ભયંકર વાવાઝોડું Cyclone Yagi 3800 કિમીની મુસાફરી કરી ભારતમાં....
- મધ્ય પ્રશાંત મહાસાગરમાં ઉદભવેલા તોફાન યાગીથી ભારે તબાહી
- ફિલિપાઈન્સ, વિયેતનામ, થાઈલેન્ડ, મ્યાનમાર, લાઓસ, નામીબિયામાં મચાવી તબાહી
- વાવાઝોડું યાગી 3800 કિમી દુરથી હવે ભારતમાં પ્રવેશ્યુ
- વાવાઝોડા યાગીથી નોર્થ ઇસ્ટના રાજ્યોમાં વરસાદ
- યાગી વાવાઝોડાની સફરથી હવામાનશાસ્ત્રીઓ આશ્ચર્યચકિત
Cyclone Yagi : દરિયામાં સર્જાયેલ ચક્રવાતી વાવાઝોડું યાગી (Cyclone Yagi) સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહ્યું છે. 30 વર્ષ પછી આવેલા આ ભયંકર ચક્રવાતી તોફાનના કારણે તમામ દેશો હવામાનની અસરનો સામનો કરી રહ્યા છે. આ વાવાઝોડું પહેલા દક્ષિણ ચીનના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. ત્યારબાદ 2 દિવસમાં તે સુપર ટાયફૂન બની ગયું અને 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિયેતનામ તરફ આગળ વધ્યું. તેણે ફિલિપાઈન્સ, વિયેતનામ, થાઈલેન્ડ, મ્યાનમાર, લાઓસ, નામીબિયા વગેરે દેશોમાં તબાહી મચાવી હતી.
તોફાન યાગીએ 3800 કિલોમીટર દૂર ભારતમાં આવ્યા બાદ પણ તેની અસર દેખાડી
આ ભયાનક વાવાઝોડું હવે ભારત તરફ વળ્યું છે. આ કારણે ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે આ મહિનામાં ચોમાસું લગભગ વિદાય લઇ લે છે પરંતુ યાગી વાવાઝોડાની અસરને કારણે આ વખતે 15 સપ્ટેમ્બર પછી પણ ચોમાસાએ વિદાય લીધી નથી. તોફાન યાગીએ 3800 કિલોમીટર દૂર ભારતમાં આવ્યા બાદ પણ તેની અસર દેખાડી છે, જેના પરિણામે દિલ્હી-એનસીઆર, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ પડી રહ્યો છે અને હજુ થોડા દિવસો સુધી હવામાન આવું જ રહેવાની સંભાવના છે.
આ પણ વાંચો---Himachal Pradesh માં ભારે વરસાદને કારણે 53 રસ્તાઓ બંધ, IMD એ 'યલો' એલર્ટ જાહેર કર્યું
One of the deadliest weather systems of 2024 will dissipate over the next few days
Typhoon Yagi and its remnants, have killed more than 500 people across southeast Asia, with devastating floods in Vietnam and Myanmar
Now as a depression in north India, it will soon fade away pic.twitter.com/buU7gnzUzB
— BBC Weather (@bbcweather) September 17, 2024
યાગી વાવાઝોડાની સફરથી હવામાનશાસ્ત્રીઓ આશ્ચર્યચકિત
અહેવાલ મુજબ મધ્ય પ્રશાંત મહાસાગરમાં ઉદભવેલું તોફાન યાગી 3800 કિલોમીટરથી વધુની મુસાફરી કરીને ઉત્તર ભારતમાં પહોંચી ગયું છે. ભારતમાં આટલી લાંબી મુસાફરી અને તેની અસર જોઈને હવામાનશાસ્ત્રીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તે જ સમયે, તેમને અન્ય એક સંશોધનનો વિષય મળ્યો કે વૈશ્વિક હવામાન અને દરિયામાં ક્યાંય પણ ઉદ્ભવતા તોફાનો ભારતને કેવી રીતે અસર કરી શકે છે? સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભારતથી આટલું દૂર દરિયામાં ઊભું થયેલું તોફાન ભારતમાં પણ પહોંચ્યું હતું.
આ વાવાઝોડું ભારતમાં વરસાદનું કારણ
જો કે આ વાવાઝોડું ભારતમાં વરસાદનું કારણ બની રહ્યું છે, પરંતુ તે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારો માટે ફાયદાકારક રહ્યું છે, કારણ કે અગાઉ વરસાદની અછત હતી. તોફાન યાગીના ભેજથી ભરેલા કણો ચોમાસાના પ્રવાહો સાથે ભળે છે, જેના કારણે પૂર્વ, મધ્ય અને ઉત્તરીય રાજ્યોમાં વરસાદ પડે છે. આ વરસાદથી જળસ્ત્રોતો ફરી ભરવામાં અને કૃષિ પ્રવૃત્તિઓને વેગ આપવામાં મદદ મળી છે. જો કે, વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધતું હોવાથી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
Typhoon #Yagi makes landfall over Ha Long, northern Vietnam, with winds of 205 km/h 🌀 pic.twitter.com/hcVWG2Ywgm
— Zoom Earth (@zoom_earth) September 7, 2024
ભારતના દુષ્કાળગ્રસ્ત રાજ્યોમાં સ્થિતિ સુધરી
મીડિયા અહેવાલો અનુસાર, હવામાન વિભાગ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે, પરંતુ વર્તમાન સંકેતો સૂચવે છે કે આ તોફાન અને ચોમાસાની ગતિવિધિઓની અસર ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. યાગી વાવાઝોડાએ ભારતમાં ચોમાસું પાછું ખેંચતા સમયે ભારે વરસાદને કારણે ઘણા રાજ્યોમાં દુષ્કાળની પરિસ્થિતિમાં ઘટાડો કર્યો છે, આ ભારત માટે ફાયદાકારક છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે પ્રશાંત મહાસાગરમાં સર્જાતા ચક્રવાતી વાવાઝોડાની અસર કેટલી દૂરગામી હોઈ શકે છે. તેઓ હજારો કિલોમીટર દૂર ભારતમાં હવામાન પેટર્નને કેવી રીતે અસર કરી શકે છે? આબોહવાની પેટર્ન સતત વિકસતી હોવાથી, આવી અસામાન્ય ઘટનાઓ વધુ વાર બની શકે છે.
આ પણ વાંચો---Gujarat Monsoon: 2024 - સૌરાષ્ટ્ર અને કચ્છમાં મન મૂકીને મેહુલો વરસ્યો