ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Chinmoy Das : બાંગ્લાદેશમાં હિન્દુ ચિન્મય દાસને 156 દિવસ બાદ મળ્યા જામીન

બાંગ્લાદેશની હાઈકોર્ટે સંત ચિન્મય કૃષ્ણ દાસને મોટી રાહત હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપ્યા દેશદ્રોહના કેસમાં છેલ્લા પાંચ મહિનાથી જેલમાં હતા Chinmoy Das Bangladesh Case : બાંગ્લાદેશની હાઈકોર્ટે (Bangladesh Case )આજે (30 એપ્રિલ) હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને(Chinmoy...
06:04 PM Apr 30, 2025 IST | Hiren Dave
બાંગ્લાદેશની હાઈકોર્ટે સંત ચિન્મય કૃષ્ણ દાસને મોટી રાહત હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપ્યા દેશદ્રોહના કેસમાં છેલ્લા પાંચ મહિનાથી જેલમાં હતા Chinmoy Das Bangladesh Case : બાંગ્લાદેશની હાઈકોર્ટે (Bangladesh Case )આજે (30 એપ્રિલ) હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને(Chinmoy...
featuredImage featuredImage
Chinmay Krishna Das

Chinmoy Das Bangladesh Case : બાંગ્લાદેશની હાઈકોર્ટે (Bangladesh Case )આજે (30 એપ્રિલ) હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને(Chinmoy Das) જામીન આપ્યા છે, તેઓ દેશદ્રોહના કેસમાં છેલ્લા પાંચ મહિનાથી જેલમાં બંધ હતા. જોકે હજુ પણ તેઓ જેલમાં જ રહેશે, તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે સુપ્રીમ કોર્ટ જામીનના આદેશ પર રોક લગાવી શકે છે. વાસ્તવમાં ચિન્મય કૃષ્ણ દાસ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ ન્યાયાધીશ મોહમ્મદ ઉતાઉર રહમાન અને ન્યાયાધીશ મોહમ્મદ અલી રજાની બેંચે અરજી પર સુનાવણી હાથ ધરી આ આદેશ પસાર કર્યો છે.

ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કેમ કરવામાં આવી હતી?

બાંગ્લાદેશના ચટગાંવમાં ઓક્ટોબર-2024માં ‘સનામત જાગરણ મંચ’ નામથી રેલી યોજાઈ હતી, જેમાં ચિન્મય દાસે સંબોધન કર્યું હતું. તે જ દિવસે ન્યૂ માર્કેટ વિસ્તારમાં ભગવો ધ્વજ લહેરાયો અને તેમાં લખ્યું હતું કે, આમી સનાતની. થોડા દિવસો બાદ બીએનપી નેતા ફિરોજ ખાને આક્ષેપ કર્યો હતો કે, આ ધ્વજની ઘટનાના કારણે દેશના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થયું છે. ત્યારબાદ ચિન્મય દાસ સહિત 19 લોકો વિરુદ્ધ દેશદ્રોહને કેસ નોંધાયો હતો, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન માત્ર બાંગ્લાદેશ જ નહીં, ભારત સહિત અનેક દેશોમાં તેમની ધરપકડનો વિરોધ થયો હતો.

ચિન્મય કૃષ્ણ દાસ કોણ છે?

ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના પ્રમુખ નેતા અને ઈસ્કોન ચટગાંવના પુંડરીક ધામના અધ્યક્ષ છે. તેમનું અસલી નામ ચંદન કુમાર ધર છે, તેમને લોકો ચિન્મય પ્રભુ નામથી પણ ઓળખે છે. તે બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારો વિરુદ્ધ સશક્ત અવાજ ઉઠાવતાં રહ્યાં છે. બાંગ્લાદેશમાં ઈસ્કોન (ISKCON)ના 77થી વધુ મંદિર છે અને લગભગ 50 હજારથી વધુ લોકો આ સંગઠનથી જોડાયેલા છે.

આ પણ  વાંચો -Pahalgam Attack ના એક દિવસ પહેલા આતંકી જોડે સંવાદ થયાનો યુવકનો દાવો

ધરપકડથી જામીન સુધીનો ઘટનાક્રમ

આ પણ  વાંચો -Pahalgam Attack બાદ જળ રોકતા કટોકટીમાં પાકિસ્તાન, ICJ માંથી ખાલી હાથ ફરવું પડશે

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નજર રાખો

બુધવારે હાઈકોર્ટની બે જજોની બેન્ચે તેમની અરજી સ્વીકારી અને તેમને જામીન આપ્યા. જોકે, હવે બધાની નજર સુપ્રીમ કોર્ટના અપીલ વિભાગ પર છે, જે ઇચ્છે તો આ નિર્ણય પર રોક લગાવી શકે છે. દાસના વકીલે કહ્યું કે જો ત્યાંથી કોઈ સ્ટે નહીં લગાવવામાં આવે તો દાસને ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત કરવામાં આવશે. આ નિર્ણયથી તેમને રાહત તો મળી છે જ, પરંતુ બાંગ્લાદેશના લઘુમતીઓને પણ આશાનું કિરણ દેખાયું છે.

સરકારનો ચિન્મય દાસ સાથે સંઘર્ષ કેમ થયો?

ભારત સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લીધી. દાસની ધરપકડ બાદ, ભારતે ઢાકાના અધિકારીઓને તેમના સ્વાસ્થ્ય અને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓ વધ્યા છે, અને દાસ જેવા નેતાઓને ચૂપ કરવાના પ્રયાસો બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધારી રહ્યા છે.બાંગ્લાદેશની ૧૭ કરોડ વસ્તીમાં હિન્દુઓ લગભગ ૮ ટકા છે અને છેલ્લા કેટલાક મહિનામાં દેશના ૫૦ થી વધુ જિલ્લાઓમાં તેમના પર હિંસક હુમલાઓ નોંધાયા છે. ચિન્મય દાસે આ હુમલાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો અને યુનુસે સરકાર પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી. કદાચ આ જ કારણે તે સત્તાઓનું નિશાન બન્યો.

Tags :
Bangladesh BailBangladesh Human RightsChinmay Krishna DasChinmay Krishna Das Bailglobal updateHindu MonkTreason Caseworld newsworld update