ભારત વિરુદ્ધ મોટા ષડયંત્રનો પર્દાફાશ, આસામ ગ્રેનેડ હુમલામાં છ ULFA આતંકવાદીઓ સામે NIA ની કાર્યવાહી...
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પ્રતિબંધિત સંગઠન ULFA (I) દ્વારા આસામમાં આર્મી કેમ્પ પર હુમલામાં સમાવેશ છ આતંકવાદીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાંથી ચાર ફરાર છે અને બેની ધરપકડ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં NIA એ ભારત વિરોધી એજન્ડાના ભાગરૂપે આર્મી કેમ્પને નિશાન બનાવવાના કાવતરાનો ખુલાસો કર્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સંપૂર્ણ તપાસ પછી બુધવારે (29 મે) ULFA (I) દ્વારા આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલા સાથે સંબંધિત 2023 માં IPC UA (P) એક્ટ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો. આસામમાં છ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
આસામ ULFA-I શું છે?
વાસ્તવમાં, મ્યાનમાર સ્થિત યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA-I) પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે. ULFA-I એ 22 નવેમ્બર 2023 ના રોજ આસામના તિનસુકિયા જિલ્લાના કાકોપર સ્થિત આર્મી કેમ્પ પર હુમલાની યોજના બનાવી હતી. બે મોટરસાઇકલ સવાર યુવકોએ આર્મી કેમ્પ પર બે ગ્રેનેડ ફેંક્યા હતા. જોકે આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી.
The National Investigation Agency (NIA) on Wednesday chargesheeted six accused, including four absconders, for various criminal offences in a 2023 case involving a terror attack on an Army camp by ULFA (I) in Assam. In its chargesheet filed earlier on Wednesday before a special…
— ANI (@ANI) May 29, 2024
NIA એ કોર્ટને શું કહ્યું?
NIA એ બુધવારે (29 મે) ગુવાહાટીની વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તેમણે કહ્યું કે પરેશ બરુઆ, એસએસ બ્રિગેડિયર અરુણોદય દોહુટિયા, એસએસ સેકન્ડ લેફ્ટનન્ટ સૌરવ આસોમ, એસએસ કેપ્ટન અભિજીત ગોગોઈ અને પ્રતિબંધિત સંગઠનના અન્ય બે લોકોએ આર્મી કેમ્પ પર હુમલાનું કાવતરું ઘડ્યું હતું. NIA એ જણાવ્યું કે પરાગ અને બિજોયની ડિસેમ્બર 2023 ની શરૂઆતમાં તિનસુકિયા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે.
ચાર્જશીટમાં ઉંડા ષડયંત્રનો ખુલાસો થયો છે...
આ ચાર્જશીટમાં મ્યાનમાર સ્થિત ULFA (I)ના ટોચના નેતૃત્વ દ્વારા ઘડવામાં આવેલા ઊંડા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ચાર્જશીટ દ્વારા પ્રતિબંધિત સંગઠનના નાપાક, ભારત વિરોધી અલગતાવાદી એજન્ડાનો પણ પર્દાફાશ થયો છે. NIA ની તપાસ અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ યુવાનોને ULFA (I) સંગઠનમાં ભરતી કરવા માટે કરવામાં આવતો હતો. આ ઉપરાંત તેમને આતંકવાદી ગતિવિધિઓની તાલીમ પણ આપવામાં આવી હતી. હુમલામાં સામેલ આરોપીઓના અન્ય કાવતરાખોરો અને સહયોગીઓને ઓળખવા અને સમગ્ર આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવા NIA ની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : Mumbai : સંજય રાઉત ફસાયા!, CM શિંદેની ટીમે મોકલી Legal Notice, જાણો શું હતો સમગ્ર મામલો…
આ પણ વાંચો : DRDO એ ઘાતક મિસાઇલ RudraM-II નું સફળ પરીક્ષણ કર્યું, આંખના પલકારામાં Target કરશે નષ્ટ…
આ પણ વાંચો : MHA : ગૃહ મંત્રાલયમાં મોટી બેઠક યોજાઈ, CRPF ને મળી શકે છે મોટી જવાબદારી…