આજે ઇદની ઉજવણી, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ પાઠવી શુભેચ્છા
દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં શુક્રવારે સાંજે ઈદ-ઉલ-ફિત્રનો ચાંદ દેખાયો હતો અને આજે દેશભરમાં ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ ઉલેમાઓએ શુક્રવારે જ આ અંગે જાહેરાત કરી હતી. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શુક્રવારે ઈદ-ઉલ-ફિત્રની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી હતી.
Greetings on Eid-ul-Fitr. May the spirit of harmony and compassion be furthered in our society. I also pray for everyone’s wonderful health and well-being. Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) April 22, 2023
PM મોદીએ ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઈદ-ઉલ-ફિત્રની પૂર્વ સંધ્યાએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, મોદીએ આ અવસર પર વિશ્વભરના લોકોને શાંતિ, સૌહાર્દ, સ્વાસ્થ્ય અને ખુશીની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ હસીનાને પોતાના સંદેશમાં કહ્યું, 'ભારતના લોકો વતી હું તમને અને બાંગ્લાદેશના નાગરિકોને ઈદની શુભેચ્છા પાઠવું છું.' વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રમઝાનના પવિત્ર મહિનામાં સમગ્ર વિશ્વમાં મુસ્લિમો ઉપવાસ કરે છે અને નમાજ અદા કરે છે અને ઈદ ઉલ ફિત્રના આ ખાસ અવસર પર વિશ્વભરના લોકો એકતા અને ભાઈચારાના મૂલ્યોની અનુભૂતિ કરી રહ્યા છે.
ईद-उल-फ़ित्र पर सभी देशवासियों विशेष रूप से मुस्लिम भाइयों-बहनों को मैं बधाई देती हूं। प्रेम और करुणा का पर्व ईद हमें दूसरों की मदद करने का संदेश देता है। आइए, जश्न के इस मुबारक मौके पर हम सभी समाज में भाईचारा और आपसी सौहार्द को बढ़ाने की राह पर आगे बढ़ने का संकल्प लें।
— President of India (@rashtrapatibhvn) April 22, 2023
રાષ્ટ્રપતિ મુર્મુએ પણ પાઠવી શુભેચ્છા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે ઈદ-ઉલ-ફિત્રની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી હતી અને દરેકને આ પ્રસંગે સમાજમાં ભાઈચારો અને સંવાદિતા વધારવા માટે પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી હતી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં રાષ્ટ્રપતિને ટાંકવામાં આવ્યું હતું કે, “ઈદ પવિત્ર રમઝાન મહિનાની પૂર્ણાહુતિની નિશાની છે. આ તહેવાર પ્રેમ, કરુણા અને સ્નેહની લાગણીઓ ફેલાવે છે. ઈદ આપણને એકતા અને પરસ્પર સૌહાર્દનો સંદેશ આપે છે. મુર્મુએ કહ્યું, 'આ તહેવાર સંવાદિતાની ભાવનાથી છવાયેલો છે અને અમને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ સમાજ બનાવવા માટે પ્રેરણા આપે છે.' તેમણે કહ્યું, 'આવો આ અવસર પર સમાજમાં ભાઈચારો અને સૌહાર્દની ભાવનાને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લઈએ.'
#WATCH | People offer namaz at Delhi's Jama Masjid on the occasion of #EidAlFitr pic.twitter.com/rvG7Ntbm83
— ANI (@ANI) April 22, 2023
આજે ઈદની નમાજ અદા
આજે દેશની તમામ મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવામાં આવી છે. અહમદે કહ્યું કે, મૌલાના નજીબુલ્લાહ કાસમીએ, રુયત-એ-હિલાલ કમિટી, અદાન-એ-શરિયા-હિંદના સચિવ, તેથી જાહેરાત કરી છે કે શવ્વાલ મહિનો શનિવાર, 22 એપ્રિલ, 2023 થી શરૂ થશે અને શનિવારે ઈદની નમાજ અદા કરવામાં આવશે. ઈદને ભાઈચારો અને સૌહાર્દનો તહેવાર ગણાવતા અહેમદે કહ્યું હતું કે, આ અવસર પર અમે પ્રાર્થના કરીએ છીએ કે દેશમાં 75 વર્ષથી સ્થપાયેલો ભાઈચારો અને સૌહાર્દ સતત ખીલે.
રમઝાનની આખરી નમાઝ અનેક જગ્યાએ અદા કરવામાં આવી
રમઝાનના છેલ્લા શુક્રવારે શ્રીનગરની ઐતિહાસિક જામિયા મસ્જિદ સહિત સમગ્ર કાશ્મીરમાં ધાર્મિક ઉત્સાહ વચ્ચે 'જુમ્મા-તુલ-વિદા'ની નમાજ અદા કરવામાં આવી હતી. ઈદનો ચાંદ દેખાતા શુક્રવારે પવિત્ર રમઝાન માસનો અંત આવ્યો હતો. આ વખતે રમઝાન મહિનો 29 દિવસનો હતો. જો કે છેલ્લા બે વર્ષમાં આ પવિત્ર મહિનો 30-30 દિવસનો હતો. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, એક મહિનામાં 29 કે 30 દિવસ હોય છે, જે ચંદ્રના દર્શન પર આધાર રાખે છે.
આપણ વાંચો-