Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

OMG : ચંદ્રની સપાટી પર અશોક ચિન્હ અને ISROનો લોગો છપાયા નથી..વાંચો અહેવાલ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ઓગસ્ટ મહિનામાં ચંદ્રયાન-3 (chandrayan 3) મિશન દ્વારા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ચંદ્રની સપાટી પર મોકલ્યા હતા. પ્રજ્ઞાન રોવરના પાછળના વ્હીલ પર ભારતનું રાષ્ટ્રીય પ્રતીક (અશોક ચિન્હ) અને ISROનો લોગો કોતરવામાં આવ્યો છે. ઈસરોએ...
02:34 PM Sep 24, 2023 IST | Vipul Pandya
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ઓગસ્ટ મહિનામાં ચંદ્રયાન-3 (chandrayan 3) મિશન દ્વારા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ચંદ્રની સપાટી પર મોકલ્યા હતા. પ્રજ્ઞાન રોવરના પાછળના વ્હીલ પર ભારતનું રાષ્ટ્રીય પ્રતીક (અશોક ચિન્હ) અને ISROનો લોગો કોતરવામાં આવ્યો છે. ઈસરોએ આશા વ્યક્ત કરી હતી કે જ્યારે રોવર ચંદ્રની સપાટી પર આગળ વધશે ત્યારે ચંદ્રની સપાટી પર અશોક પ્રતીક અને ઈસરોનો લોગો પ્રિન્ટ થશે પરંતુ આવું થયું નથી.
અશોક ચિન્હ અને ઈસરોના લોગોને સંપૂર્ણપણે પ્રિન્ટ કરી શક્યા ન હતા
એક અહેવાલ મુજબ જ્યારે પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ચાલ્યું ત્યારે તેના પૈડા સપાટી પર અશોક ચિન્હ અને ઈસરોના લોગોને સંપૂર્ણપણે પ્રિન્ટ કરી શક્યા ન હતા. લોકો ભલે આને નિરાશા તરીકે જોતા હોય, પરંતુ તેમાં એક સારા સમાચાર પણ છુપાયેલા છે. વાસ્તવમાં, તેના દ્વારા ઈસરોના વૈજ્ઞાનિકોને એ સમજવામાં મદદ કરવામાં આવી રહી છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવની માટીની ગુણવત્તા અલગ છે. ચંદ્રના આ ભાગ પર ઉતરનાર ભારત પહેલો દેશ છે.
દક્ષિણ ધ્રુવ પર પાણી હોઈ શકે છે
ચંદ્રના દક્ષિણ ધ્રુવની જમીન વિશે નવી માહિતી અહીં વસવાટ અને માનવ હાજરી માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે. ચંદ્રના આ ભાગ સુધી પહોંચવા માટે ઘણા મિશન કરવા પડશે, કારણ કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે અહીં પાણી હોઈ શકે છે. ચંદ્ર પર સ્થાયી થવું એ માણસના સૌથી મહત્વાકાંક્ષી અવકાશ મિશનમાંનું એક છે. જો કોઈ માનવ વસાહત ચંદ્ર પર સ્થાયી થાય છે, તો ભવિષ્યમાં તે એક આધાર તરીકે કામ કરશે જ્યાંથી આપણે સૌરમંડળમાં વિવિધ સ્થળોએ જઈ શકીશું.
રાષ્ટ્રીય પ્રતીક અને ઈસરોનો લોગો યોગ્ય રીતે પ્રિન્ટ ન થવાથી અમને નવી માહિતી મળી
ઈસરોના ચીફ એસ સોમનાથે પણ કહ્યું છે કે, 'રાષ્ટ્રીય પ્રતીક અને ઈસરોનો લોગો યોગ્ય રીતે પ્રિન્ટ ન થવાથી અમને નવી માહિતી મળી છે. આપણે પહેલાથી જ જાણતા હતા કે ચંદ્રની માટી થોડી અલગ છે, પરંતુ આપણે એ શોધવું પડશે કે તેના આવું થવાનું કારણ શું છે. ચંદ્રની માટી ધૂળવાળી નથી, બલ્કે ઢીલી છે. આનો અર્થ એ છે કે કંઈક માટીને પકડી રહ્યું છે. આપણે ચંન્દ્રની માટી કેવી છે તેનો અભ્યાસ કરવાની જરૂર છે.
શું આપણે ફરીથી લેન્ડરનો સંપર્ક કરી શકીશું?
વિક્રમ લેન્ડરની બીજી ઈનિંગ અંગે ઈસરો ચીફ સોમનાથે કહ્યું કે હજુ સુધી રોવર તરફથી સિગ્નલ મળ્યા નથી. પરંતુ હું એમ પણ કહી શકતો નથી કે અમને સિગ નહીં મળે. આપણે ચંદ્રના સંપૂર્ણ દિવસ (14 પૃથ્વી દિવસ) માટે રાહ જોઈ શકીએ છીએ, કારણ કે તે સમયે સતત પ્રકાશ હશે. મતલબ કે ત્યાં તાપમાન વધશે. તેમણે કહ્યું કે જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ સિસ્ટમ ઓવરહિટ થવાની શક્યતા પણ વધી જશે. 14માં દિવસે તંત્ર સક્રિય થાય તેવી પણ શકયતા છે.
આ પણ વાંચો----VANDE BHARAT TRAIN : 11 રાજ્યોને 9 વંદે ભારત એક્સપ્રેસની PM MODI એ આપી ગિફ્ટ 
Tags :
Ashoka chinhachandrayan-3ISROlunar surfaceMOON SURFACE
Next Article