ર સરકાર દ્વારા 20 GAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવશે.
આ પણ વાંચો - Gandhinagar : 159 PSI ને PI તરીકે બઢતી આપ્યા બાદ હવે 2 IAS અધિકારીની બદલી