NEET પેપર લીક કેસમાં CBI ની મોટી કાર્યવાહી, શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પર નોંધી પ્રથમ FIR...
NEET પેપર લીકની તપાસ CBI ને સોંપવામાં આવી છે ત્યારપછી CBI એ આ કેસની તપાસ તેજ કરી છે. આજે CBI એ NEET પેપર લીક કેસમાં પ્રથમ FIR દાખલ કરી છે. શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ CBI એ NEET પરીક્ષા પેપર લીક કેસમાં નિયમિત કેસ નોંધ્યો છે. CBI એ IPC કલમ 420, છેતરપિંડી અને 120 B એટલે કે ષડયંત્રના મામલામાં FIR નોંધી છે.
અલગથી નોંધવામાં આવી FIR...
सीबीआई ने नीट-यूजी परीक्षा के आयोजन में कथित अनियमितताओं की जांच के लिए मामला दर्ज किया: CBI सूत्र
— ANI_HindiNews (@AHindinews) June 23, 2024
સુત્રોનું માનીએ તો CBI નું દિલ્હી યુનિટ NEET પેપર લીક કેસની તપાસ કરશે. CBI ની ટીમ મોટા ષડયંત્રની તપાસ કરશે. આ સાથે CBI સરકારી કર્મચારીઓ, વચેટિયાઓ, સંસ્થાઓ અને ખાનગી આરોપીઓને શોધી કાઢશે. આ સિવાય CBI બિહાર અને ગુજરાતમાં નોંધાયેલા કેસો પોતાના કબજામાં લેવા માટે પણ પગલાં લઇ રહી છે. હાલમાં CBI એ 120 B, 420 અને ભ્રષ્ટાચાર નિવારણ પીસી એક્ટ હેઠળ નિયમિત કેસ નોધ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ બિહાર અને ગુજરાતમાં નોંધાયેલા કેસનો કબજો લેવામાં આવશે. આ પછી CBI બંને રાજ્યોની પોલીસ પાસેથી કેસ ડાયરી લેશે. બિહારમાં થયેલી ધરપકડોને પણ વધુ કસ્ટડીમાં લેવામાં આવશે અને તેમની ભૂમિકાની તપાસ કરવામાં આવશે.
ગઈકાલે જ CBI ને તપાસ સોંપવામાં આવી હતી...
તમને જણાવી દઈએ કે અગાઉ UGC NET કેસમાં પણ શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ CBI એ અજાણ્યા લોકો વિરુદ્ધ છેતરપિંડી અને ષડયંત્રની કલમો હેઠળ નિયમિત કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હકીકતમાં, NEET-UG પેપર લીક કેસમાં, શિક્ષણ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો અને શનિવારે CBI ને તપાસ સોંપી. અગાઉ સમાચાર આવ્યા હતા કે રવિવાર (23 જૂન)ના રોજ યોજાનારી NEET-PG પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હવે આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : NEET પેપર કાંડનું હવે મહારાષ્ટ્ર કનેક્શન આવ્યું સામે, વાંચો અહેવાલ
આ પણ વાંચો : PAPER LEAK :શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય, હવે CBI કરશે તપાસ
આ પણ વાંચો : Jammu & Kashmir : આતંકીઓનો ઘૂસણખોરીનો ઇરાદો નાકામ, સેનાના જવાનોએ બે આતંકી ઠાર કર્યા