Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bihar : BJP ના નેતા પપ્પુ ઝાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી, મોં અને નાકમાંથી નીકળતું હતું લોહી...

Bihar : અરરિયા BJP ના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ રાજીવ કુમાર ઝા ઉર્ફે પપ્પુ ઝાનો મૃતદેહ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના શિવપુરી વિસ્તારમાં એક ઘરની અંદરથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. BJP ના નેતાના મૃતદેહની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં BJP ના...
01:35 PM Jul 05, 2024 IST | Dhruv Parmar

Bihar : અરરિયા BJP ના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ રાજીવ કુમાર ઝા ઉર્ફે પપ્પુ ઝાનો મૃતદેહ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના શિવપુરી વિસ્તારમાં એક ઘરની અંદરથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. BJP ના નેતાના મૃતદેહની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં BJP ના આગેવાનો અને કાર્યકરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને એસપીને ઘટનાસ્થળે બોલાવવાની માંગ કરી હતી. જે બાદ એસપી અમિત રંજન પોલીસ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની માહિતી મેળવી અને આસપાસના વિસ્તારોની ઝીણવટભરી તપાસ કરી.

નરપતગંજના ધારાસભ્ય જયપ્રકાશ યાદવ અને પૂર્વ જિલ્લા પ્રમુખ સંતોષ સુરાના સહિત મોટી સંખ્યામાં પહોંચેલા BJP નેતાઓએ દાદર પાસે શંકાસ્પદ સંજોગોમાં લાશ જોયા બાદ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. ઘટનાની માહિતી મળતાં સીટી પોલીસ સ્ટેશન અને FSL ની ટીમ સાથે ડીઆઈયુની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાસ્થળેથી સેમ્પલ લીધા હતા.

પાડોશીના ઘરમાંથી મળી લાશ...

રાજીવ કુમાર ઝા ઉર્ફે પપ્પુ ઝા લાંબા સમયથી BJP સાથે સંકળાયેલા હતા, જે મૂળ અરરિયાના જહાંપુરના રહેવાસી છે, તેણે નગર પોલીસ સ્ટેશન વિસ્તારના શિવપુરી વિસ્તારમાં પોતાનું ઘર પણ બનાવ્યું હતું. પરંતુ તેનો મૃતદેહ તેના ઘરમાંથી થોડે દૂર રહેતા ગુપ્તાના મકાનમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. નજીકના લોકો શાંત સ્વરમાં વાત કરી રહ્યા છે કે ગઈકાલે રાત્રે ઘરમાં ઘણા લોકોની હાજરી હતી, પાર્ટી થઇ રહી હતી અને ઘોંઘાટ થઈ રહ્યો હતો.

હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી...

નરપતગંજના વિધાનસભ્ય જયપ્રકાશ યાદવે હત્યાની આશંકા વ્યક્ત કરતા કહ્યું કે, પપ્પુ ઝા BJP ના ઘણા જૂના કાર્યકર્તા હતા અને તેમણે સંગઠનમાં ઘણા મહત્વના પદો પર રહીને પોતાની જવાબદારીઓ નિભાવી હતી આવા સંજોગોમાં તેઓ એક સમર્પિત કાર્યકર હતા તે જિલ્લાના BJP પરિવાર માટે અભૂતપૂર્વ નુકશાન છે. ઘટનાસ્થળે પહોંચેલા એસપી અમિત રંજને જણાવ્યું હતું કે, પપ્પુ ઝાનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ મામલાને વિવિધ પાસાઓથી ઉકેલી લેવામાં આવશે.

આ પણ વાંચો : Delhi : દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ કેસમાં CBI ને નોટિસ ફટકારી, 17 જુલાઈએ થશે સુનાવણી…

આ પણ વાંચો : Hathras પીડિતોને મળ્યા બાદ Rahul Gandhi એ કહ્યું, ‘રાજકારણ નહીં કરું, પરંતુ પરિવારો મુશ્કેલીમાં છે…’

આ પણ વાંચો : Jammu and Kashmir : અમેરિકન મરીન જેવી ફોર્સ જમ્મુ-કાશ્મીર પર નજર રાખશે, હવે આતંકીઓની ખેર નહીં…

Tags :
Araria BJP leader murderAraria crimeAraria murderBihar BJP leader murderBihar MurderBJP Leader MurderGujarati NewsIndiaNational
Next Article