એકનાથ શિંદેના નિવેદન પર દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા, "CM પદને લઈને હવે બધું સ્પષ્ટ થઇ ગયું..."
- એકનાથ શિંદે પ્રેસ કોન્ફરન્સ કરી CM અંગે આપી જાણકારી
- શિંદેના નિવેદન પર દેવેન્દ્ર ફડણવીસે આપી પ્રતિક્રિયા
- એકનાથ શિંદેએ PM મોદી સાથે વાત કરી હતી
એકનાથ શિંદેના નિવેદન પર BJP નેતા દેવેન્દ્ર ફડણવીસે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકોને શંકા હતી જે એકનાથ શિંદેજીએ આહે સ્પષ્ટ કરી છે. અમે (મહાયુતિ નેતાઓ) ટૂંક સમયમાં CM પદને લઈને સામૂહિક નિર્ણય લઈશું. તમને જણાવી દઈએ કે, આજે એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાને CM પદની રેસમાંથી બહાર કરી દીધા હતા. તેમણે કહ્યું કે, ભાજપના ટોચના નેતાઓ જે પણ નિર્ણય લેશે, શિવસેના તેનું સમર્થન કરશે.
એકનાથ શિંદેએ PM મોદી સાથે વાત કરી હતી...
એકનાથ શિંદેએ એમ પણ કહ્યું કે, તેમણે PM મોદી સાથે વાત કરી અને તેમને પોતાનો નિર્ણય લેવા કહ્યું. અમે તમારો દરેક નિર્ણય સ્વીકારીએ છીએ. હું કોઈપણ રીતે સરકારની રચનામાં અવરોધ નહીં બની શકું. શિંદેએ કહ્યું કે, તેમણે PM મોદીને વચન પણ આપ્યું હતું કે તેઓ દરેક પરિસ્થિતિમાં તેમની સાથે રહેશે.
#WATCH | Nagpur | "In our Mahayuti, there was never a difference of opinions towards one another. We have always made decisions by sitting together and we have said before elections that we will take the decision (regarding CM's post) collectively after the elections. A few… pic.twitter.com/HH7DNo3l77
— ANI (@ANI) November 27, 2024
આ પણ વાંચો : તમે મંગળ પર જાઓ, ત્યાં ન તો EC છે કે ન તો EVM..., Sambit Patra એ મોજ લીધી?
દેવેન્દ્ર ફડણવીસે પોતાની પ્રતિક્રિયા આપી હતી...
હવે આ અંગે BJP નેતા દેવેન્દ્ર ફડણવીસે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, "અમારી ગઠબંધન મહાયુતિમાં ક્યારેય એકબીજા પ્રત્યે કોઈ મતભેદ નથી. અમે હંમેશા સાથે મળીને નિર્ણય લીધો છે અને અમે ચૂંટણી પહેલા કહ્યું હતું કે, ચૂંટણી પછી અમે સાથે મળીને નિર્ણય લઈશું (CM પદ વિશે) કેટલાક લોકોને શંકા છે જેને એકનાથ શિંદેએ આજે દૂર કરી છે અને અમે ટૂંક સમયમાં અમારા નેતાઓને મળીશું અને નિર્ણય લઈશું.
આ પણ વાંચો : જો કેજરીવાલને કંઈ થયું તો BJP જવાબદાર, Delhi ના મંત્રીનો મોટો ધડાકો...
શિવસેના સમર્થન આપશે...
મહારાષ્ટ્રના કાર્યવાહક CM એકનાથ શિંદેના નિવેદન પર ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ નાયબ CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "ભાજપના વરિષ્ઠ નેતાઓ CM પદને લઈને જે પણ નિર્ણય લેશે, શિવસેના તેમના ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપશે."
આ પણ વાંચો : મહારાષ્ટ્ર CM પદને લઈને વિવાદ હજુ પણ...!, ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું આ કારણે થઇ રહ્યો છે વિલંબ...