ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Farmer Protest : શંભુ બોર્ડર પર સિમેન્ટની દિવાલ તોડવા માટે ખેડૂતો કરશે આ 'હથિયાર'નો ઉપયોગ...

MSP સહિતની અનેક માંગણીઓ પર ફરી એકવાર ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે સહમતિ સધાઈ શકી નથી, ત્યારબાદ ખેડૂત સંગઠનો (Farmer Protest)એ 21 ફેબ્રુઆરીથી દિલ્હી સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. આ અંગે ખેડૂતો તૈયારીઓ કરી રહ્યા છે. MSP સહિતની અનેક...
05:18 PM Feb 20, 2024 IST | Dhruv Parmar

MSP સહિતની અનેક માંગણીઓ પર ફરી એકવાર ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે સહમતિ સધાઈ શકી નથી, ત્યારબાદ ખેડૂત સંગઠનો (Farmer Protest)એ 21 ફેબ્રુઆરીથી દિલ્હી સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. આ અંગે ખેડૂતો તૈયારીઓ કરી રહ્યા છે. MSP સહિતની અનેક માંગણીઓ પર ફરી એકવાર ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે સહમતિ સધાઈ શકી નથી, ત્યારબાદ ખેડૂત સંગઠનોએ 21 ફેબ્રુઆરીથી દિલ્હી સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. આ અંગે ખેડૂતો તૈયારીઓ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારના ઈરાદામાં ખામી છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર એમએસપી માટે ફોર્મ્યુલા નક્કી કરે એટલે કે 23 પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ. સરકારની દરખાસ્તથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી.

ખેડૂતો 21 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે

ખેડૂત નેતા પઢેર કહે છે કે અમે 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ (Farmer Protest) કરવાના છીએ. હાલ સરકાર સાથે વધુ કોઈ બેઠક થશે નહીં. પરંતુ અમે હંમેશા વાતચીત માટે તૈયાર છીએ. દલ્લેવાલે કહ્યું કે અમે સરકારને અપીલ કરીએ છીએ કે અમારી માંગણીઓ સ્વીકારે અથવા અમને શાંતિથી દિલ્હીમાં બેસવા દે. અમે તમામ ખેડૂત ભાઈઓને હિંસા ન કરવા અપીલ કરીએ છીએ.

રવિવારે ચોથા રાઉન્ડની વાતચીત થઈ હતી

તમને જણાવી દઈએ કે રવિવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત થઈ હતી. આ બેઠકમાં કૃષિ પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય હાજર હતા. તમને જણાવી દઈએ કે રવિવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત થઈ હતી. આ બેઠકમાં કૃષિ પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય હાજર હતા. આ પહેલા કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે 8, 12 અને 15 ફેબ્રુઆરીએ પણ વાતચીત થઈ હતી. અત્યાર સુધીની બેઠકો અનિર્ણિત રહી છે. જોકે, રવિવારે મળેલી ચોથી બેઠકમાં સરકારે ખેડૂતોને નવો પ્રસ્તાવ અથવા તો 'ફોર્મ્યુલા' આપ્યા છે. ખેડૂતોએ સરકારના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે સરકારે આપેલી દરખાસ્તને તોલવામાં આવે તો તેમાં કશું જ નથી. સરકારની આ દરખાસ્ત અંગે સોમવારે શંભુ બોર્ડર ખાતે ખેડૂત (Farmer Protest) આગેવાનોએ બેઠક યોજી હતી.

શું છે ખેડૂતોની માંગ?

ખેડૂતોની સૌથી મોટી માંગ MSP પર કાનૂની ગેરંટી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે MSP પર કાયદો લાવવો જોઈએ. ખેડૂતો એમએસપી પર સ્વામીનાથન કમિશનની ભલામણોને લાગુ કરવાની પણ માંગ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનો (Farmer Protest)નો દાવો છે કે સરકારે તેમને એમએસપીની ગેરંટી અંગે કાયદો લાવવાનું વચન આપ્યું હતું, પરંતુ આજ સુધી આવું થયું નથી. સ્વામીનાથન પંચે ખેડૂતોને તેમના પાકની કિંમત દોઢ ગણી ચૂકવવાની ભલામણ કરી હતી. પંચના અહેવાલને 18 વર્ષ વીતી ગયા છે, પરંતુ એમએસપી પરની ભલામણો હજુ સુધી લાગુ કરવામાં આવી નથી. અને ખેડૂતોના વારંવારના આંદોલનનું આ પણ એક મોટું કારણ છે. આ ઉપરાંત ખેડૂતો પેન્શન, લોન માફી, વીજળીના દરમાં કોઈ વધારો નહીં કરવા અને લખીમપુર ખેરી હિંસાનો ભોગ બનેલા ખેડૂતો પર નોંધાયેલા કેસ પાછા ખેંચવાની પણ માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ‘Chandigarh Mayor Election ને લઈને મોટા સમાચાર, માત્ર AAP ઉમેદવાર જ મેયર બનશે’…

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
arjun mundcentre farmers talkfarmers Delhi Chalo marchFarmers ProtestFarmers Protest at Shambu Borderfarmers protest updatesIndiakisan aandolanNationalpiyush giyal
Next Article