Kenya માં પૂરે તબાહી મચાવી, 267 લોકોના મોત, પીડિતો માટે ભારત બન્યું મદદગાર...
કેન્યા (Kenya)માં પૂરના કારણે ચારે બાજુ તબાહી સર્જાઈ છે. આફ્રિકન દેશના 47 કાઉન્ટીઓમાંથી 38 પ્રભાવિત થયા છે. કેન્યા (Kenya) સરકારના આંકડાઓ અનુસાર, વિનાશક પૂરના કારણે 267 લોકોના મોત થયા છે અને 2,80,000 લોકો વિસ્થાપિત થયા છે. દરમિયાન, ભારતે કેન્યા (Kenya)ના પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને પુનર્વસન માટે 40 ટન રાહત સામગ્રી મોકલી છે.
The Government of India is extending humanitarian assistance to the Government of Kenya in the wake of the devastation caused by the floods that have hit the country. 38 out of 47 countries have been affected. An estimated 267 people have died, 188 injured and over 2,80,000… pic.twitter.com/1y4DwdRFXe
— ANI (@ANI) May 14, 2024
માલસામાનમાં 22 ટન રાહત સામગ્રી જેવી કે તંબુ, સ્લીપિંગ બેગ અને સાદડીઓ, ધાબળા, પાવર જનરેશન સેટ, ખાવા માટે તૈયાર ખોરાક, મૂળભૂત સ્વચ્છતા સુવિધાઓ અને સ્વચ્છતા કીટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 18 ટન મેડિકલ સહાય પણ કન્સાઈનમેન્ટમાં સામેલ છે. આમાં ગંભીર સંભાળ અને ઘા વાગવાના સંબંધમાં જરૂરી જીવનરક્ષક દવાઓ અને સર્જીકલ સાધનોનો સમાવેશ થાય છે. તેમાં બેબી ફૂડ, પાણી શુદ્ધિકરણ, માસિક સ્રાવની સ્વચ્છતા અને મચ્છર નિવારક દવાઓ, મેલેરિયા અને ડેન્ગ્યુ નિદાન કીટ, ઝેર વિરોધી સારવાર અને વિવિધ પરીક્ષણ કીટ જેવી આવશ્યક વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.
The consignment to Kenya consists of essential medicines, surgical consumables, and medical equipment required during emergency medical conditions. Water purification tablets, bleaching powder, and disinfectant liquid have also been included considering the flood situation: MEA https://t.co/yKqjuz9QHl pic.twitter.com/5J4jdgCKNz
— ANI (@ANI) May 14, 2024
જયશંકરે ટ્વિટર પર પોસ્ટ શેર કરી...
ટ્વિટર પર પોસ્ટ શેર કરતી વખતે, વિદેશ પ્રધાન એસ જયશંકરે લખ્યું, 'કેન્યા (Kenya)માં પૂરથી પ્રભાવિત લોકોને મોકલવામાં આવેલા HADR ના બીજા કન્સાઇનમેન્ટમાં 40 ટન દવાઓ, તબીબી પુરવઠો અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે. અમે ઐતિહાસિક ભાગીદારી અને વિશ્વ ભાઈચારા માટે ઊભા છીએ.
The second tranche of HADR material containg 40 tonnes of medicines, medical supplies and other equipment to assist flood victims leaves for Kenya.
Standing up for a historical partnership, a Vishwabandhu to the world. https://t.co/l4tkS1bQlD pic.twitter.com/Paz9nOoCcW
— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) May 14, 2024
આ પહેલા પણ ભારતે રાહત સામગ્રી મોકલી હતી...
કેન્યા (Kenya)માં ભારતના હાઈ કમિશનર નમગ્યા ખામ્પાએ કેબિનેટ સચિવ મર્સી વેન્ઝોઉને રાહત સામગ્રી સોંપી. આ પહેલા પણ 10 મેના રોજ ભારતીય નૌકાદળના જહાજ સુમેધા દ્વારા રાહત સામગ્રીનો એક માલ કેન્યા (Kenya) પહોંચાડવામાં આવ્યો હતો. ભારત દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્યા (Kenya)ને મદદ એ દક્ષિણ સહયોગની ભાવના અને આફ્રિકાને અમારી પ્રાથમિકતાઓમાં ટોચ પર રાખવાની અમારી પ્રતિબદ્ધતા સાથે દેશ સાથેના મજબૂત અને મૈત્રીપૂર્ણ સંબંધોનું પુનરાવર્તન છે. ભારતે પૂરને કારણે થયેલા નુકસાન અને વિનાશ માટે કેન્યાની સરકાર અને લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : Kenya Flood Aid: કેન્યાની મદદ માટે ભારતે ભજવી મુખ્ય ભૂમિકા, 40 ટન દવાઓ સાથે….
આ પણ વાંચો : ઈઝરાયરલના હુમલામાં ભારતીય રીટાયર્ડ કર્નલનું મોત, વાંચો અહેવાલ
આ પણ વાંચો : POK માં લોકો રસ્તા પર ઉતર્યા, પાકિસ્તાની સુરક્ષા દળોએ લોકો પર ગોળીબાર કર્યો…