EPFO એ PF સંબંધિત આ નિયમો બદલ્યા, કર્મચારીઓને થશે ફાયદો...
નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે. આ સાથે, ઘણા મહત્વપૂર્ણ નવા નિયમો અમલમાં આવે છે. આવો જ એક નિયમ છે જે PF ખાતા સાથે જોડાયેલો છે અને 1 એપ્રિલથી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPFO) દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ લાગુ થવાથી કર્મચારીઓને સીધો ફાયદો થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા નિયમ હેઠળ PF એકાઉન્ટ ઓટો ટ્રાન્સફર થઈ ગયું છે. એટલે કે હવે નોકરી બદલવા પર PF એકાઉન્ટને નવા ખાતામાં ટ્રાન્સફર કરવાની જરૂર નહીં રહે. ઉદાહરણ તરીકે, જો તમે નોકરી બદલો છો, તો તમારું PF એકાઉન્ટ 1 એપ્રિલથી આપમેળે ટ્રાન્સફર થઈ જશે.
પહેલા PF એકાઉન્ટ મર્જ કરવું પડતું હતું...
અગાઉ, જ્યારે પણ તમે નોકરી બદલતા હતા, ત્યારે UAN માં નવા PF એકાઉન્ટ ઉમેરવામાં આવતા હતા. નોકરી બદલ્યા પછી, તમારે ઓનલાઈન EPFO વેબસાઈટ પર જઈને તમારું EPF એકાઉન્ટ મર્જ કરવું પડતું હતું. ના, હવે તમારે તમારું PF એકાઉન્ટ મર્જ કે ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે. નોકરી બદલાતાની સાથે જ આ આપોઆપ ટ્રાન્સફર થઈ જશે. તમને જણાવી દઈએ કે, કર્મચારીએ EPF ખાતામાં બેઝિક સેલરીના 12 ટકા ફાળો આપવાનો હોય છે અને એ જ યોગદાન એમ્પ્લોયર દ્વારા પણ કરવામાં આવે છે. આ ખાતા દ્વારા કર્મચારીને પાછળથી પેન્શન આપવામાં આવે છે.
EPFO માં 16.02 લાખ સભ્યો જોડાયા...
EPFO પેરોલ ડેટા અનુસાર, જાન્યુઆરી 2024માં 16.02 લાખ સભ્યો EPFO માં જોડાયા હતા. શ્રમ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન લગભગ 8.08 લાખ નવા સભ્યોએ EPFOમાં પોતાની નોંધણી કરાવી હતી. મંત્રાલયે કહ્યું કે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ના પ્રોવિઝનલ પેરોલ ડેટા જાન્યુઆરી 2024 માં 16.02 લાખ સભ્યોનો ચોખ્ખો વધારો દર્શાવે છે.
આ પણ વાંચો : CJI ચંદ્રચુડની મહત્વપૂર્ણ ટિપ્પણી, ‘તારીખ પર તારીખ’ સિસ્ટમ પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું…
આ પણ વાંચો : Arvind Kejriwal : 14 ફૂટની બેરેક, 1 ટીવી, 3 પુસ્તકો, CM કેજરીવાલની તિહાર જેલમાં પહેલી રાત….
આ પણ વાંચો : BJP : વરુણ ગાંધીની ટિકિટ કપાવા પર માતા મેનકા ગાંધીનું આવ્યું પ્રથમ રિએક્શન, જાણો BJP વિશે શું કહ્યું…