Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Telangana pharma company: દવા બનાવતી ફેક્ટરીમાં થયો વિસ્ફોટ; 5 લોકોના મોત અને 16 લોકો ગંભીર રીતે ઘાયલ

Telangana pharma company: તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં બુધવારે એક દવા બનાવતી કંપનીમાં વિસ્ફોટ થવાથી પાંચ કર્મચારીઓના મોત થયા છે. આ મામલે વિગતે વાત કરવામાં આવે તો જિલ્લાના હતનુરા મંડલના ચાંદાપુર ગામમાં એસબી ઓર્ગેનિક્સ લિમિટેડ (Telangana)માં બની હતી. કેમિકલ રિએક્ટરમાં વિસ્ફોટ બાદ...
telangana pharma company  દવા બનાવતી ફેક્ટરીમાં થયો વિસ્ફોટ  5 લોકોના મોત અને 16 લોકો ગંભીર રીતે ઘાયલ
Advertisement

Telangana pharma company: તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં બુધવારે એક દવા બનાવતી કંપનીમાં વિસ્ફોટ થવાથી પાંચ કર્મચારીઓના મોત થયા છે. આ મામલે વિગતે વાત કરવામાં આવે તો જિલ્લાના હતનુરા મંડલના ચાંદાપુર ગામમાં એસબી ઓર્ગેનિક્સ લિમિટેડ (Telangana)માં બની હતી. કેમિકલ રિએક્ટરમાં વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. વિસ્ફોટની અસરને કારણે ઔદ્યોગિક સંકુલનું એક માળખું પણ ધરાશાયી થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે મરનારાઓમાં કંપની મેનેજર પણ સામેલ છે. ચારેય મૃતક મજૂરો બિહારના હોવાનું કહેવાય છે.

કેમિકલ રિએક્ટરમાં વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ લાગી

વિગતો સામે આવી રહીં છે કે, આ ઘટનામાં મરનારની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધી 16 લોકોનો ઘાયલ થયાના સમાચાર પણ સામે આવ્યાં છે. નોંધનીય છે કે, દરેક લોકોને અત્યારે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અનેક ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાંગારેડ્ડી પોલીસ અધિક્ષક રૂપેશ અને અન્ય અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સીએમ એ. રેવન્ત રેડ્ડીએ કેમિકલ પ્લાન્ટમાં થયેલા અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો.

Advertisement

બચાવ અને રાહત કામગીરી પર નજર રાખવાનો આદેશ

સીએમએ ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓને તાત્કાલિક બચાવ કાર્યમાં ઝડપ લાવવા અને આગને કાબૂમાં લેવા અને બચાવ અને રાહત કામગીરી પર નજર રાખવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને એસપીને ઘાયલોને શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે. નોંધનીય છે કે, આ ઘટનાને પગલે તંત્રએ બચાવ કામગીરી પણ આરંભી દીધી છે.

Advertisement

સાંજે લગભગ 5 વાગ્યે વિસ્ફોટ થયો હતો

અધિકારીઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે જિલ્લાના હથનુર મંડલના ચાંદાપુર ગામમાં સ્થિત એસબી ઓર્ગેનિક્સ લિમિટેડની ફેક્ટરીમાં સાંજે લગભગ 5 વાગ્યે વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી. આ પ્લાન્ટ હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ 40 કિમી દૂર સ્થિત છે. ફાર્મા યુનિટના પરિસરમાં ફેલાયેલી આગને બાદમાં કાબુમાં લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Mizoram: વાવાઝોડાના કારણે કરોડોનું નુકસાન, 2,500 ઘર સહિત શાળાઓ ધરાશાયી

આ પણ વાંચો: Jammu Kashmir : કઠુઆમાં ગોળીબારમાં ગેંગસ્ટરનું મોત, એક પોલીસ અધિકારી થયો શહીદ…

આ પણ વાંચો: Fire In Maharashtra : છત્રપતિ સંભાજીનગરમાં આવેલા એક મકાનમાં આગ, 7 લોકોના મોત…

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Nagpur: નીતિન ગડકરી કેમ બોલ્યા મંત્રીપદ નહીં મળે તો મરી નહીં જઉં...?

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
સ્પોર્ટ્સ

Team India માં સ્થાન ન મળવા પર ચહલે તોડ્યું મૌન,કહ્યું- 'કુલદીપ..!

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

×

Live Tv

Trending News

.

×