ED એ પહેલીવાર કોઈ પાર્ટીને બનાવી આરોપી, કેજરીવાલની મુશ્કેલીમાં પણ વધારો...
લિકર કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. ED એ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. 200 પાનાની આ સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને આરોપી બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં, ED એ આ કેસમાં 8 ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 7 પૂરક અને 1 મુખ્ય ચાર્જશીટનો સમાવેશ થાય છે.
ED એ ચાર્જશીટમાં શું કહ્યું?
- મનીષ સિસોદિયા અને કે કવિતા સાથે અરવિંદ કેજરીવાલ પણ 'માસ્ટર માઈન્ડ' છે.
- ED એ પોતાની ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીને આરોપી તરીકે જાહેર કરી છે.
- મની લોન્ડરિંગની તપાસમાં પ્રથમ વખત કોઈ રાજકીય પક્ષનું નામ આરોપી તરીકે સામે આવ્યું છે.
- ED એ કહ્યું છે કે તમે એક કંપની તરીકે PMLA ની કલમ 70 હેઠળ કાર્યવાહી કરવા માટે જવાબદાર છો.
- ED નું કહેવું છે કે મની લોન્ડરિંગની તપાસ દર્શાવે છે કે AAP દ્વારા તેના ગોવા ચૂંટણી પ્રચારમાં અપરાધની આવકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- AAP એ ગોવામાં ચૂંટણી પ્રચારમાં 45 કરોડ રૂપિયા ખર્ચ્યા.
ED officials along with Special Public Prosecutors reached Delhi Rouse Avenue Court to file supplementary chargesheet (prosecution complaint) in Delhi excise policy case.
This is the Eighth chargesheet in the matter filed by Enforcement Directorate.
According to the ED, Delhi…
— ANI (@ANI) May 17, 2024
કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે...
ED એ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 21 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા. તેણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. આ અરજી કેજરીવાલ વતી તેમની ધરપકડને ગેરકાયદે ગણાવીને દાખલ કરવામાં આવી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. જો કોર્ટને કેજરીવાલની ધરપકડ ગેરકાયદેસર લાગે છે તો તેમને જેલમાં જવું પડશે નહીં. જો આમ નહીં થાય તો તેમને જેલમાં જવું પડશે.
હવાલા ટ્રાન્સફરના પુરાવા...
જસ્ટિસ ખન્નાએ કહ્યું કે ED કહે છે કે તેમની પાસે આંધ્રપ્રદેશથી ગોવા ચૂંટણીમાં હવાલા ટ્રાન્સફરના પુરાવા છે. તેના પર કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ધરપકડના આધારે આ કોઈ પુરાવા નથી. જ્યારે ASG રાજુએ સિંઘવીના જવાબ સામે વાંધો ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો : Arvind Kejriwal ની મુશ્કેલીઓ વધી, Swati Maliwal ગેરવર્તણૂક કેસ મામલે દિલ્હી પોલીસ CM હાઉસ પહોંચી…
આ પણ વાંચો : AAP ના વીડિયો પર સ્વાતિ માલીવાલનો પલટવાર, જાણો શું કહ્યું…
આ પણ વાંચો : UP : PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર, કહ્યું- ‘કોંગ્રેસ તમારું આરક્ષણ ખતમ કરવા માંગે છે’