Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhopal : અત્યંત ભયાનક હતી એ રાત.! વાંચો, ભોપાલમાં 39 વર્ષ પહેલા દરેક પળે શું થયું હતું

1984 માં, 2 અને 3 ડિસેમ્બરની વચ્ચેની રાત્રે ભોપાલમાં આવેલી યુનિયન કાર્બાઇડ જંતુનાશક ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક ​​થતાં ઓછામાં ઓછા 15,000 થી વધુ લોકો માર્યા ગયા હતા. હવે આ ફેક્ટરી બંધ છે. 1984ની ભોપાલ ગેસ દુર્ઘટના રાજ્યની અત્યાર સુધીની સૌથી...
01:30 PM Dec 02, 2023 IST | Vipul Pandya

1984 માં, 2 અને 3 ડિસેમ્બરની વચ્ચેની રાત્રે ભોપાલમાં આવેલી યુનિયન કાર્બાઇડ જંતુનાશક ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક ​​થતાં ઓછામાં ઓછા 15,000 થી વધુ લોકો માર્યા ગયા હતા. હવે આ ફેક્ટરી બંધ છે. 1984ની ભોપાલ ગેસ દુર્ઘટના રાજ્યની અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના હતી. આ દુર્ઘટનાની અસર 39 વર્ષ પછી પણ અહીંના લોકોમાં જોવા મળી રહી છે. સાથે જ ગેસના સંપર્કમાં આવેલા લોકોમાં તેમની અલગ જ અસર જોવા મળી રહી છે. એક એનજીઓએ દાવો કર્યો છે કે ગેસ લીકેજના સંપર્કમાં આવેલા લોકોમાં ડાયાબિટીસ, હૃદય રોગ, ન્યુરોપથી અને સંધિવા જેવી બીમારીઓ થવાની શક્યતા બિન-ગેસ પીડિત લોકો કરતા ત્રણ ગણી વધારે છે. ગેસ પીડિતોના હિતમાં કામ કરતી એનજીઓએ શુક્રવારે (1 ડિસેમ્બર) ગેસ દુર્ઘટનાની 39મી વર્ષગાંઠના એક દિવસ પહેલા આ દાવો કર્યો હતો.   તાજેતરમાં જ આ ટ્રેજડી પર રેલ્વેમેન નામની વેબસિરિઝ પણ બની છે. 39 વર્ષ પહેલા બનેલી આ દુર્ઘટનામાં પળે પળે શું બન્યું હતું...વાંચો આ અહેવાલમાં...

ભોપાલ ગેસ ટ્રેજેડી

30 વર્ષ પહેલા 2-3 ડિસેમ્બર 1984ના રોજ મધ્યપ્રદેશના ભોપાલમાં દર્દનાક બનાવ બન્યો થયો હતો. ઈતિહાસમાં તેને ભોપાલ ગેસ ટ્રેજેડી નામ આપવામાં આવ્યું છે. ભોપાલ સ્થિત યુનિયન કાર્બાઈડ નામની કંપનીની ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક ​​થયો હતો, જેના કારણે 15,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો અંધત્વથી લઈને વિવિધ પ્રકારની શારીરિક વિકલાંગતાનો શિકાર બન્યા હતા, જેઓ હજુ પણ આ દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે.

મિથાઈલ આઈસો સાયનાઈટ લીક થયો હતો

ભોપાલ ગેસ દુર્ઘટનામાં મિથાઈલ આઈસો સાયનાઈટ (MIC) નામના ઝેરી ગેસનું લીકેજ થયું હતું.  જેનો ઉપયોગ જંતુનાશક દવા બનાવવામાં થતો હતો. અલગ-અલગ સ્ત્રોતો પોતપોતાના મંતવ્યો ધરાવતા હોવાને કારણે મૃત્યુઆંકના અંદાજમાં ભિન્નતા છે, તેમ છતાં સત્તાવાર મૃત્યુઆંક શરૂઆતમાં 2,259 તરીકે નોંધવામાં આવ્યો હતો.

