Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bangladesh : ભારતીય દૂતાવાસનો મોટો નિર્ણય, દૂતાવાસનું વિઝા સેન્ટર આગામી આદેશ સુધી બંધ...

બાંગ્લાદેશમાં હિંસક ઘટનાઓ વચ્ચે ભારતનો મોટો નિર્ણય બાંગ્લાદેશમાં દૂતાવાસનું વિઝા કેન્દ્ર આગામી આદેશ સુધી બંધ હિંસાને જોતા દૂતાવાસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી શેખ હસીનાએ PM પદ પરથી રાજીનામું આપ્યું અને દેશ છોડ્યા પછી બાંગ્લાદેશ (Bangladesh)માં મોટા પાયે હિંસક...
bangladesh   ભારતીય દૂતાવાસનો મોટો નિર્ણય  દૂતાવાસનું વિઝા સેન્ટર આગામી આદેશ સુધી બંધ
Advertisement
  1. બાંગ્લાદેશમાં હિંસક ઘટનાઓ વચ્ચે ભારતનો મોટો નિર્ણય
  2. બાંગ્લાદેશમાં દૂતાવાસનું વિઝા કેન્દ્ર આગામી આદેશ સુધી બંધ
  3. હિંસાને જોતા દૂતાવાસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી

શેખ હસીનાએ PM પદ પરથી રાજીનામું આપ્યું અને દેશ છોડ્યા પછી બાંગ્લાદેશ (Bangladesh)માં મોટા પાયે હિંસક ઘટનાઓ બની છે. રાજધાની ઢાકા, ચિત્તાગોંગ અને કુલના સહિત અન્ય વિસ્તારોમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. હિંદુ મંદિરો, ઘરો અને વેપારી સંસ્થાઓમાં તોડફોડ કરવામાં આવી છે. મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. આ દરમિયાન બાંગ્લાદેશ (Bangladesh)માં ઝડપથી બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ (Bangladesh)માં દૂતાવાસનું વિઝા કેન્દ્ર આગામી આદેશ સુધી બંધ રહેશે. આ નિર્ણય ભારતીય દૂતાવાસનો છે. હિંસાને જોતા દૂતાવાસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

વચગાળાની સરકાર શપથ લેશે...

દરમિયાન, અત્રે એ પણ જણાવી દઈએ કે નોબેલ પુરસ્કારથી સન્માનિત અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસ ગુરુવારે (08-08-2024) બાંગ્લાદેશ (Bangladesh)ની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લેશે. અધિકારીઓ કાયદો અને વ્યવસ્થાને નિયંત્રિત કરવામાં વ્યસ્ત છે. શેખ હસીનાની હકાલપટ્ટી બાદ દેશના સુરક્ષા વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને બુધવારે જાહેરાત કરી હતી કે વચગાળાની સરકાર ગુરુવારે લગભગ 8 વાગ્યે શપથ લેશે. તેમણે કહ્યું હતું કે સલાહકાર પરિષદમાં 15 સભ્યો હોઈ શકે છે. જનરલ જમાને કહ્યું હતું કે સેના યુનુસને તમામ શક્ય મદદ કરશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : વિપક્ષના વલણથી નારાજ રાજ્યસભાના અધ્યક્ષ Jagdeep Dhankhar, કહ્યું- 'રોજ મારું અપમાન થાય છે...'

દૂતાવાસનું શું કામ છે?

તમને જણાવી દઈએ કે કોઈપણ દેશ સાથે બહેતર રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવામાં દૂતાવાસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દૂતાવાસ અન્ય દેશોમાં રહેતા તેમના નાગરિકોને સંબંધો અને સંપર્ક જાળવીને મદદ કરે છે. વિશ્વના ઓછામાં ઓછા 121 દેશોમાં ભારતના દૂતાવાસ છે, આ સિવાય ભારતે મોટી સંખ્યામાં દેશોમાં પોતાના વાણિજ્ય દૂતાવાસ પણ ખોલ્યા છે. આ દૂતાવાસો દ્વારા વિદેશમાંથી ભારત આવવા ઈચ્છતા વિદેશી નાગરિકોને વિઝા વગેરે આપવામાં આવે છે. રાજદ્વારી સંબંધોની સાથે તેઓ વ્યાપારી સંબંધો સ્થાપિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો : West Bengal : પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ...

Tags :
Advertisement

.

×