Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોલિવુડ અભિનેતા પંકજ ત્રિપાઠીના પિતાનું 98 વર્ષની વયે નિધન

બોલિવુડ (Bollywood) અભિનેતા પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi)ના પિતા બનારસ ત્રિપાઠીનું નિધન થયું છે. તેઓ 98 વર્ષના હતા. પિતાના અવસાનથી અભિનેતાને ઘેરો આઘાત લાગ્યો છે અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પંકજના પિતા બનારસ ત્રિપાઠીનું બિહારના તેમના મૂળ ગામ બાલસંદમાં...
બોલિવુડ અભિનેતા પંકજ ત્રિપાઠીના પિતાનું 98 વર્ષની વયે નિધન
બોલિવુડ (Bollywood) અભિનેતા પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi)ના પિતા બનારસ ત્રિપાઠીનું નિધન થયું છે. તેઓ 98 વર્ષના હતા. પિતાના અવસાનથી અભિનેતાને ઘેરો આઘાત લાગ્યો છે અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પંકજના પિતા બનારસ ત્રિપાઠીનું બિહારના તેમના મૂળ ગામ બાલસંદમાં નિધન થયું હતું. પંકજ ત્રિપાઠીના પિતા વય સંબંધિત બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. હાલમાં, અભિનેતાના પિતાના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પંકજ ત્રિપાઠી તેમના પિતાના મૃત્યુના સમાચાર મળતા જ ગોપાલગંજ માટે રવાના થઈ ગયા છે.
પિતાના અવસાન બાદ પંકજ ત્રિપાઠી ગોપાલગંજ જવા રવાના
પંકજ ત્રિપાઠી અને તેના પરિવારે પણ અભિનેતાના પિતાના મૃત્યુ અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, "ભારે હૃદય સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે પંકજ ત્રિપાઠીના પિતા પંડિત બનારસ તિવારી હવે નથી રહ્યા. તેઓ 98 વર્ષનું સ્વસ્થ જીવન જીવ્યા. તેમના અંતિમ સંસ્કાર આજે તેમના નજીકના પરિવારની હાજરીમાં કરવામાં આવશે. પંકજ ત્રિપાઠી ગોપાલગંજ સ્થિત પોતાના ગામ જઈ રહ્યા છે.
પંકજ ત્રિપાઠીના પિતાને મુંબઈની ફાસ્ટ લાઈફ પસંદ નહોતી
પંકજ ત્રિપાઠી પોતાના ઈન્ટરવ્યુમાં ઘણીવાર તેમના પિતાનો ઉલ્લેખ કરતા હતા અને તેમની સાથે વિતાવેલી સુંદર પળો પણ શેર કરતા હતા. એક ઇન્ટરવ્યુ દરમિયાન, અભિનેતાએ ખુલાસો કર્યો કે તેમના પિતાને ખબર નથી કે તે ફિલ્મ ઉદ્યોગમાં શું કરે છે. અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે તેમના પિતા માત્ર એક જ વાર મુંબઈ આવ્યા હતા પરંતુ મુંબઈની ધમાલભરી જિંદગી તેમને પસંદ ન હોવાથી અહીં રહી શક્યા નહોતા. તેથી તે ગામમાં પાછા ગયા અને ત્યાં જ રહેતા હતા.
પંકજના પિતા ઈચ્છતા હતા કે તે ડોક્ટર બને
'OMG 2' અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં પણ ખુલાસો કર્યો હતો કે તેમના પિતા ઈચ્છતા ન હતા કે તે અભિનયમાં કારકિર્દી બનાવે. વાસ્તવમાં તેના પિતાનું સપનું હતું કે તે ડોક્ટર બનીને લોકોની સેવા કરે.
પંકજ ત્રિપાઠી તેના પિતાની ખૂબ નજીક હતા
જણાવી દઈએ કે પંકજના માતા-પિતા બિહારમાં રહેતા હતા, જ્યારે પંકજ તેમની પત્ની અને પુત્રી સાથે મુંબઈમાં રહે છે. પંકજ ત્રિપાઠી તેના પિતાની ખૂબ નજીક હતા. આવી સ્થિતિમાં, પિતાનો પડછાયો તેમના માથા પરથી ઉઠવાને કારણે અભિનેતા ખૂબ જ અસ્વસ્થ છે. જણાવી દઈએ કે પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલગંજના રહેવાસી છે. તે અભિનયમાં કારકિર્દી બનાવવા સપનાના શહેર મુંબઈ આવ્યા હતા, જોકે તેના માતા-પિતા હજુ ગામમાં રહેતા હતા. અહેવાલો અનુસાર, અભિનેતાના પિતાના અંતિમ સંસ્કાર તેમના ગામમાં જ કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.