માંડલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 જેટલા દર્દીઓને થઇ આડઅસર
અમદાવાદમાંથી હાલ એક મોટી ઘટના સામે આવી છે. અમદાવાદમાં સ્થિત માંડલમા ટ્રસ્ટની આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. ટ્રસ્ટ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 થી વઘુ દર્દીઓને આડઅસર જોવા મળી છે. થોડા દિવસ પહેલા આશરે આ લોકોના મોતિયાના ઓપરેશન આ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા હતા.+
Ahmedabad : માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ17 દર્દીઓને આડઅસર#Ahmedabad #Mandal #pandemonium #eyehospital #gujaratfirst pic.twitter.com/7UBvzdfpHP
— Gujarat First (@GujaratFirst) January 16, 2024
પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ હોસ્પિટલમાં ઓપરેશન કરાવનાર તમામ દર્દીઓ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ જિલ્લાના હોવાનું સામે આવ્યુ છે. ઓપરેશન કરાવ્યા બાદ 5 લોકોને દ્રષ્ટી ઓછી થઈ ગઈ હતી અને દર્દીઓને આંખથી દેખાતુ ના હોવાની અંધાપાની ફરિયાદ કરી હતી. તેમની તકલીફમાં વધારો થતાં 5 જેટલા દર્દીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
હાલ આ બનાવ બાદ તંત્ર દોડતું થયું છે. મેડિકલ ક્ષેત્રમાં આવા પ્રકારની બેદરકારી દર્દીઓ માટે ઘણી નુક્શાનકારક સાબિત થઈ શકે છે. હવે યોગ્ય તપાસ બાદ જ આવું બનવા પાછળનું સાચું કારણ સામે આવશે. હવે એ જોવું રહ્યું કે આ બેદરકારી સામે તંત્ર તપાસ બાદ કેવી એક્શન લેશે.
આ પણ વાંચો -- રાજકોટના આ કોંગ્રેસ આગેવાન બનશે ભાજપના નવા અર્જુન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