હિઝબુલ્લાહને વધુ એક ફટકો, હવાઈ હુમલામાં ડ્રોન કમાન્ડર માર્યો ગયો, ઈઝરાયેલનો દાવો
- ઇઝરાયેલી દળો લેબનોનમાં કરી રહી છે બોમ્બમારો
- હવાઈ હુમલામાં હિઝબુલ્લાહ ડ્રોન કમાન્ડરની મોત
- માર્યા ગયેલા કમાન્ડરનું નામ મોહમ્મદ હુસૈન સુરૂર છે
Israel:ઇઝરાયેલી દળો લેબનોનમાં હિઝબુલ્લાહ(Hezbollah)ના ટાર્ગેટ પર ભારે બોમ્બમારો કરી રહી છે. દરમિયાન,ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે તેણે બેરૂતના ઉપનગરોમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર હવાઈ હુમલા (Airstrike) માં હિઝબુલ્લાહ ડ્રોન કમાન્ડરને (Hezbollah Commander) મારી (Killed) નાખ્યો છે.માર્યા ગયેલા કમાન્ડરનું નામ મોહમ્મદ હુસૈન સુરૂર છે.જો કે, હિઝબુલ્લાએ ઈઝરાયેલના દાવા પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી.
બેરૂતના ઉપનગરમાં હવાઈ હુમલો
ઇઝરાયેલે હિઝબુલ્લાહની જગ્યાઓ પર જોરદાર હવાઈ હુમલો કર્યો. લેબનોનના હિઝબુલ્લાહ જૂથના ટીવી સ્ટેશને બેરૂતના ઉપનગરમાં ઇઝરાયેલી હવાઈ હુમલાની જાણ કરી છે. અલ-મનાર ટીવીએ જો કે હુમલા અંગે વિગતો આપી નથી. પરંતુ ઇઝરાયેલી સેનાએ બેરૂતના દક્ષિણમાં હુમલો કરવાનો દાવો કર્યો છે.
🇱🇧🇮🇱 Drone video of this airstrike on Beirut.
IDF reported that Hezbollah Air Force Commander Mohammad Hussein Sarour was killed in this attack. Hezbollah has not confirm this. https://t.co/aA7nqwQqvc pic.twitter.com/umJRzpXT4f
— Lord Bebo (@MyLordBebo) September 26, 2024
આ પણ વાંચો -પ્રાચીન ગ્રંથોમાં સમુદ્રી રાક્ષસ કહેવાતી અપશુકન માછલી મળી આવી, જુઓ વીડિયો
આ પહેલા મિસાઈલ યુનિટ કમાન્ડરનું મોત થયું હતું
હિઝબુલ્લાહના મિસાઇલ યુનિટના વરિષ્ઠ કમાન્ડર માર્યા ગયેલા સમાન હુમલાના બે દિવસ બાદ આ હુમલો થયો છે. તે જ સમયે, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકારમાં એક અત્યંત જમણેરી સહયોગીએ ધમકી આપી છે કે જો હિઝબોલ્લાહ સાથે કાયમી યુદ્ધવિરામ થાય તો તે જોડાણ છોડી દેશે. યહૂદી પાવર પાર્ટીના વડા, ઇટામર બેન-ગવિરે ધમકી આપી હતી કે જો કોઈ કામચલાઉ કરાર થાય તો ગઠબંધન સાથેના સહકારને સ્થગિત કરી દેવામાં આવશે. "જો અસ્થાયી યુદ્ધવિરામ કાયમી બની જશે, તો અમે સરકારમાંથી રાજીનામું આપીશું," તેમણે કહ્યું.
આ પણ વાંચો -મૌતનાં Capsule માં સંભળાય છે 8 શબ્દોનો આ ડરામણો અંતિમ મેસેજ!
વિપક્ષ યુદ્ધવિરામ કરારને ટેકો આપશે.
તે નેતન્યાહુની કટ્ટર સરકારની આંતરરાષ્ટ્રીય યુદ્ધવિરામના પ્રયાસો પ્રત્યે નારાજગીની તાજેતરની નિશાની હતી. જો બેન-ગવીર ગઠબંધન છોડે છે, તો નેતન્યાહુ તેમની સંસદીય બહુમતી ગુમાવશે અને તેમની સરકાર પડી શકે છે, જો કે વિપક્ષી નેતાઓએ કહ્યું છે કે તેઓ યુદ્ધવિરામ કરારને ટેકો આપશે.