આજે પણ એ ભયાનક ઘટનાને યાદ કરીને પીડિતોની આંખોમાં આંસુ

મધ્યપ્રદેશની તત્કાલીન સરકારે 3,787 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી હતી, જ્યારે અન્ય અંદાજો સૂચવે છે કે 8,000 થી વધુ લોકો બે અઠવાડિયામાં મૃત્યુ પામ્યા હતા અને લગભગ 8,000 વધુ લોકો લીક થયેલા ગેસ દ્વારા ફેલાતા રોગોને કારણે મૃત્યુ પામ્યા હતા. આજે પણ એ ભયાનક ઘટનાને યાદ કરીને પીડિતોની આંખો આંસુથી ભરાઈ આવે છે.

શું થયું હતું તે રાત્રે?

તે કડકડતી ઠંડી રાત હતી, લોકો શાંતિથી સૂઈ રહ્યા હતા. 2 ડિસેમ્બર, 1984 ના રોજ, ભોપાલના છોલા રોડ પર સ્થિત યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાં, હંમેશની જેમ, અધિકારીઓ, કર્મચારીઓ અને મજૂરો પ્લાન્ટ વિસ્તારમાં તેમનું કામ કરી રહ્યા હતા. પરંતુ કોઈને ખબર ન હતી કે આજે રાત્રે હજારો લોકો મરી જશે. 2 ડિસેમ્બર, 1984 ની રાત્રે, પ્લાન્ટમાંથી ગેસ લીક ​​થયો અને દુર્ઘટના થઇ હતી. યુનિયન કાર્બાઈડ ફેક્ટરીની નાઈટ શિફ્ટ આવી ગઈ હતી, જ્યાં સુપરવાઈઝર અને કામદારો પોતાનું કામ કરી રહ્યા હતા.

2 ડિસેમ્બર, 1984 રાત્રે 9 વાગ્યે

અડધા ડઝન જેટલા કામદારો ભૂગર્ભ ટાંકી પાસે પાઈનલાઈન સાફ કરવાનું કામ કરવા નીકળ્યા હતા.

2 ડિસેમ્બર, 1984 રાત્રે 10 વાગ્યે

ફેક્ટરીની ભૂગર્ભ ટાંકીમાં રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ, ટેન્કરનું તાપમાન 200 ડિગ્રી સુધી પહોંચી ગયું અને ગેસ બનવા લાગ્યો.

2 ડિસેમ્બર, 1984 રાત્રે 10:30 વાગ્યે

ટાંકીમાંથી ગેસ પાઇપ સુધી પહોંચવા લાગ્યો. વાલ્વ યોગ્ય રીતે બંધ ન હોવાથી ટાવરમાંથી ગેસ લીક ​​થવા લાગ્યો હતો.

3 ડિસેમ્બર, 1984 બપોરે 12:15 વાગ્યે

ત્યાં હાજર કર્મચારીઓ ગભરાવા લાગ્યા. વાલ્વ બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પછી ડેન્જર સાયરન વાગવા લાગ્યું

3 ડિસેમ્બર, 1984 રાત્રે 12:50 વાગ્યે

નજીકની વસાહતોમાં રહેતા લોકોને ગૂંગળામણ, ઉધરસ, આંખોમાં બળતરા, પેટ ફૂલવું અને ઉલ્ટી જેવી તકલીફો થવા લાગી.

3 ડિસેમ્બર, 1984 રાત્રે 1:00 વાગ્યે

પોલીસ સતર્ક થાય તે પહેલા જ નાસભાગ શરૂ થઈ ગઈ હતી. પરંતુ ફેક્ટરી ઓપરેટરે કહ્યું- કોઈ લીકેજ થયું નથી.

3 ડિસેમ્બર, 1984 રાત્રે 2:00 વાગ્યે

થોડા સમય બાદ દર્દીઓનું ટોળું હોસ્પિટલ પરિસરમાં એકત્ર થઈ ગયું હતું.

3 ડિસેમ્બર, 1984 રાત્રે 2:10 વાગ્યે

ફેક્ટરીમાંથી એલાર્મના અવાજ અને તબિયત લથડતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગેસ આખા શહેરમાં ફેલાઈ ગયો હતો.

