Cash for Vote case:BJP નેતાએ કોંગ્રેસ અધ્યક્ષ અને રાહુલ ગાંધીને મોકલી નોટિસ
- કેશ ફોર વોટ કેસમાં ત્રણ નેતાઓને નોટિસ
- 100 કરોડનો માનહાનિનો દાવો
- સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ
Vinod Tawde Cash for Vote Case: ભાજપના નેતા વિનોદ તાવડે(Vinod Tawde Cash for Vote Case)એ કથિત કેશ ફોર વોટ કેસમાં કોંગ્રેસ(Congress)ના સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi), કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)અને સુપ્રિયા શ્રીનેતને(Supriya Shrinet) માનહાનિની નોટિસ મોકલી છે. વાસ્તવમાં, ત્રણેય નેતાઓએ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેના આધારે ભાજપના નેતાએ ત્રણેયને તેમની માફી માંગવાની અપીલ કરી છે.
કોંગ્રેસના ત્રણ નેતાને નોરીસ મોકલી
આ લીગલ નોટિસની જાણકારી ખુદ બીજેપી નેતાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આપી હતી. નોટિસની કોપી શેર કરતા તેમણે લખ્યું કે કોંગ્રેસનું કામ માત્ર જુઠ્ઠાણું ફેલાવવાનું છે. તેણે આગળ લખ્યું કે નાલાસોપારાના ખોટા કેસમાં મેં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને માનહાનિની નોટિસ મોકલી છે.
कांग्रेस का एक ही काम है झूठ फैलाना!
नालासोपारा वाले झूठे मामले में मैंने कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे, राहुल गाँधी और पार्टी प्रवक्ता सुप्रिया श्रीनेत को मानहानि का नोटिस भेजा है, क्योंकि उन्होंने इस मामले में झूठ फैलाकर मेरी और भारतीय जनता पार्टी की छवि को नुकसान… pic.twitter.com/ZO75yKSx8m
— Vinod Tawde (@TawdeVinod) November 22, 2024
આ પણ વાંચો -ADANI કરોડોનું કૌભાંડ કરી ગયા પણ CBI વિપક્ષની લિપસ્ટિક ક્યાંથી આવી તેની તપાસ કરી રહી છે
ચૂંટણી પંચની તપાસમાં 5 કરોડ મળ્યા નથી
ભાજપના નેતાએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓએ આ મામલે જુઠ્ઠાણું ફેલાવીને મારી અને ભારતીય જનતા પાર્ટીની છબીને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. ચૂંટણી પંચ અને પોલીસની તપાસમાં 5 કરોડ રૂપિયાની કથિત રકમ વસૂલ કરવામાં આવી નથી એ સત્ય સૌની સામે છે. આ બાબત કોંગ્રેસની નિમ્ન કક્ષાની રાજનીતિનો પુરાવો છે.
આ પણ વાંચો -સુકમામાં નક્સલ વિરોધી કાર્યવાહી, 10 નક્સલવાદીઓ ઠાર
100 કરોડનો માનહાનિનો દાવો
તાવડે દ્વારા કોંગ્રેસના નેતાઓને મોકલવામાં આવેલી નોટિસમાં તેમણે ત્રણેય નેતાઓને માફી માંગવા કહ્યું છે. નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જો તે ત્રણેય આમ નહીં કરે તો તે ત્રણેય વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરશે.
આ પણ વાંચો -મહારાષ્ટ્રમાં લાગુ પડી શકે છે રાષ્ટ્રપતિ શાસન, એક નહીં અનેક કારણોથી આ કરવું પડે તેવી શક્યતા
આ વીડિયો 19 નવેમ્બરે વાયરલ થયો હતો
વાસ્તવમાં 19 નવેમ્બરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર મહારાષ્ટ્રની વિવંતા હોટલમાં પૈસાની વહેંચણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો હતો. જેના પર કોંગ્રેસના નેતાઓએ ટિપ્પણી કરી હતી.