Chennai એરપોર્ટ ફરી ખુલ્યું, Cyclone 'Fengal' ટૂંક સમયમાં નબળું પડવાની ધારણા
- Cyclone Fengal ને કારણે તમિલનાડુમાં ભારે વરસાદ
- Cyclone Fengal શનિવારે પુડુચેરીના કિનારે પહોંચ્યું હતું
- Cyclone નબળું પડતા ચેન્નાઈ એરપોર્ટ ફરી ખોલવામાં આવ્યું
Cyclone Fengal ને કારણે ઉત્તરી તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદ થયો, જે આજે સવારે ચાલુ છે. 'Fengal' શનિવારે પુડુચેરીના કિનારે પહોંચી ગયું હતું. Cyclone ના કારણે થયેલા વરસાદને કારણે ચેન્નાઈ (Chennai) એરપોર્ટ બંધ કરવું પડ્યું, શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ચેન્નાઈ (Chennai) ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે 4.00 વાગ્યાથી ફ્લાઈટ ઓપરેશન ફરી શરૂ થઈ ગયું છે. Cyclone ને કારણે ગઈકાલથી સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.
#WATCH | Tamil Nadu | Flight operations resumed at Chennai International Airport at 4.00 am today. The services were suspended since yesterday due to #CycloneFengal pic.twitter.com/s7dNAqMx3A
— ANI (@ANI) December 1, 2024
ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું...
IMD એ જણાવ્યું હતું કે, Cyclone Fengal રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ લેન્ડફોલ કર્યું હતું. લેન્ડફોલ પછી, Cyclone Fengal પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી છ કલાકમાં ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં નબળું પડવાની આગાહી છે. તમિલનાડુમાં આગામી 48 કલાક સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે, ચેન્નાઈ (Chennai) એરપોર્ટે રવિવારે સવારે 4 વાગ્યા સુધી તમામ કામગીરી સ્થગિત કરી દીધી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીના ઘણા ભાગો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ પ્રદેશમાં ભારે ભરતી અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
#WATCH | Puducherry continues to experience heavy rainfall accompanied by strong winds as #FengalCyclone made landfall on the Puducherry coast at 7 pm on Saturday.
Storm to move south-west of Tamil Nadu, weaken into deep depression, says IMD
Visuals from the Rainbow Nagar area… pic.twitter.com/zBW19Qx4JU
— ANI (@ANI) December 1, 2024
આ પણ વાંચો : Delhi માં ગાઢ ધુમ્મસ, તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું; જાણો દેશના અન્ય ભાગોમાં કેવું રહેશે હવામાન?
10 પોઈન્ટ...
- Cyclone Fengal એ પુડુચેરીના દરિયાકાંઠે લેન્ડફોલ કરવાનું શરૂ કર્યું છે. IMD એ જણાવ્યું કે Cyclone આગામી ત્રણથી ચાર કલાકમાં તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.
- વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને ભારે પવન સતત તબાહી મચાવી રહ્યા છે. ચેન્નાઈ (Chennai)માં ફ્લાઈટ અને ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે.
- વરસાદ સંબંધિત એક ઘટનામાં, ચેન્નાઈ (Chennai)માં ATM માંથી રોકડ ઉપાડવાનો પ્રયાસ કરતી વખતે વીજળી પડવાથી એક સ્થળાંતરિત કામદારનું મૃત્યુ થયું હતું.
- Cyclone Fengal ઉત્તરી તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે પુડુચેરીની નજીક પહોંચી ગયું છે. આ દરમિયાન પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી હતી. તે ગઈકાલે ઉત્તરીય દરિયાકાંઠાના તમિલનાડુ અને પુડુચેરી પર કેન્દ્રિત હતું, પુડુચેરીની નજીક. તે ધીમે ધીમે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને આગામી 3 કલાક દરમિયાન ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં નબળું પડી જશે.
- લેન્ડફોલ પછી, તે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને આગામી 6 કલાક દરમિયાન ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં નબળું પડી જશે. ચેન્નાઈ (Chennai)માં ડોપ્લર વેધર રડાર દ્વારા સિસ્ટમ પર સતત નજર રાખવામાં આવી રહી છે. Cyclone Fengal પુડુચેરી કિનારે પહોંચતા ભારે વરસાદને કારણે ચેન્નાઈ (Chennai) એરપોર્ટના કેટલાક ભાગો ડૂબી ગયા છે.
આ પણ વાંચો : Rajasthan : CM ભજનલાલ સરકારનો મોટો નિર્ણય, જો હવે બળજબરી ધર્મ પરિવર્તન કરશો તો ખેર નહીં...
- ચેન્નાઈ (Chennai) એરપોર્ટ પર કામગીરી સ્થગિત રહી હતી, જ્યારે પડોશી કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
- પુડુચેરીમાં, NDRF ની ટીમ અરક્કોનમથી રાહત અને પુનર્વસન કામગીરીમાં જોડાવા માટે પહોંચી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ કુલોથુનગનના જણાવ્યા અનુસાર Cyclone 'Fengal' ગઈકાલે સાંજ સુધીમાં દરિયાકાંઠાને પાર કરી ગયું હતું. લોકો બીચની નજીક ન જાય તે માટે આખો રસ્તો અને બીચ નજીકના ઘણા પર્યટન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. શનિવારે પણ શાળા અને કોલેજો બંધ રહી હતી.
- ચેન્નાઈ (Chennai)માં લોકલ ટ્રેનોની ગતિ પણ ધીમી થઈ ગઈ છે. પરિસ્થિતિને જોતા, દક્ષિણ રેલવેએ પણ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર અને કેટલીક જગ્યાએ ટ્રેનની કામગીરી બંધ કરવાની જાહેરાત કરી છે.
- આગાહીમાં માછીમારોને દરિયાકાંઠેથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી અને એક મીટર (ત્રણ ફૂટ) ઊંચા મોજાંની આગાહી કરવામાં આવી હતી, જે નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભું કરે છે.
- Fengal આ અઠવાડિયાની શરૂઆતમાં શ્રીલંકાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું, જેમાં છ બાળકો સહિત ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો : Delhi : AAP ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડ, ગેંગસ્ટર સાથેનો ઓડિયો થયો વાયરલ