3 ડિસેમ્બર, 1984 વહેલી સવારે 4:00 વાગ્યે

નિંદ્રાધીન બનેલા હજારો લોકો ક્ષણભરમાં ઝેરી ગેસના દર્દી બની ગયા હતા. દરમિયાન ગેસ લીકેજ પર કાબુ મેળવાયો હતો.

3 ડિસેમ્બર, 1984 સવારે 6:00 વાગ્યે

પોલીસના વાહનોએ દરેક વિસ્તારમાં લાઉડ સ્પીકર દ્વારા ચેતવણીઓ આપવાનું શરૂ કર્યું. હજારો ગેસ પ્રભાવિત લોકો ક્યાં તો શહેરના રસ્તાઓ પર મરી રહ્યા હતા અથવા પોતાનો જીવ બચાવવા નિરાશામાં અહીં-ત્યાં દોડી રહ્યા હતા.

સમગ્ર શહેરમાં મોત

34 વર્ષ પહેલા 1984માં 2જી ડિસેમ્બરની રાત્રે અને 3જી ડિસેમ્બરની સવારે ભોપાલની એ કાળી રાત જેણે હજારો લોકોને મોતને ભેટ્યા હતા. ભોપાલમાં યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક ​​થવાથી સમગ્ર શહેરમાં મોતનું માતમ ફરી વળ્યું હતું.

ચીફ મેનેજિંગ ઓફિસર વોરેન એન્ડરસન રાતોરાત ભારત છોડી ભાગ્યો

આ દુર્ઘટના બાદ યુનિયન કાર્બાઈડના ચીફ મેનેજિંગ ઓફિસર વોરેન એન્ડરસન રાતોરાત ભારત છોડીને પોતાના દેશ અમેરિકા ભાગી ગયા હતા. યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડના તત્કાલીન વડા અને આ દુર્ઘટનાના મુખ્ય આરોપી વોરેન એન્ડરસનનું 29 સપ્ટેમ્બર 2014ના રોજ અવસાન થયું હતું.

અહીં બાળકો ઘણી અસામાન્યતાઓ સાથે જન્મી રહ્યાં છે

2014માં આ અકસ્માત પર ફિલ્મ 'ભોપાલ અ પ્રેયર ઓફ રેઈન' બની હતી. દુર્ઘટના પછી ભોપાલમાં જન્મેલા બાળકોમાંથી ઘણા વિકલાંગ જન્મ્યા હતા અને ઘણા અન્ય કોઈ બીમારી સાથે આ દુનિયામાં આવ્યા હતા. આ ભયાનક પ્રક્રિયા હજુ પણ ચાલુ છે અને અહીં બાળકો ઘણી અસામાન્યતાઓ સાથે જન્મી રહ્યાં છે. તાજેતરમાં જ આ ટ્રેજડી પર રેલ્વેમેન નામની વેબસિરિઝ પણ બની છે.

કોઈપણ નાની દુર્ઘટનાને ક્યારેય અવગણવી જોઈએ નહીં

કોઈપણ ફેક્ટરીમાં સલામતી ધોરણોનું સંપૂર્ણ પાલન કરવું આવશ્યક છે. દરેક કર્મચારીએ સુરક્ષાના ધોરણો પર પણ સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. કોઈપણ નાની દુર્ઘટનાને ક્યારેય અવગણવી જોઈએ નહીં. ઔદ્યોગિક ક્ષેત્રમાં, પ્લાન્ટ્સ, કંપનીઓ અને ઓફિસોમાંના સમગ્ર સ્ટાફને સલામતી, રાહત અને બચાવ પદ્ધતિઓ વિશે તાલીમ આપીને એકવાર અપડેટ કરવા જોઈએ. માનવ સ્વાસ્થ્ય માટે જોખમી ગેસ ફેક્ટરીઓ શહેરથી દૂર બાંધવી જોઈએ.

આ પણ વાંચો----AYODHYA : રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ કાર્ડ આપવાનું શરું

Tags :
BhopalBhopal Gas TragedyToxic gas leakTragedyUnion Carbide Disinfectant Factory
Next Article