Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Arvind Kejriwal આવતીકાલે CM પદેથી રાજીનામું આપશે, LG પાસે માંગ્યો સમય

અરવિંદ કેજરીવાલે LG વીકે સક્સેનાને મળવા માટે સમય માંગ્યો આવતીકાલે LG સચિવાલયમાં સાંજે 4.30 કલાકે CM ની બેઠક યોજાશે બેઠકમાં તેઓ લેફ્ટનન્ટ ગવર્નરને પોતાનું રાજીનામું સુપરત કરી શકે છે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આવતીકાલે રાજીનામું આપે તેવી...
arvind kejriwal આવતીકાલે cm પદેથી રાજીનામું આપશે  lg પાસે માંગ્યો સમય
Advertisement
  1. અરવિંદ કેજરીવાલે LG વીકે સક્સેનાને મળવા માટે સમય માંગ્યો
  2. આવતીકાલે LG સચિવાલયમાં સાંજે 4.30 કલાકે CM ની બેઠક યોજાશે
  3. બેઠકમાં તેઓ લેફ્ટનન્ટ ગવર્નરને પોતાનું રાજીનામું સુપરત કરી શકે છે

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આવતીકાલે રાજીનામું આપે તેવી શક્યતા છે. તેમણે સોમવારે કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર (LG) વીકે સક્સેનાને મળવા માટે સમય માંગ્યો છે. AAP ના રાષ્ટ્રીય કન્વીનરે રવિવારે (15 સપ્ટેમ્બર) જાહેરાત કરી કે તેઓ બે દિવસમાં તેમના પદ પરથી રાજીનામું આપશે અને રાષ્ટ્રીય રાજધાનીમાં વહેલી ચૂંટણીની માંગ કરશે. અહીં ગોપાલ રાય અને કૈલાશ ગેહલોત અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના ઘરે પહોંચ્યા છે. તેની સાથે આતિશી, સૌરભ ભારદ્વાજ, મનીષ સિસોદિયા અને રાખી બિરલા પણ પહોંચી ગયા છે.

આવતીકાલે એક બેઠક થશે...

CM કેજરીવાલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે, આ સંબંધમાં તેમણે LG વીકે સક્સેનાને મળવા માટે સમય માંગ્યો છે. આવતીકાલે LG સચિવાલયમાં સાંજે 4.30 કલાકે CM ની બેઠક યોજાશે. આ બેઠકમાં તેઓ લેફ્ટનન્ટ ગવર્નરને પોતાનું રાજીનામું સુપરત કરી શકે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર, રાહુલ ગાંધી Jammu-Kashmir ને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માગે છે'

પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી...

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાંથી જામીન પર છૂટ્યાના દિવસો પછી, પક્ષના કાર્યકરોને સંબોધતા કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે જો લોકો તેમની પ્રામાણિકતાની ખાતરી આપશે તો જ તેઓ મુખ્ય પ્રધાન તરીકેની તેમની ભૂમિકા સંભાળશે. તેમણે કહ્યું કે, હું CM ની ખુરશી પર ત્યારે જ બેસીશ જ્યારે લોકો મને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપશે. તેમણે વધુમાં કહ્યું કે, "હું CM બનીશ અને સિસોદિયા ત્યારે જ DyCM બનશે જ્યારે લોકો કહેશે કે અમે પ્રમાણિક છીએ."

આ પણ વાંચો : Bhopal માં રાણી કમલાપતિની પ્રતિમાનું અપમાન, સાંસદે કહ્યું- કાર્યવાહી કરાશે...

નવા CM માટે 1 અઠવાડિયાનો ટાઈમ આપ્યો...

આ પહેલા દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, CM તરીકે શપથ લેનાર નેતાને પસંદ કરવા માટે વિધાયક દળની બેઠક થશે. ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે, "જે પણ ચૂંટાય છે તે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ દાવો રજૂ કરશે. ધારાસભ્યો અમારી સાથે છે. તેથી દેખીતી રીતે તે વ્યક્તિને બોલાવવામાં આવશે અને તે શપથ લેશે. મને લાગે છે કે આ સમગ્ર પ્રક્રિયા એક અઠવાડિયાની અંદર પૂર્ણ થવી જોઈએ." AAP નેતાએ કહ્યું, “ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા બે વર્ષમાં ગમે તે કર્યું હોવા છતાં, CM ને હજુ પણ લોકો અને તેમની પ્રામાણિકતામાં વિશ્વાસ છે. દિલ્હીના લોકો ચૂંટણી યોજાવા માટે ઉત્સુક છે, જેથી તેઓ મતદાન કરી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને ફરીથી CM બનાવી શકે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીની જીભ કાપનારને રૂપિયા 11 લાખનું ઈનામ મળશે : સંજય ગાયકવાડ

Tags :
Advertisement

Trending News

.

×