Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોણ છે Jay Bhattacharya? Donald Trump સોંપશે આ મહત્વની જવાબદારી!

US ચૂંટણીમાં Donald Trump રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા ભારતીય મૂળના ડોક્ટરને મળશે આ જવાબદારી ડોનાલ્ડ ટ્રમ્પ NIH ની મહત્વની જવાબદારી આપશે અમેરિકામાં તાજેતરના ચૂંટણી પરિણામો બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પ્રચંડ બહુમતી સાથે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald...
કોણ છે jay bhattacharya  donald trump સોંપશે આ મહત્વની જવાબદારી
Advertisement
  1. US ચૂંટણીમાં Donald Trump રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા
  2. ભારતીય મૂળના ડોક્ટરને મળશે આ જવાબદારી
  3. ડોનાલ્ડ ટ્રમ્પ NIH ની મહત્વની જવાબદારી આપશે

અમેરિકામાં તાજેતરના ચૂંટણી પરિણામો બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પ્રચંડ બહુમતી સાથે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના આગામી ડિરેક્ટરની જવાબદારી ભારતીય મૂળના ડોક્ટર જય ભટ્ટાચાર્ય (Jay Bhattacharya)ને સોંપી શકે છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ જયંત ભટ્ટાચાર્યનું ડાયરેક્ટર બનવું લગભગ નક્કી છે. જયંતને જય ભટ્ટાચાર્ય (Jay Bhattacharya) તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, US માં પોલિસી પ્રોફેસર છે. તેમને યુનિવર્સિટીમાં નેશનલ બ્યુરો ઓફ ઈકોનોમિક્સ રિસર્ચમાં રિસર્ચ એસોસિએટની જવાબદારી પણ આપવામાં આવી છે. જયંતનો જન્મ 1968 માં પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં થયો હતો. ભટ્ટાચાર્યએ 1997 માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાંથી MD ની ડિગ્રી મેળવી હતી.

2000 માં તેમણે તે જ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિભાગમાં PhD ની ડિગ્રી મેળવી. તે 2011 થી અહીં કામ કરે છે. તેમની પાસે ડેમોગ્રાફી ઑફ હેલ્થ એન્ડ એજિંગ ઉપરાંત સેન્ટર ફોર ઇકોનોમિક્સના ડિરેક્ટરની જવાબદારી છે. ભટ્ટાચાર્યએ વિશ્વમાં આરોગ્ય સંભાળના અર્થશાસ્ત્ર જેવા વિષયો પર સંશોધન કર્યું છે. તેમના સંશોધનમાં તેમણે આર્થિક રીતે નબળા લોકોના સ્વાસ્થ્ય અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ઉપરાંત, તેમણે US બાયોમેડિકલ સિસ્ટમ અને આરોગ્ય નીતિ સંબંધિત સરકારી યોજનાઓમાં પણ ભૂમિકા ભજવી છે. તેમનું સંશોધન વિવિધ આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, જાહેર આરોગ્ય, કાનૂની, તબીબી અને આરોગ્ય નીતિ જર્નલમાં પ્રકાશિત થયું છે. તેમણે COVID-19 ના રોગચાળા, ચેપની ઘાતકતા અને લોકડાઉન નીતિઓની અસર પર પણ સંશોધન કર્યું છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Nijjar Murder Case : કેનેડા સરકારનો વિચિત્ર નિર્ણય, ભારતીયો પર પ્રાથમિક સુનાવણી વિના જ ચાલશે કેસ…!

કોવિડ દરમિયાન ચર્ચામાં આવ્યા...

જય ભટ્ટાચાર્ય (Jay Bhattacharya) ઓક્ટોબર 2022 માં ચર્ચામાં આવ્યા હતા. ગ્રેટ બેરિંગ્ટન શીર્ષક હેઠળના તેમના એક અહેવાલમાં કોવિડ -19 નિયમો અંગે સરકારની ટીકા કરવામાં આવી હતી. આ રિપોર્ટ તૈયાર કરવામાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના સુનિતા ગુપ્તા અને હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માર્ટિન કુલ્ડોર્ફે પણ સહકાર આપ્યો હતો. આ રિપોર્ટમાં કોવિડના નિયમો પાછા ખેંચવા અને આર્થિક રીતે નબળા લોકો માટે નીતિઓ બનાવવાની માંગ કરવામાં આવી હતી. આ અહેવાલ સાર્વજનિક થયા બાદ રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ પણ તેનું સમર્થન કર્યું હતું. પરંતુ તત્કાલીન NIH ડિરેક્ટર ફ્રાન્સિસ એસ. કોલિન્સે આ અહેવાલને ખોટો ગણાવ્યો હતો.

આ પણ વાંચો : PM MODI એ ઇટાલિના પીએમને આપી ખાસ ભેટ, જ્યોર્જિયા મેલોની થઇ ગયા ખુશખુશાલ

Tags :
Advertisement

.

×