ચંપાઈ સોરેને JMM ના તમામ પદો પરથી આપ્યું રાજીનામું, 30 ઓગસ્ટે ભાજપમાં જોડાશે
- ચંપાઈ સોરેન ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે
- સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ રાજીનામું
- આ પહેલા તેઓ અમિત શાહને મળ્યા હતા
ઝારખંડના પૂર્વ CM ચંપાઈ સોરેને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)માંથી રાજીનામું આપી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યું ઝારખંડના આદિવાસીઓ, દલિતો, પછાત લોકો અને સામાન્ય લોકોના મુદ્દાઓ પર અમારો સંઘર્ષ ચાલુ રહેશે.
તાજેતરમાં આ જણાવ્યું હતું...
હાલમાં જ પત્રકારો સાથે વાત કરતા ચંપાઈ સોરેને કહ્યું હતું કે, તેમણે ખૂબ જ સમજી વિચારીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. ઝારખંડના હિતમાં લેવાયેલો આ એકદમ યોગ્ય નિર્ણય છે.
आज झारखंड मुक्ति मोर्चा की प्राथमिक सदस्यता एवं सभी पदों से त्याग-पत्र दिया।
झारखंड के आदिवासियों, मूलवासियों, दलितों, पिछड़ों एवं आम लोगों के मुद्दों को लेकर हमारा संघर्ष जारी रहेगा। pic.twitter.com/ZpAmm2dopr
— Champai Soren (@ChampaiSoren) August 28, 2024
આ પણ વાંચો : 'દીદી, તમારી હિંમત કેવી રીતે થઈ?...'; મમતા બેનર્જીના નિવેદન પર ગુસ્સે ભરાયા આસામના CM...
અમિત શાહને મળ્યા હતા...
તેઓ 26 ઓગસ્ટની રાત્રે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આસામના મુખ્ય પ્રધાન અને ઝારખંડના ભાજપના ચૂંટણી સહ-પ્રભારી હિમંતા બિસ્વા સરમા સાથે મળ્યા હતા. જેમાં તેમના ભાજપમાં જોડાવા પર સહમતિ બની હતી. આ પછી 27 ઓગસ્ટના રોજ તેઓ કેન્દ્રીય કૃષિ મંત્રી અને ઝારખંડ ભાજપના પ્રભારી શિવરાજ સિંહ ચૌહાણને પણ મળ્યા હતા.
આ પણ વાંચો : IMA નો મોટો નિર્ણય, RG Kar Medical College ના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષનું સભ્યપદ સસ્પેન્ડ
JMM માં મારું અપમાન થયું - ચંપાઈ સોરેન
આ પહેલા ચંપાઈ સોરેને 18 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને કહ્યું હતું કે JMM માં તેમનું અપમાન થયું છે. CM પદેથી જે રીતે રાજીનામું લેવામાં આવ્યું તેનાથી તેમને દુઃખ થયું છે. ચંપાઈ સોરેન 30 ઓગસ્ટે રાંચીમાં આયોજિત થનારા મેગા કાર્યક્રમમાં ઔપચારિક રીતે ભાજપમાં જોડાશે. તેમના પુત્ર બાબુલાલ સોરેન પણ આ કાર્યક્રમમાં પાર્ટીની સદસ્યતા લેશે.
આ પણ વાંચો : Kolkata Case મામલે રાષ્ટ્રપતિ Droupadi Murmu નું નિવેદન, કહ્યું- આવી વિકૃતિનો સામનો કરવો પડશે...