મિત્રએ જ કરી મિત્રની હત્યા, બુલેટ વેચવા બાબતે 19 વર્ષના યુવકને છરીના ઘા ઝીંકી પતાવી દીધો
સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. હત્યા, દુષ્કર્મ, લૂંટ જેવી ઘટનાને અંજામ આપનારા ગુનેગારોને જાણે કે પોલીસ અને કાયદાનો ડર નથી રહ્યો. સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી છે.
મળતી જાણકારી અનુસાર, સુરતના લિંબાયત વિસ્તારમાં 19 વર્ષીય યુવકની હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. જુનૈદ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરાઇ હતી. બુલેટના વેચાણ બાબતે હત્યા કરવામા આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ સુરત શહેરમાં અઠવાલાઇન્સ ખાતે ખુલ્લેઆમ જાહેર રસ્તા ઉપર કોર્ટ પરિસરની સામે જ યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ હતી. એટલું જ નહીં યુવકના હત્યારા કરણસિંહ રાજપૂતે હત્યા કર્યા બાદ મોબાઈલ પર સ્ટેટસ અપડેટ કર્યું હતું કે, ‘હમને અપને ભાઈકા દૂર્ગેશ યાદવકા બદલા લે લીયા હૈ, કોર્ટ કે બહાર બદલા, ખૂન કે બદલે ખૂન.’
આ પણ વાંચો : ગાંધીનગરમાં કાલોલમાં ગોઝારો અકસ્માત, ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં 5 ના મોત