Punjab માં ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ, SHO ના બંને હાથ પર ઈજા, અનેક પોલીસ કર્મીઓ ઘાયલ...
- Punjab ના માનસામાં ભારે હંગામો
- ગેસ પાઈપ લાઈનને લઈને થયો વિવાદ
- વિવાદના કારણે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
પંજાબ (Punjab)ના માનસામાં ભારે હંગામો થયો છે. ખેડૂતો અને પોલીસ વચ્ચેની હિંસક અથડામણમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. ખેડૂતોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. હિંસક અથડામણમાં ત્રણ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અને અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. SHO ભીખીના બંને હાથ તૂટી ગયા છે. બીજી તરફ કેટલાક ખેડૂતો ઘાયલ થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગેસ પાઈપલાઈનને લઈને વિવાદ...
કહેવામાં આવી રહ્યું છે કે, માનસાના લેલેવાલા ગામમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન ખેડૂતો અને પોલીસ અધિકારીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા. ખેડૂતોએ માણસાથી લેલેવાલા સુધી કૂચ કરતાં તણાવ વધી ગયો. ગુજરાત ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતો સરકાર સાથે અસંમત છે. પોલીસનું કહેવું છે કે, જ્યારે ખેડૂતો ઉશ્કેરાઈ ગયા તો તેઓએ લાઠીચાર્જ કરવો પડ્યો. SHO ભીખીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેના બંને હાથે ગંભીર ઈજાઓ થઈ છે. અથડામણ દરમિયાન બે અન્ય પોલીસ સ્ટેશન અધિકારીઓ અને ઘણા પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : આજે Maharashtra ના CM પદના શપથ લેશે દેવેન્દ્ર ફડણવીસ, PM મોદી આપશે હાજરી...
મળતી માહિતી મુજબ તમામ ખેડૂતો તલવંડી સાબોથી સંગરુર થઈને માનસા તરફ આવી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, પોલીસે ખેડૂતોને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. જેમાં કેટલાક ખેડૂતો ઘાયલ પણ થયા હતા.
A clash broke between the police & farmers in Mansa district of Punjab over Gujarat gas pipeline last night. 3 Police personnel & farmers were injured. pic.twitter.com/Hx91HRh6u1
— ਐੱਸ ਸੁਰਿੰਦਰ (@KhalsaVision) December 5, 2024
આ પણ વાંચો : 'Sambhal હિંસામાં સામેલ એક પણ બદમાશને છોડવામાં નહીં આવે', CM યોગીએ આપી કડક સૂચના...
વિસ્તારમાં હાલ શાંતિ...
આ ઘટના મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર હાલ ઘટનાસ્થળે શાંતિ છે. આ વિસ્તારમાં પોલીસ હજુ પણ સ્ટેન્ડ બાય પર છે. તમામ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘાયલોની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે, ખેડૂતો પોતાની વિવિધ માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવતીકાલે ખેડૂતો પંજાબ (Punjab)ની સરહદોથી ફરી દિલ્હી સુધી કૂચ કરશે. કોંગ્રેસના કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષનું કહેવું છે કે હરિયાણા સરકાર ખેડૂતોને દિલ્હી જતા રોકી રહી છે.
આ પણ વાંચો : Kashmir માં પારો શૂન્ય ડિગ્રીથી નીચે, Delhi માં પણ ઠંડી વધશે, Mumbai માં તૂટ્યો 16 વર્ષનો રેકોર્ડ...