ભારતમાં CAA ના નિયમો લાગું, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
Home Ministry Official Announcement CAA: આજે રાત્રે ભારત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે આજે એટલે કે સોમવારે રાત્રે દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 ના નિયમો લાગું કરી દીધો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, CAAના નિયમો આજે એટલે કે સોમવાર રાતથી લાગુ થઈ ગયો છે. ગૃહ મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરી દેશમાં CAA લાગુ કરી દેવામાં આવ્યું છે .લોકસભા ચૂંટણી 2024 પહેલા કેન્દ્ર સરકાર તરફથી આ એક મોટી જાહેરાત છે. ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન અધિનિયમ લાગું કરી દેવામાં આવ્યો છે.ભારતના ઈતિહાસમાં 370 પછી ભારત સરકારનો આ સૌથી મોટા નિર્ણય છે.
ગૃહ મંત્રાલય CAAના નિયમોને સૂચિત કરી દીધા
ઉલ્લેખનીય છે કે, આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. તો આદર્શ આચાર સંહિતા લાગુ થાય તે પહેલા ગૃહ મંત્રાલય કોઈપણ સમયે CAAના નિયમોને સૂચિત કરી દીધા છે. આ નિયમો હેઠળ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી ભારતમાં લઘુમતીઓની ભારતીય નાગરિકતા અરજીઓ સુનિશ્ચિત કરવામાં આવશે.
જાણો CAA શું છે?
CAA ના અમલ પછી, ત્રણ પડોશી મુસ્લિમ બહુમતી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી જે લોકો ડિસેમ્બર 2014 સુધી કોઈક પ્રકારના અત્યાચારનો સામનો કરીને ભારત આવ્યા હતા, તેઓને ભારતીય નાગરિકતા મળશે.
CAA બિલમાં બિન-મુસ્લિમ લઘુમતીઓ - હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે.
CAA બિલ પહેલીવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
ડિસેમ્બર 2019માં લોકસભામાં તેને ફરીથી રજૂ કરવામાં આવ્યું હતું. આ વખતે આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થયું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી 10 જાન્યુઆરી, 2020 ના રોજ મળી હતી.
પહેલા નાગરિકતા અધિનિયમ 1955 પ્રમાણે જરૂરી દસ્તાવેજ હોય તો જ આ દેશના લોકોને 12 વર્ષ પછી નાગરિકતા મળી શકતી હતી.