Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Controversial Statement : ભાજપ નેતાએ વિદ્યાર્થીઓને ભણવાનું છોડી પંચરની દુકાન ખોલવાનું કહ્યું!

Controversial Statement : નેતા અને વિવાદ સિક્કાની બે બાજુ જેવા જ હોય છે. ઘણીવાર નેતાઓ ભાષણ આપવામાં કઇંક એવું બોલી જતા હોય છે કે, જેના પર વિવાદ શરૂ થઇ જતો હોય છે. તાજેતરમાં એક ભાજપના નેતા (BJP Leader) એ પણ...
controversial statement   ભાજપ નેતાએ વિદ્યાર્થીઓને ભણવાનું છોડી પંચરની દુકાન ખોલવાનું કહ્યું
Advertisement

Controversial Statement : નેતા અને વિવાદ સિક્કાની બે બાજુ જેવા જ હોય છે. ઘણીવાર નેતાઓ ભાષણ આપવામાં કઇંક એવું બોલી જતા હોય છે કે, જેના પર વિવાદ શરૂ થઇ જતો હોય છે. તાજેતરમાં એક ભાજપના નેતા (BJP Leader) એ પણ કઇંક આવું જ કર્યું છે. મધ્યપ્રદેશના ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય પન્નાલાલ શાક્ય (MLA from Madhya Pradesh Pannalal Shakya) એ એક વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) આપ્યું છે. તેમણે વિદ્યાર્થીઓ (Students) ને કહ્યું હતું કે ડિગ્રી મેળવવાથી કંઈ થશે નહીં અને તેમણે મોટરસાઈકલ (Motorcycle) પંચરની દુકાન (Puncture Shop) ખોલવી જોઈએ. તેનાથી ઘર ચાલશે.

MLA પન્નાલાલ શાક્યના મતે ડિગ્રીની કોઇ જરૂર નથી

દેશમાં ભણતરની કેટલી જરૂર છે તે વિશે પણ નેતાઓ પોતાના ભાષણમાં કહેવા લાગ્યા છે. મધ્યપ્રદેશના ભાજપના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ વિદ્યાર્થીઓને વિચિત્ર સલાહ આપી છે. વિવાદાસ્પદ નિવેદન આપતા તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે ડિગ્રી મેળવવાથી કંઈ થશે નહીં અને તેમણે મોટરસાઈકલ પંચરની દુકાન ખોલવી જોઈએ. તેનાથી ઘર ચાલશે. ધારાસભ્યએ આ નિવેદન એવા સમયે આપ્યું હતું જ્યારે તેઓ તેમના મતવિસ્તાર ગુનામાં 'પીએમ કોલેજ ઓફ એક્સેલન્સ'ના ઉદ્ઘાટન માટે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ પહેલા રવિવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઈન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં ઓનલાઈન માધ્યમથી રાજ્યના 55 જિલ્લાઓમાં 'પીએમ કોલેજ ઓફ એક્સેલન્સ'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુના સહિત સંબંધિત જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

ઈન્દોરમાં વૃક્ષારોપણ અભિયાનનો નવો વિશ્વ રેકોર્ડ

ગુનામાં આયોજિત કાર્યક્રમમાં શાક્યએ કહ્યું, 'અમે આજે 'પીએમ કોલેજ ઓફ એક્સેલન્સ'નું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. હું દરેકને એક વાક્ય ધ્યાનમાં રાખવાની અપીલ કરું છું કે આ કોલેજોની ડિગ્રીઓથી કંઈ થવાનું નથી. તેના બદલે, ઓછામાં ઓછું આજીવિકા મેળવવા માટે મોટરસાયકલ પંચર રિપેર કરવાની દુકાન ખોલો. ઈન્દોરમાં રવિવારે આયોજિત વિશાળ વૃક્ષારોપણ અભિયાનનો સ્પષ્ટ સંદર્ભ આપતાં શાક્યએ કહ્યું, 'લોકો વૃક્ષો વાવે છે પરંતુ તેને પાણી આપવામાં રસ દાખવતા નથી.' એક અભિયાન અંતર્ગત ઈંદોર શહેરમાં 24 કલાકમાં 11 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા જે એક નવો વિશ્વ રેકોર્ડ છે. તેમણે કહ્યું, 'આજે સમગ્ર દેશમાં પર્યાવરણને લઈને ચિંતા છે. દરેક વ્યક્તિ પ્રદૂષણથી ચિંતિત છે. જો તમે આજે એક વૃક્ષ વાવો છો, તો તમે તેની જાળવણી ક્યાં સુધી કરશો? ઓછામાં ઓછા માણસની ઉંચાઈ સુધી તો વધારો, ત્યારે પર્યાવરણનો બચાવ થશે.' ધારાસભ્યએ કહ્યું કે, સૌપ્રથમ તે પાંચ તત્વો (પૃથ્વી, હવા, પાણી, સૌર ઉર્જા અને આકાશ)ને બચાવવા જોઈએ જેનાથી માણસ શરીરનું નિર્માણ થાય છે.

આ પણ વાંચો - કેદારનાથમાંથી કોણ લઇ ગયું રૂ.1500000000 નું સોનું? સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો ગંભીર આરોપ

આ પણ વાંચો - Lucknow : BJP ની બેઠકમાં કેશવ પ્રસાદ મૌર્યનું મોટું નિવેદન, કહ્યું- સરકાર કરતા સંગઠન મોટું…!

Tags :
Advertisement

Related News

featured-img
Top News

VADODARA : ખેડૂતે 4 વીઘા જમીનમાં તૈયાર બાજરીનો પાક ગૌ માતા-નંદીજી માટે ખુલ્લો મુક્યો

featured-img
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ઈરાન પર હુમલા બાદ હવે ત્રીજા વિશ્વયુદ્ધની ચિંતા ઊભી થઇ! મુસ્લિમ દેશો આવ્યા એકસાથે

featured-img
Top News

Gujarati Top News : આજે 23 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
આંતરરાષ્ટ્રીય

Israel-Iran War ના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, જાણો ભારતની શું છે તૈયારીઓ

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 23 June 2025: આ રાશિના લોકોને ગૌરી યોગથી જબરદસ્ત લાભ થશે, ભાગ્ય પણ મહેરબાન થશે

featured-img
Top News

VADODARA : લાઇવ ચોરી દરમિયાન પોલીસે ઘર ઘેર્યું, તસ્કરો તલવાર વડે હુમલો કરીને ફરાર

×

Live Tv

Trending News

.

×