પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાકની ઐશ્વર્યા રાય પર અભદ્ર ટિપ્પણી..! વાંચો અહેવાલ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારતમાં ચાલી રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના ગ્રુપ સ્ટેજમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે. ટૂર્નામેન્ટમાં શરમજનક પ્રદર્શન બાદ ટીમ પણ પાકિસ્તાન પરત પણ પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો સતત બાબર આઝમ અને ટીમ પર પ્રહારો કરી રહ્યા છે. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ટીકા કરીને તમામ હદો વટાવી દીધી હતી. અબ્દુલ રઝાકે પીસીબીની તુલના બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે કરી હતી અને એવું નિવેદન આપ્યું હતું જેનાથી ક્રિકેટ જગત શરમાઈ ગયું હતું.
રઝાકના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
એક કાર્યક્રમમાં પીસીબીના ઈરાદાઓ વિશે વાત કરતા રઝાકે કહ્યું કે જો તમે એમ વિચારતા હો કે હું ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરીશ અને પછી સારા સ્વભાવનું બાળક જન્મશે તો આવું ક્યારેય ન થઈ શકે. આથી તમારે પહેલા તમારા ઇરાદાઓ બરાબર નક્કી કરવા પડશે. રઝાકના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શાહિદ આફ્રિદી અને અન્ય ખેલાડીઓ તેની સાથે સ્ટેજ પર હાજર હતા
જ્યારે રઝાકે આ નિવેદન આપ્યું ત્યારે 2009 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી શાહિદ આફ્રિદી અને અન્ય ખેલાડીઓ તેની સાથે સ્ટેજ પર હાજર હતા. ભારતીય કોંગ્રેસના નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ રઝાકના આ નિવેદનની આકરી ટીકા કરી હતી. સિંઘવીએ આફ્રિદી અને અન્ય ક્રિકેટરોને પણ લપેટમાં લીધા અને કહ્યું કે આ નિવેદન અને તે ખેલાડીઓનું હાસ્ય પાકિસ્તાનની સડેલી માનસિકતા દર્શાવે છે. આની ટીકા કરતા સિંઘવીએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'ભારતીય અભિનેત્રી પર રઝાકની અભદ્ર ટિપ્પણી અને તેના પર તેના સાથીદારોનું હાસ્ય દર્શાવે છે કે પાકિસ્તાનની પોતાની વિચારધારા એકદમ સડેલી છે, જે માનસિક રીતે વિકલાંગ બાળકો પેદા કરી રહી છે.' સિંઘવી ઉપરાંત પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ પણ રઝાક પર જોરદાર હુમલો કર્યો હતો.
અબ્દુલ રઝાકે પોતાના નિવેદનમાં શું કહ્યું?
રઝાકે કહ્યું હતું કે, 'હું અહીં PCBના ઈરાદા વિશે વાત કરી રહ્યો છું. જ્યારે હું રમી રહ્યો હતો ત્યારે મને ખબર હતી કે મારા કેપ્ટન યુનિસ ખાનનો ઈરાદો સારો છે. મેં તેમની પાસેથી આત્મવિશ્વાસ અને હિંમત શીખી અને અલ્લાહનો આભાર કે હું પાકિસ્તાન ક્રિકેટ માટે સારું પ્રદર્શન કરી શક્યો. ભૂતપૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર રઝાકે કહ્યું, 'જો તમને એમ લાગતું હોય કે હું ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરીશ અને પછી એક સારુ સંતાન પ્રાપ્ત કરીશ તો આવું ક્યારેય ન થઈ શકે. એટલા માટે તમારે પહેલા તમારા ઇરાદાઓ બરાબર સેટ કરવા પડશે. તમને જણાવી દઈએ કે તે કાર્યક્રમમાં રઝાકની સાથે 2009 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી શાહિદ આફ્રિદી અને અન્ય ખેલાડીઓ સ્ટેજ પર હાજર હતા. આ સાંભળીને બધા હસવા લાગ્યા હતા.
પત્રકાર આરઝૂ કાઝમીએ ટીકા કરી
જ્યારે પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, 'આ આપણા ક્રિકેટરોની માનસિકતા છે. રઝાકને ઐશ્વર્યા રાય પર કરેલી ટિપ્પણી પર શરમ આવવી જોઈએ. રઝાકે આ શરમજનક દાખલો બેસાડ્યો છે.
આફ્રિદીએ કહ્યું કે તે રઝાકને માફી માંગવા માટે કહેશે
આ દરમિયાન પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું નિવેદન પણ સામે આવ્યું છે. આફ્રિદી તે કાર્યક્રમમાં રઝાકની ખૂબ નજીક બેઠો હતો અને તે નિવેદન પર હસતો હતો. હવે આફ્રિદીએ ટીવી પર કહ્યું કે , 'ગઈકાલે કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને અમે સ્ટેજ પર બેઠા હતા. રઝાકે ત્યાં કંઈક કહ્યું. રઝાકે શું કહ્યું તે હું સમજી શક્યો નહીં. હું ગમે તેમ કરીને હસી રહ્યો હતો. હું વિચારી રહ્યો હતો કે તેના હાથમાં માઈક છે, તેથી તેણે કંઈક અથવા બીજું કહેવું પડશે.
આ પણ વાંચો----જો કોઈને રખડતું કૂતરું કરડે તો દરેક દાંતના નિશાન માટે સરકારે 10,000 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે