Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરી લઇને બ્રહ્મ સમાજના યુવા આગેવાન સાથે વાતચીત

મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે...
01:42 PM Aug 02, 2023 IST | Vipul Pandya
મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીનું નિવેદન
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રેમલગ્નમાં (Love Marriage) માતા-પિતાની સહમતિ માટેનો નિયમ બનાવવાની સરકાર વિચારણા કરી રહી હોવાના તેમજ બંધારણની મર્યાદામાં રહીને આવી વ્યવસ્થા ગોઠવી શકાય એમ છે કે કેમ તેનો અભ્યાસ કરીશું. તેમ જણાવ્યું હતું.
આ પછી પ્રેમલગ્નમાં (Love Marriage) વાલીની મંજુરી અનિવાર્ય કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણી સાથે આ મુદ્દે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. આ મુદ્દે બનાસકાંઠાના બ્રહ્મ સમાજના આગેવાન મનોજ ઉપાધ્યાય સાથે વાત કરી હતી.
પ્રશ્ન--  તમારા મતે પ્રેમલગ્ન કેમ અટકવા જોઇએ
ચોક્કસ હું એવું માનું છું કે 18 વર્ષ સુધી દિકરીને મા બાપ લાડકોડથી ઉછેરી મોટી કરે અને છોકરી ગમે ત્યારે અણઆવડત અને વિચાર્યા વગર છોકરાના સંપર્કમાં આવી તેની સાથે બધાના વિરુદ્ધમાં જઇને લગ્ન કરે તે કોઇ પણ રીતે યોગ્ય નથી. ગુજરાત સરકાર દ્વારા જે વિચાર કરાયો છે , હું સમસ્ત બ્રહ્મ સમાજ વતી સંપૂર્ણ ટેકો આપું છું અને સરકારને કહું છું કે પુરો સમાજ આપની સાથે છે અને આ બાબતે આપ આગળ વધો. આ જે પણ પ્રક્રિયા કરવી પડે, બંધારણમાં સુધારો કરવો પડે, નવો કાયદો લાવવો પડે કે નવા પગલાં લેવા પડે તો લો. બ્રહ્મ સમાજ આપની સાથે હાથથી હાથ મિલાવી ઉભો છે.
પ્રશ્ન-- પ્રેમલગ્નથી યુવા દંપતિને ભવિષ્યમાં શું તકલીફ પડી શકે છે અને લવ જેહાદના કેસ સતત વધી રહ્યા છે તેને અટકાવવા શું કરી શકાય
હું એક વકીલ તરીકે પણ એક વાત ચોક્કસ કહીશ કે મોટાભાગના ડિવોર્સના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા વચ્ચે જ એવુ કહેવાયું કે 90 ટકાથી વધારે જે પ્રેમલગ્ન થયેલા છે તેમાં ડિવોર્સના કેસ બને છે. આજે કોર્ટોમાં ડિવોર્સના લીધે કોર્ટના કેસમાં પણ વધારો થયો છે. પ્રેમલગ્ન કરનારામાં મોટાભાગના છુટાછેડા સુધી પહોંચે છે. તેમની વચ્ચે જે ગેપ છે એને પુરનાર કોઇ હોતું નથી. સમાજના આગેવાન હોતા નથી, તેમને સમજાવનાર કોઇ હોતું નથી. બે જીવન સાથે ઘણી વાર બાળકોના જીવન પણ અસ્તવ્યસ્ત થઇ જતા હોય છે જેથી આ પ્રકારના ક્લીયરકટ સ્ટેપ સમાજના હિતમાં લેવાય તે માટે વિનંતી કરું છે.
ઘણી બધી જગ્યાએ હાથમાં દોરા બાંધી, પોતાની આઇડી અલગ બનાવીને અને મોજશોખના સારા બાઇકો લઇને નાની દિકરીઓ કે જેમની સમજણની શરુઆત થતી હોય છે તે આ પ્રકારના દેખાવમાં આવી મોહિત થઇને તેમની સાથે જતી હોય છે અને આ પ્રકારના પ્રપંચમાં પડીને વિધર્મીઓનું આવું નેટવર્ક ચાલે છે. હમણાં જ એક કિસ્સો બહાર આવ્યો અને કોર્ટે પણ સંજ્ઞાન લીધું છે કે પોતાના બાળકને વેચીને બહેને આઇફોન 14 લીધો. જેથી આ પ્રકારની બદીઓ દુર થવાની જરુર છે અને તત્કાળ સરકાર આમા આગળ વધે.
આ પણ વાંચો---રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરી લઇને દલિત સંગઠનના પ્રમુખ સાથે વાતચીત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Brahm SamajCM Bhupendra PatelLove-Marriageopinion
Next Article